ETV Bharat / city

PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ રો-રો ફેરી બંધ થવાના માર્ગે, કંપનીએ પેસેન્જર જહાજ વહેંચવા કાઢ્યું

author img

By

Published : Dec 4, 2019, 5:40 PM IST

Updated : Dec 4, 2019, 11:21 PM IST

ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં જે રો રો ફેરીનું ઉદ્ઘાટન કર્યું હતું તે ફેરી હવે બંધ થવાના આરે છે. છેલ્લા કેટલાક સમયથી સતત થઈ રહેલા નુકસાનના કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. આ ફેરી બંધ થવાના અનેક કારણો જવાબદાર છે.

Prime Minister Dream Project on the way to the Ro ro Ferry closure
કંપનીએ પેસેન્જર જહાજ વહેંચવા કાઢ્યું

દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રના દરિયાઈ માર્ગને જોડનાર મહત્વકાંક્ષી પ્રોજેક્ટ , ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસ 27 ઓક્ટોબર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવી હતી. આ સર્વિસ દ્વારા 360 કિલોમીટરની આઠ કલાકની મુસાફરી માત્ર 31 કિલોમીટરમાં બે કલાકથી ઓછા સમયમાં કરી શકાતી હતી. જો કે 10 મહિના સુધી આ સેવા વ્યવસ્થિત ચાલી અને ત્યાર બાદ અનેક અડચણો આવ્યા હતા અને દોઢ વર્ષમાં આ રો-રો ફેરીની સર્વિસ બીજીવાર ઠપ થઈ છે.

કંપનીએ પેસેન્જર જહાજ વહેંચવા કાઢ્યું

દહેજ કિનારાના દરિયામાં પાણીની ઉંડાઈના અભાવે કાદવયુક્ત પાણી આવી જતા ફેરીને અવરોધ ઉભો થયો હતો જેને લઇને જહાજને કિનારા સુધી લાવવું મુશ્કેલ બની ગયું હતું. આગળ જતા આ દરેક અવરોધ સતત ચાલતા આવ્યા છે જેથી કંપનીએ આખરે આ જહાજને વેચવા મૂક્યું છે. રો-રો ફેરી ચલાવનાર કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે , રો-રો ફેરીને આશરે 5 મીટરના પાણીના ડ્રાફ્ટની જરૂરિયાત હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પ્રમાણે સુવિધા મળી રહી ન હતી. અને ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા ડ્રેજીંગની કામગીરી વ્યવસ્થિત નહિં કરાતા સપ્ટેમ્બર માસથી આ સેવા બંધ હાલતમાં છે, જેના કારણે સંચાલક કંપનીને દર મહીને રૂપિયા 18 લાખની ખોટ સહન કરવાનો વારો આવ્યો છે અને અત્યાર સુધીમાં કંપનીને આશરે 40 કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે.

કંપનીએ પેસેન્જર જહાજ વહેંચવા કાઢ્યું

સપ્ટેમ્બરમાં રો-રો ફેરી બંધ થતા 14 ઓક્ટોબરથી ડ્રેજીંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તે ક્યાં સુધી ચાલશે અને ક્યારે પૂર્ણ થશે તે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ અને સરકાર દ્વારા કંપનીને અત્યાર સુધી જણાવવામાં આવ્યું નથી. અત્યાર સુધી આશરે સાતથી આઠ વખત આ અંગે કંપનીએ સામેથી સંબંધિત વિભાગનો કોન્ટેક્ટ કર્યો છે તેમ છતાં પણ યોગ્ય જવાબ મળતો ન હતો. આવી અનેક વિપરીત પરિસ્થિતિના કારણે કંપની દ્વારા ફેરી સર્વિસનું જહાજ વેચવા કાઢ્યું છે, જેના કારણે આ સેવા પર કાયમ માટે બ્રેક લાગી જાય તેવી શક્યતા છે. જો કે કંપની પાસે અન્ય એક જહાજ ઉપલબ્ધ્ધ છે. જેમાં મુસાફરો સાથે વાહનો અને સામાનની પણ હેરાફેરી કરી શકાય છે. જેને સર્વિસમાં લેવાશે કે કેમ તેની કોઈ સ્પષ્ટતા કંપની દ્વારા કરવામાં આવી નથી. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે અઢી માસથી બંધ વેસલ જહાજ શરુ કરવા માંગ કરી છે.

કંપનીએ પેસેન્જર જહાજ વહેંચવા કાઢ્યું

આ પ્રોજેક્ટને શરુ કરાવતી વખતે વડાપ્રધાન મોદીએ ભારતને આ અમૂલ્ય ભેટ ગણાવી હતી અને દક્ષિણ એશિયામાં સૌથી મોટા પ્રોજેકટ તરીકે ગણાવ્યો હતો. ત્યારબાદ આ શિપમાં તેમણે ઘોઘાથી દહેજની જળ મુસાફરી પણ ખેડી હતી, પરંતુ એક વખત ઉદ્ઘાટન કરાયા બાદ આ પ્રોજેક્ટને અનેક મુશ્કેલીઓ આવી છે. આમ રાજ્ય સરકાર માટે આ મહત્ત્વનો પ્રોજેક્ટ હોવા છતાં આ સેવા બંધ થવા પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવેલી અવગણના જ્યારે બીજી તરફ દરિયાની પ્રતિકુળ પરિસ્થિતિને કારણે રો રો ફેરી સર્વિસની હાલત કફોડી બની ગઈ છે.

કંપનીએ પેસેન્જર જહાજ વહેંચવા કાઢ્યું

દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રના દરિયાઈ માર્ગને જોડનાર મહત્વકાંક્ષી પ્રોજેક્ટ , ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસ 27 ઓક્ટોબર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવી હતી. આ સર્વિસ દ્વારા 360 કિલોમીટરની આઠ કલાકની મુસાફરી માત્ર 31 કિલોમીટરમાં બે કલાકથી ઓછા સમયમાં કરી શકાતી હતી. જો કે 10 મહિના સુધી આ સેવા વ્યવસ્થિત ચાલી અને ત્યાર બાદ અનેક અડચણો આવ્યા હતા અને દોઢ વર્ષમાં આ રો-રો ફેરીની સર્વિસ બીજીવાર ઠપ થઈ છે.

કંપનીએ પેસેન્જર જહાજ વહેંચવા કાઢ્યું

દહેજ કિનારાના દરિયામાં પાણીની ઉંડાઈના અભાવે કાદવયુક્ત પાણી આવી જતા ફેરીને અવરોધ ઉભો થયો હતો જેને લઇને જહાજને કિનારા સુધી લાવવું મુશ્કેલ બની ગયું હતું. આગળ જતા આ દરેક અવરોધ સતત ચાલતા આવ્યા છે જેથી કંપનીએ આખરે આ જહાજને વેચવા મૂક્યું છે. રો-રો ફેરી ચલાવનાર કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે , રો-રો ફેરીને આશરે 5 મીટરના પાણીના ડ્રાફ્ટની જરૂરિયાત હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પ્રમાણે સુવિધા મળી રહી ન હતી. અને ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા ડ્રેજીંગની કામગીરી વ્યવસ્થિત નહિં કરાતા સપ્ટેમ્બર માસથી આ સેવા બંધ હાલતમાં છે, જેના કારણે સંચાલક કંપનીને દર મહીને રૂપિયા 18 લાખની ખોટ સહન કરવાનો વારો આવ્યો છે અને અત્યાર સુધીમાં કંપનીને આશરે 40 કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે.

કંપનીએ પેસેન્જર જહાજ વહેંચવા કાઢ્યું

સપ્ટેમ્બરમાં રો-રો ફેરી બંધ થતા 14 ઓક્ટોબરથી ડ્રેજીંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તે ક્યાં સુધી ચાલશે અને ક્યારે પૂર્ણ થશે તે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ અને સરકાર દ્વારા કંપનીને અત્યાર સુધી જણાવવામાં આવ્યું નથી. અત્યાર સુધી આશરે સાતથી આઠ વખત આ અંગે કંપનીએ સામેથી સંબંધિત વિભાગનો કોન્ટેક્ટ કર્યો છે તેમ છતાં પણ યોગ્ય જવાબ મળતો ન હતો. આવી અનેક વિપરીત પરિસ્થિતિના કારણે કંપની દ્વારા ફેરી સર્વિસનું જહાજ વેચવા કાઢ્યું છે, જેના કારણે આ સેવા પર કાયમ માટે બ્રેક લાગી જાય તેવી શક્યતા છે. જો કે કંપની પાસે અન્ય એક જહાજ ઉપલબ્ધ્ધ છે. જેમાં મુસાફરો સાથે વાહનો અને સામાનની પણ હેરાફેરી કરી શકાય છે. જેને સર્વિસમાં લેવાશે કે કેમ તેની કોઈ સ્પષ્ટતા કંપની દ્વારા કરવામાં આવી નથી. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે અઢી માસથી બંધ વેસલ જહાજ શરુ કરવા માંગ કરી છે.

કંપનીએ પેસેન્જર જહાજ વહેંચવા કાઢ્યું

આ પ્રોજેક્ટને શરુ કરાવતી વખતે વડાપ્રધાન મોદીએ ભારતને આ અમૂલ્ય ભેટ ગણાવી હતી અને દક્ષિણ એશિયામાં સૌથી મોટા પ્રોજેકટ તરીકે ગણાવ્યો હતો. ત્યારબાદ આ શિપમાં તેમણે ઘોઘાથી દહેજની જળ મુસાફરી પણ ખેડી હતી, પરંતુ એક વખત ઉદ્ઘાટન કરાયા બાદ આ પ્રોજેક્ટને અનેક મુશ્કેલીઓ આવી છે. આમ રાજ્ય સરકાર માટે આ મહત્ત્વનો પ્રોજેક્ટ હોવા છતાં આ સેવા બંધ થવા પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવેલી અવગણના જ્યારે બીજી તરફ દરિયાની પ્રતિકુળ પરિસ્થિતિને કારણે રો રો ફેરી સર્વિસની હાલત કફોડી બની ગઈ છે.

કંપનીએ પેસેન્જર જહાજ વહેંચવા કાઢ્યું
Intro:રો રો ફેરીમાં કંપનીએ પેસેન્જર જહાજ વહેચવા કાઢ્યું તો પીએમના ૬૦૦ કરોડનો પ્રોજેક્ટ બંધ થવાના માર્ગે Body:ભાવનગરનો ઘોઘા દેહજ રો રો ફેરી સર્વીસ્નોપ ૬૦૦ કરોડનો પ્રોજેક્ટ બંધ થવાના માર્ગે ધકેલાઈ ગયો છે. ઈન્ડીગો શિવે કમ્પનીએ પેસેન્જર જહાજ વહેચવા કાઢ્યું છે જેથી ચેમ્બર ઓફ કોમર્સ ભય વ્યક્ત કરી રહ્યું છે કે ડ્રેજીંગ વહેલા પૂર્ણ કરવો નહિતર વેસલ જહાજ પણ કંપની વેહ્ચી નાખશે અને લોકોનો વિશ્વાસ ઉઠી જશે અને ઉદ્યોગો મંદીના માહોલમાં ધરાશાયી બની જશે.Conclusion:એન્કર- ભાવનગરનું ટુકું જોડાણ અને વડાપ્રધાન ડ્રીમ પ્રોજેક્ટ રો ઈ રો ફેરીમાં પેસેન્જર જહાજ વેહ્ચવા માટે ઈન્ડીગો શીવે કંપનીએ જાહેરાત કરતા ખળભળાટ મચી ગઈ છે. ૬૦૦ કરોડના પ્રોજેક્ટમાં કંપનીનું પેસેન્જર જહાજ વેહ્ચાવાનો સમય આવે તો વેસલ જહાજ પણ ક્યારે વેહ્ચાય જાય તેની કોઈ ગેરેંટી નથી. વાહનો લઇ જતું વેસલ જહાજ છેલ્લા અઢી મહિનાથી ડ્રેજીંગ નહી થવાના કારણે બંધ છે. દહેજમાં ચોમાસામાં આવેલા માટીના કાપને પગલે ઊંડાઈનું લેવલ જીરો સુધી પોહચી ગયું છે જેની કાળજી આજદિન સુધી લેવામાં આવી નહી અને અઢી માસથી સેવા બંધ છે 
વીઓ-૧- ભાવનગરની રો રો ફેરી સર્વિસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે પરંતુ આ ડ્રીમ પ્રોજેક્ટને વારંવાર મુશ્કેલીઓનું ગ્રહણ લાગતું આવ્યું છે ત્યારે ગત ચોમાસામાં પૂર્વ તૈયારી વગર ડ્રેજીંગ કરવામાં આવ્યું નહી જેથી દહેજ ખાતે મોટી સંખ્યામાં માટીનો કાપ વરસાદના પાણી સાથે ધસી આવ્યો હતો. કાપ એટલી હદ સુધી આવ્યો કે ઊંડાઈનું લેવલ જીરોએ પોહચી ગયું ત્યારે જીએમબીએ પગલા ભરવાના હોઈ ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહી અને હવે ભાવનગર,ઘોઘા અને ગાંધીનગર કક્ષાએ જવાબદાર અધિકારીઓ એક બીજાને ખો આપી રહ્યા છે અને દોષનો ટોપલો માથે નો આવે એટલે બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સે માંગ કરી છે કે પેસેન્જર જહાજ ભલે બંધ થાય પરંતુ હવે વેસલ જહાજ જે વાહનો લઇ જાય છે તે ક્યારે બંધ થયા તેની કોઈ ગેરેંટી નથી. સરકાર વહેલી તકે ડ્રેજીંગ કરીને લોકોના મનમાં રહેલા ભયને દુર કરે નહિતર હાલની કંપની વેસલ જહાજ પણ ક્યારે વેહ્ચીને ચાલી જાય અને ૬૦૦ કરોડ પ્રજાના પાણીમાં સમય જશે અને લોકોનો વિશ્વાસ ઉઠી જશે. અફસોસ તો ત્યારે થાય છે કે કેન્દ્રીય કેબીનેટ મંત્રી અને તે પણ શીપીંગના ભાવનગરના મનસુખ માંડવીયા હોઈ પ્રદેશ પ્રમુખ ભાવનગરના હોઈ અને શિક્ષણ મંત્રી પણ ભાવનગરના હોઈ તેવી સ્થિતિમાં ભાવનગરના વિકાસમાં મહત્વનો ફાળો આપતી અને વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ હોવા છતાં ધાંધિયા જીકતા લોકોને હવે વિશ્વાસ તૂટી રહ્યો છે 

બાઈટ- સુનીલ વડોદરિયા (પ્રમુખ,ચેમ્બર ઓફ કોમર્સ,ભાવનગર) R_GJ_BVN_02_B_RORO_STOP_AVB_BITE_CHIRAG_7208680

બાઈટ- સુનીલ વડોદરિયા (પ્રમુખ,ચેમ્બર ઓફ કોમર્સ,ભાવનગર)
R_GJ_BVN_02_C_RORO_STOP_AVB_HINDI_BITE_CHIRAG_7208680
Last Updated : Dec 4, 2019, 11:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.