ભાવનગર : રંગોનો તહેવાર એટલે ધુળેટી (Dhuleti celebration 2022) પર રંગો કેમિકલયુક્ત હોવાથી આજે બાળકોને કલરોથી દૂર રહેવા માટે જાગૃતિ લાવવાના પ્રયાસ થાય છે. ધુળેટી પર્વ એટલે રંગોનું પર્વ ત્યારે બાળકોમાં ધુળેટીમાં કેમિકલ યુક્ત કલરોના બદલે દેશી પદ્ધતિથી કેવી રીતે હોળી રમી શકાય તેવો એક પ્રયાસ શાળા દ્વારા કરવામાં આવ્યો છે. શાળામાં ધુળેટીને એક દિવસ પૂર્વે બાળકોને કુદરતી રંગ એટલે કેશુડાથી ધુળેટી (Dhuleti with kesuda) રમાડવામાં આવી હતી.
આ પણ વાંચો: Dhuleti 2022: જૂનાગઢમાં બે વર્ષ બાદ નાના ભૂલકાઓએ મસ્તીમાં મનાવી ધુળેટી
બાળકોને કેમિકલયુક્ત કલરોથી દૂર રાખવા પ્રયોગ: ભાવનગર શહેરમાં આવેલી સરકારી અને ખાનગી શાળાઓમાં ધુળેટી નહિ હોળીના દિવસે બાળકો કલરોથી રમીને આનંદ ઉઠાવતા હોય છે. સરકારી શાળામાં બાળકોનો ઉત્સાહ તૂટે નહિ માટે કેશુડાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. શાળા નમ્બર 47ના આચાર્ય ભગવતીબેન બાલધિયાએ જણાવ્યું હતું કે, કેમિકલ વાળા કલરથી બાળકોને ત્વચાની તકલીફ થઇ શકે છે. આથી અમે હોળીના એક દિવસ પૂર્વે કેશુડો લાવીને પાણીમાં પલાળ્યો હતો. બાળકોમાં ખૂબ ઉત્સાહ હોઈ છે રમવાનો તેથી કેશુડાથી રમાડીને ધૂળેટીની ઉજવણી કરાઈ હતી.
![ધૂળેટીની અનોખી ઉજવણી: શાળામાં બાળકો કેશુડાના રંગે રંગાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-bvn-25-kesudo-dhuleti-pkg-chirag-rtu-7208680_17032022184604_1703f_1647522964_256.jpg)
આ પણ વાંચો: Srinagar Holi celebration: CRPF જવાનોએ શ્રીનગરમાં હોળીની ઉજવણી કરી
કેશુડાથી રમાડીને બાળકોમાં સંદેશ: બાળકોને ધુળેટી રમવા ખૂબ ઉત્તેજના હોય છે. આ ઉત્તેજના ભાંગી શકાય નહીં ત્યારે નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની એક માત્ર એવી શાળા હતી જેમાં કેશુડાથી ધુળેટી રમાડવામાં આવી હતી. શાળાના આચાર્ય ભગવતીબેનએ જણાવ્યું હતું કે, કેશુડાથી ધુળેટી રમવાના બે ફાયદા છે એક બાળકોને સમજ પડે છે કે, ગરમી શરૂ થઈ સાથે કેશુડો ઠંડો છે એટલે શરીરને નડતો નથી. કેશુડાથી બાળકને રમાડશું તો બાળકમાં પ્રેરણા આવશે અને કલરોથી જ્યારે ધુળેટી હશે ત્યારે રમવાનું ટાળશે.
![ધૂળેટીની અનોખી ઉજવણી: શાળામાં બાળકો કેશુડાના રંગે રંગાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-bvn-25-kesudo-dhuleti-pkg-chirag-rtu-7208680_17032022184604_1703f_1647522964_317.jpg)