- ઊંધિયું અને જલેબીનું વેચાણ
- ભાવ વધારો હોવાં છતાં ખરીદી રહ્યા છે લોકો
- ઊંધિયા જલેબી ખાવાની છે પરંપરા
અમદાવાદઃ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમાગરમ અને જલેબી લેવા માટે દુકાનો પર પહોંચી ગયા છે. કોરોનાના કારણે ભાવમાં વધારો હોવા છતાં પણ લોકો એટલા જ ઉત્સાહ સાથે ઊંધિયું અને જલેબીની ખરીદી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ઊંઘયાના ભાવ પ્રતિ કિલો 220થી લઈ 350 સુધીનો છે અને જલેબીની 450થી લઈને 700 રૂપિયા સુધીની કિંમત છે.
કોરોનાની ગાઈડલાઈન સાથે વેચાણ
આ અંગે શહેરના નેહરુ નગર વિસ્તારમાં આવેલા ગાંઠિયા રથના વેપારી વાલજીભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઊંધિયું અને જલેબીના ભાવમાં વધારો થયો છે. આમ છતાં ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો નથી. આ સાથે જ તેમણે જણાવ્યું કે, જલેબી ઊંધિયાની ખરીદી કરવા આવતા લોકો પાસે કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.