ETV Bharat / city

કોન્સ્ટેબલ મૂકેશભાઈના કોરોનાથી કરુણ મૃત્યુની દર્દનાક કહાની પુત્રએ કરી રજૂ

author img

By

Published : Jun 10, 2020, 4:32 PM IST

અમદાવાદ શહેરમાં કોરોના સામે કોરોના વોરિયર્સ બનેલા પોલીસકર્મી મુકેશભાઈ સોમાભાઈનો પરિવાર આજે ખબુજ પસ્તાઈ રહ્યો છે. ૬ જૂને સવારે પિતાની તબિયત બગડતા પુત્ર મુકેશભાઇને લઈ સેલ્બી, એસવીપી, એલજી અને સિવિલમાં ર્ફ્યા પણ કોઈએ દાખલ જ ના કર્યા તે સત્ય છે. સેલ્બી હોસ્પિટલમાં તો PI પણ હાજર હતા તેમ છતાં મુકેશભાઈને સારવારમાં લીધા ન હતા. આ અંગે ACP ટ્રાફ્કિ વહીવટ આકાશ પટેલને પણ જાણ કરી છતાં કશું થયું ન હતું. જો.કે એનાથી પણ વધારે શરમ જનક વાત તો એ હતી કે, હોસ્પિટલમાં લઇ જવા માટે ૧૦૮ પણ આવતી ન હતી એટલે પરિવાર રીક્ષા અને બાઈક પર લઈ રઝળ્યો હતો.

કોન્સ્ટેબલ મૂકેશભાઈના કોરોનાથી કરુણ મૃત્યુની દર્દનાક કહાની, પુત્રે કરી રજૂ
કોન્સ્ટેબલ મૂકેશભાઈના કોરોનાથી કરુણ મૃત્યુની દર્દનાક કહાની, પુત્રે કરી રજૂ

અમદાવાદઃ શહેરના ટ્રાફ્કિ એલ ડિવિઝનમાં ફરજ બજાવતા મુકેશભાઈનું ૮ જૂને કોરોના વાઇરસથી મોત થયું હતું. તેમના પુત્રે જણાવ્યું હતું કે શનિવારે મારા પિતા મુકેશભાઈની તબિયત બગડી હતી તેથી ૧૦૮માં કોલ કર્યો પરંતુ તે ન આવતા રીક્ષામાં તેમને લઈ નરોડા સેલ્બી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્યાં હોસ્પિટલે ગાંધીનગર મેડિકલ ઓફ્સિરના સિક્કા માગ્યા તેથી સિક્કા કરાવ્યા પછી પણ ૩ કલાક બગડયા. PI જે.એલ.ચૌહાણ હાજર હોવા છતાં તેમને દાખલ કર્યા નહીં. આખરે LG હોસ્પિટલ લઈ ગયા ત્યાં દાખલ ના કર્યા તેથી ત્યાંથી એસવીપીમાં લઇ ગયા ત્યાં પણ દાખલ ન કર્યા. ત્યાંથી સિવિલમાં લઈ જવા કહ્યું. ACP આકાશ પટેલને જાણ કરી છતાં કઈ થયું નહી. દરમિયાનમાં વારંવાર દરેક હોસ્પિટલથી ૧૦૮ને જાણ કરી છતાં તે ન આવતા આખરે બાઈક અને રીક્ષાનો ઉપયોગ કરવો પડ્યો હતો. સિવિલ લઈ ગયા ત્યાં પણ દાખલ ન કર્યા આખરે એસવીપી પાછા લઈ ગયા ત્યાં દાખલ કર્યા હતાં. જોકે સારવારની જગ્યાએ હોસ્પિટલના સ્ટાફે વાતોમાં વધુ ધ્યાન આપ્યું હતું.

કોન્સ્ટેબલ મૂકેશભાઈના કોરોનાથી કરુણ મૃત્યુની દર્દનાક કહાની, પુત્રે કરી રજૂ
જો કે, મહત્વની વાત એ છે કે નરોડા સેલ્બી હોસ્પિટલમાંથી 28મી મેના રોજ જ્યારે રજા અપાઈ ત્યારે પણ મારા પિતા મુકેશભાઈના હાથમાં સોજા અને તેઓ ચાલી પણ શકતા ન હતા તેમની તબિયત સારી ન હતી છતાં પણ રજા આપી દેવામાં આવી હતી. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હોવા છતાં કશું થયું ન હતું. જેના કારણેે આજે એક પરિવાર રઝળતો થઈ ગયો છે.

અમદાવાદઃ શહેરના ટ્રાફ્કિ એલ ડિવિઝનમાં ફરજ બજાવતા મુકેશભાઈનું ૮ જૂને કોરોના વાઇરસથી મોત થયું હતું. તેમના પુત્રે જણાવ્યું હતું કે શનિવારે મારા પિતા મુકેશભાઈની તબિયત બગડી હતી તેથી ૧૦૮માં કોલ કર્યો પરંતુ તે ન આવતા રીક્ષામાં તેમને લઈ નરોડા સેલ્બી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્યાં હોસ્પિટલે ગાંધીનગર મેડિકલ ઓફ્સિરના સિક્કા માગ્યા તેથી સિક્કા કરાવ્યા પછી પણ ૩ કલાક બગડયા. PI જે.એલ.ચૌહાણ હાજર હોવા છતાં તેમને દાખલ કર્યા નહીં. આખરે LG હોસ્પિટલ લઈ ગયા ત્યાં દાખલ ના કર્યા તેથી ત્યાંથી એસવીપીમાં લઇ ગયા ત્યાં પણ દાખલ ન કર્યા. ત્યાંથી સિવિલમાં લઈ જવા કહ્યું. ACP આકાશ પટેલને જાણ કરી છતાં કઈ થયું નહી. દરમિયાનમાં વારંવાર દરેક હોસ્પિટલથી ૧૦૮ને જાણ કરી છતાં તે ન આવતા આખરે બાઈક અને રીક્ષાનો ઉપયોગ કરવો પડ્યો હતો. સિવિલ લઈ ગયા ત્યાં પણ દાખલ ન કર્યા આખરે એસવીપી પાછા લઈ ગયા ત્યાં દાખલ કર્યા હતાં. જોકે સારવારની જગ્યાએ હોસ્પિટલના સ્ટાફે વાતોમાં વધુ ધ્યાન આપ્યું હતું.

કોન્સ્ટેબલ મૂકેશભાઈના કોરોનાથી કરુણ મૃત્યુની દર્દનાક કહાની, પુત્રે કરી રજૂ
જો કે, મહત્વની વાત એ છે કે નરોડા સેલ્બી હોસ્પિટલમાંથી 28મી મેના રોજ જ્યારે રજા અપાઈ ત્યારે પણ મારા પિતા મુકેશભાઈના હાથમાં સોજા અને તેઓ ચાલી પણ શકતા ન હતા તેમની તબિયત સારી ન હતી છતાં પણ રજા આપી દેવામાં આવી હતી. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હોવા છતાં કશું થયું ન હતું. જેના કારણેે આજે એક પરિવાર રઝળતો થઈ ગયો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.