ETV Bharat / city

આજે બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ, મીરજાપુરમાં 10 હજાર જેવા કેસ આવ્યા

author img

By

Published : Sep 11, 2021, 7:44 PM IST

શનિવારે બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. મીરજાપુરમાં 10 હજાર કેસ સુનાવણી માટે આવ્યા હતા. જેમાંથી 8 હજાર કેસની સુનાવણી કરવાનો અંદાજ છે. અહીં મહત્વનું છે કે, કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા પ્રથમ લોક અદાલત યોજાઈ હતી. જેમાં 8 હજાર કેસની સુનાવણી કરવામાં આવી હતી.

Ahmedabad News
Ahmedabad News
  • લોક અદાલતમાં કેસોની સુનાવણી કરી ઝડપી ન્યાય આપવામાં આવે છે
  • બંને પક્ષને માન્ય હોય ત્યારે જ ન્યાય આપવામાં આવે છે
  • કોરોના બાદ બીજી વખત રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ
  • યુવાન દીકરો ગુમાવી ચૂકેલા માતાપિતાને 35 લાખ રૂપિયા અપાવ્યા

અમદાવાદ: શનિવારે બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. મીરજાપુરથી 10 હજાર કેસ સુનાવણી માટે આવ્યા હતા. જેમાંથી 8 હજાર કેસની સુનાવણી કરવાનો અંદાજ છે. અહીં મહત્વનું છે કે, કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા પ્રથમ લોક અદાલત યોજાઈ હતી. જેમાં 8 હજાર કેસની સુનાવણી કરવામાં આવી હતી. વર્ષ 2019માં બી.જે.કોલેજના ચોથા સેમેસ્ટરમાં ભણતા યુવાનનું ડમ્પર જોડે અકસ્માત થઈ જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ યુવાનના કુટુંબીજનોએ લોક અદાલતમાં ન્યાયની માંગણી કરતા તેમને આજે યોજાયેલી લોક અદાલતમાં ન્યાય મળ્યો હતો. લોક અદાલતે બંને પક્ષે દલીલો સાંભળી માતા પિતાને 35 લાખ રૂપિયા અપાવ્યા હતા. વધુમાં આ મુદ્દે Etv bharat સાથે વાતચીત કરતા સેકેન્ડ એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ એચ.એ.શાહે જણાવ્યું હતું કે, લોક અદલાતનું કામ જ લોકોને ઝડપી ન્યાય અપાવવાનું છે. અહીં કેસની સુનાવણી એટલા માટે કરવામાં આવે છે, જેથી રેગ્યુલર કોર્ટ ઉપરનું ભારણ ઘટે.

આજે બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ

શું કહે છે લોક અદાલતના ઇન્ચાર્જ પ્રિન્સિપલ જજ ?

લોક અદાલતના ઇન્ચાર્જ પ્રિન્સિપલ જજ એન.એલ.દવેએ Etv bharat ને જણાવ્યું હતું કે, અહીં તમામ પ્રકારના કેસ જેવા કે પરાધિક ગુનાહોના કેસ, ઇન્સ્યોરન્સના કેસ, ક્લેમ ન ચૂકવતા થયેલા કેસ, ડોમેસ્ટિક કેસ, આમ જુદા જુદા કેસ નોંધાય છે. આજે પણ 10 હજાર જેવા કેસ નોંધાયા છે અને લોક અદાલત 8 હજાર જેટલા કેસની પતાવટ કરવાના પ્રયત્નો કરશે. વધુમાં લોકોનો સમય અને પૈસાની પણ બચત થશે. લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ઝડપી ન્યાય અને કોર્ટનું વધતું જતું ભારણ ઘટાડવાનો છે.

  • લોક અદાલતમાં કેસોની સુનાવણી કરી ઝડપી ન્યાય આપવામાં આવે છે
  • બંને પક્ષને માન્ય હોય ત્યારે જ ન્યાય આપવામાં આવે છે
  • કોરોના બાદ બીજી વખત રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ
  • યુવાન દીકરો ગુમાવી ચૂકેલા માતાપિતાને 35 લાખ રૂપિયા અપાવ્યા

અમદાવાદ: શનિવારે બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. મીરજાપુરથી 10 હજાર કેસ સુનાવણી માટે આવ્યા હતા. જેમાંથી 8 હજાર કેસની સુનાવણી કરવાનો અંદાજ છે. અહીં મહત્વનું છે કે, કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા પ્રથમ લોક અદાલત યોજાઈ હતી. જેમાં 8 હજાર કેસની સુનાવણી કરવામાં આવી હતી. વર્ષ 2019માં બી.જે.કોલેજના ચોથા સેમેસ્ટરમાં ભણતા યુવાનનું ડમ્પર જોડે અકસ્માત થઈ જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ યુવાનના કુટુંબીજનોએ લોક અદાલતમાં ન્યાયની માંગણી કરતા તેમને આજે યોજાયેલી લોક અદાલતમાં ન્યાય મળ્યો હતો. લોક અદાલતે બંને પક્ષે દલીલો સાંભળી માતા પિતાને 35 લાખ રૂપિયા અપાવ્યા હતા. વધુમાં આ મુદ્દે Etv bharat સાથે વાતચીત કરતા સેકેન્ડ એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ એચ.એ.શાહે જણાવ્યું હતું કે, લોક અદલાતનું કામ જ લોકોને ઝડપી ન્યાય અપાવવાનું છે. અહીં કેસની સુનાવણી એટલા માટે કરવામાં આવે છે, જેથી રેગ્યુલર કોર્ટ ઉપરનું ભારણ ઘટે.

આજે બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ

શું કહે છે લોક અદાલતના ઇન્ચાર્જ પ્રિન્સિપલ જજ ?

લોક અદાલતના ઇન્ચાર્જ પ્રિન્સિપલ જજ એન.એલ.દવેએ Etv bharat ને જણાવ્યું હતું કે, અહીં તમામ પ્રકારના કેસ જેવા કે પરાધિક ગુનાહોના કેસ, ઇન્સ્યોરન્સના કેસ, ક્લેમ ન ચૂકવતા થયેલા કેસ, ડોમેસ્ટિક કેસ, આમ જુદા જુદા કેસ નોંધાય છે. આજે પણ 10 હજાર જેવા કેસ નોંધાયા છે અને લોક અદાલત 8 હજાર જેટલા કેસની પતાવટ કરવાના પ્રયત્નો કરશે. વધુમાં લોકોનો સમય અને પૈસાની પણ બચત થશે. લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ઝડપી ન્યાય અને કોર્ટનું વધતું જતું ભારણ ઘટાડવાનો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.