ETV Bharat / city

હાઈકોર્ટે યતીન ઓઝાની બિનશરતી માફીનો અસ્વીકાર કર્યો - ETVBharat

ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ હાઇકોર્ટ ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાની બિનશરતી માફીનો અસ્વીકાર કરતાં ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું કે, ઓઝાની ટિપ્પણીઓથી સંસ્થાની ગરિમાને હાનિ પહોંચી છે. જેથી કરીને તેમની બિનશરતી માફીનો સ્વીકાર કરી શકાય નહી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં 3જી સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

હાઈકોર્ટે યતીન ઓઝાની બિનશરતી માફીનો અસ્વીકાર કર્યો
હાઈકોર્ટે યતીન ઓઝાની બિનશરતી માફીનો અસ્વીકાર કર્યો
author img

By

Published : Aug 26, 2020, 6:51 PM IST

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વના નિર્દેશ કરતાં કહ્યું કે, યતીન ઓઝા ગેરવર્તન બદલ હંમેશા કોર્ટ પાસેથી રાહતની અપેક્ષા રાખે છે. ગુજરાત હાઈકોર્ટ હાઈપાવર કમિટીના આધારે યતીન ઓઝનું સિનિયર પદ ખેંચી લેતા તેમણે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ બિનશરતી માફી માગી લીધી છે. યતિન ઓઝાએ કોર્ટને કહ્યું કે તેમનો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો.

હાઈકોર્ટે યતીન ઓઝાની બિનશરતી માફીનો અસ્વીકાર કર્યો
હાઈકોર્ટે યતીન ઓઝાની બિનશરતી માફીનો અસ્વીકાર કર્યો
સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે, યતીન ઓઝા દ્વારા આક્ષેપ માટે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો એ યોગ્ય નથી. યતીન ઓઝાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મુદ્દે માફી માગી લીધી છે. જો કે, કોર્ટે કહ્યું કે વરિષ્ઠ વકીલ જ આવું વર્તન કરશે તો જુનિયરઓમાં સંદેશો જશે. સરકારી વકીલ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, યતીન ઓઝા અગાઉ પણ આ પ્રકારની માફી માંગી ચૂક્યાં છે અને વારંવાર આ પ્રકારની ભૂલ કરે છે. સુપ્રીમ કોર્ટે યતીન ઓઝાને હાઇકોર્ટ સમક્ષ ફરીવાર માફીનામું રજૂ કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે યતીન ઓઝાના માફીનામાને ધ્યાનમાં લઈને અંતિમ નિર્ણય લેવાનો ગુજરાત હાઈકોર્ટને આદેશ કર્યો છે.યતીન ઓઝા તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરાઈ હતી કે, વકીલોની પીડાને લીધે તેઓ ભાવનાત્મક થઈ આવું બોલી ગયાં હતાં. જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાવના બીજા સ્વરૂપમાં પણ વર્ણવી શકાય છે. ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ ગુજરાત હાઇકોર્ટના તેમના સિનિયર વકીલ તરીકેના પદને પરત ખેંચવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે યતીન ઓઝાના વર્તનની ગંભીર નોંધ લેતાં કહ્યું કે માત્ર માફી પત્રથી કામ ચલાવી લેવાશે નહીં તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની જરૂર છે અને તેને આધાર રાખીને 32 વર્ષથી વધુ વકીલાતનો અનુભવ ધરાવતા યતીન ઓઝાનું સિનિયર પદ પરત ખેંચી લેવામાં આવ્યું છે.
હાઈકોર્ટે યતીન ઓઝાની બિનશરતી માફીનો અસ્વીકાર કર્યો
સુપ્રીમ કોર્ટમાં યતીન ઓઝા તરફે દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેમણે જે ટિપ્પણી કરી છે એ ન્યાયપાલિકા કે ન્યાયાધીશ વિરુદ્ધ નહીં પરંતુ રજીસ્ટ્રીની કામગીરી અને તેમાં થતાં ભ્રષ્ટાચાર વિશે કરી છે.

નોંધનીય છે કે, આ અંગે યતીન ઓઝાએ પાંચમી જૂનના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં રજીસ્ટરની કામગીરી પર ગંભીર આક્ષેપ લગાવ્યાં હતાં. યતીન ઓઝાના આક્ષેપો બાદ ગુજરાત હાઇકોર્ટની કમિટીએ અંગેની તપાસ કરાવી હતી જેમાં તેમના તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થયાં હતાં. ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટે તેમની સામે સુઓમોટો કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ફગાવી દીધું હતું.

યતીન ઓઝાએ પાંચમી જૂનના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેસની લિસ્ટિંગ મુદ્દે આક્ષેપ કર્યો હતો કે ફેવરેટિઝમ અને ભ્રષ્ટાચારથી મેટર લિસ્ટ કરવામાં આવે છે.

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વના નિર્દેશ કરતાં કહ્યું કે, યતીન ઓઝા ગેરવર્તન બદલ હંમેશા કોર્ટ પાસેથી રાહતની અપેક્ષા રાખે છે. ગુજરાત હાઈકોર્ટ હાઈપાવર કમિટીના આધારે યતીન ઓઝનું સિનિયર પદ ખેંચી લેતા તેમણે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ બિનશરતી માફી માગી લીધી છે. યતિન ઓઝાએ કોર્ટને કહ્યું કે તેમનો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો.

હાઈકોર્ટે યતીન ઓઝાની બિનશરતી માફીનો અસ્વીકાર કર્યો
હાઈકોર્ટે યતીન ઓઝાની બિનશરતી માફીનો અસ્વીકાર કર્યો
સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે, યતીન ઓઝા દ્વારા આક્ષેપ માટે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો એ યોગ્ય નથી. યતીન ઓઝાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મુદ્દે માફી માગી લીધી છે. જો કે, કોર્ટે કહ્યું કે વરિષ્ઠ વકીલ જ આવું વર્તન કરશે તો જુનિયરઓમાં સંદેશો જશે. સરકારી વકીલ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, યતીન ઓઝા અગાઉ પણ આ પ્રકારની માફી માંગી ચૂક્યાં છે અને વારંવાર આ પ્રકારની ભૂલ કરે છે. સુપ્રીમ કોર્ટે યતીન ઓઝાને હાઇકોર્ટ સમક્ષ ફરીવાર માફીનામું રજૂ કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે યતીન ઓઝાના માફીનામાને ધ્યાનમાં લઈને અંતિમ નિર્ણય લેવાનો ગુજરાત હાઈકોર્ટને આદેશ કર્યો છે.યતીન ઓઝા તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરાઈ હતી કે, વકીલોની પીડાને લીધે તેઓ ભાવનાત્મક થઈ આવું બોલી ગયાં હતાં. જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાવના બીજા સ્વરૂપમાં પણ વર્ણવી શકાય છે. ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ ગુજરાત હાઇકોર્ટના તેમના સિનિયર વકીલ તરીકેના પદને પરત ખેંચવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે યતીન ઓઝાના વર્તનની ગંભીર નોંધ લેતાં કહ્યું કે માત્ર માફી પત્રથી કામ ચલાવી લેવાશે નહીં તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની જરૂર છે અને તેને આધાર રાખીને 32 વર્ષથી વધુ વકીલાતનો અનુભવ ધરાવતા યતીન ઓઝાનું સિનિયર પદ પરત ખેંચી લેવામાં આવ્યું છે.
હાઈકોર્ટે યતીન ઓઝાની બિનશરતી માફીનો અસ્વીકાર કર્યો
સુપ્રીમ કોર્ટમાં યતીન ઓઝા તરફે દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેમણે જે ટિપ્પણી કરી છે એ ન્યાયપાલિકા કે ન્યાયાધીશ વિરુદ્ધ નહીં પરંતુ રજીસ્ટ્રીની કામગીરી અને તેમાં થતાં ભ્રષ્ટાચાર વિશે કરી છે.

નોંધનીય છે કે, આ અંગે યતીન ઓઝાએ પાંચમી જૂનના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં રજીસ્ટરની કામગીરી પર ગંભીર આક્ષેપ લગાવ્યાં હતાં. યતીન ઓઝાના આક્ષેપો બાદ ગુજરાત હાઇકોર્ટની કમિટીએ અંગેની તપાસ કરાવી હતી જેમાં તેમના તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થયાં હતાં. ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટે તેમની સામે સુઓમોટો કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ફગાવી દીધું હતું.

યતીન ઓઝાએ પાંચમી જૂનના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેસની લિસ્ટિંગ મુદ્દે આક્ષેપ કર્યો હતો કે ફેવરેટિઝમ અને ભ્રષ્ટાચારથી મેટર લિસ્ટ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.