ETV Bharat / city

શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતના કોર્ટે જામીન મંજૂર કર્યા

author img

By

Published : Aug 13, 2020, 3:38 PM IST

અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડમાં 8 દર્દીઓના મોત થયા હતાં. આ હોસ્પિટલના સંચાલક જામીન પર મુક્ત થયાં છે. ગુરુવારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી અને સંચાલક ભરત મહંતના જામીન 15 હજારના પર્સનલ બોન્ડ પર મંજૂર કર્યા છે.

શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતના કોર્ટે જામીન મંજૂર કર્યા
શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતના કોર્ટે જામીન મંજૂર કર્યા

અમદાવાદઃ આ કેસમાં ચાર દિવસ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેના ૨૪ કલાકમાં મુખ્ય આરોપી અને સંચાલક ભરત મહંતને રિમાન્ડ માટે જજના ઘરે રજૂ કરવામાં આવ્યાં હતાં. કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કરતા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેને કોર્ટે માન્ય રાખતાં આરોપીને ૧૫ હજારના પર્સનલ બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યાં છે.

શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતના કોર્ટે જામીન મંજૂર કર્યા
શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતના કોર્ટે જામીન મંજૂર કર્યા
નવરંગપુરા પોલીસ દ્વારા આરોપીની તપાસ માટે 5 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જોકે કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા હતાં. નોંધનીય છે કે જ્યારે શ્રેય અગ્નિકાંડમાં 8 દર્દીઓના મોત નીપજ્યાં છે ત્યારે આરોપીના જામીન મંજૂર કરવામાં આવ્યાં છે. સુરતમાં અગ્નિકાંડ થયો હતો અને મોટી સંખ્યમાં બાળકોના મોત નીપજ્યાં હતા ત્યારે આરોપીઓને વહેલી તકે જામીન આપવામાં આવ્યાં નહી પરંતુ આ કેસમાં આરોપીના ખૂબ જ વહેલા જામીન મંજૂર કરવામાં આવ્યાં છે.
શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતના કોર્ટે જામીન મંજૂર કર્યા
આ સમગ્ર કેસની વિગત એવી છે કે ગત શુક્રવારના રોજ સવારે 3 વાગ્યે અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલા 8 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદઃ આ કેસમાં ચાર દિવસ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેના ૨૪ કલાકમાં મુખ્ય આરોપી અને સંચાલક ભરત મહંતને રિમાન્ડ માટે જજના ઘરે રજૂ કરવામાં આવ્યાં હતાં. કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કરતા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેને કોર્ટે માન્ય રાખતાં આરોપીને ૧૫ હજારના પર્સનલ બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યાં છે.

શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતના કોર્ટે જામીન મંજૂર કર્યા
શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતના કોર્ટે જામીન મંજૂર કર્યા
નવરંગપુરા પોલીસ દ્વારા આરોપીની તપાસ માટે 5 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જોકે કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા હતાં. નોંધનીય છે કે જ્યારે શ્રેય અગ્નિકાંડમાં 8 દર્દીઓના મોત નીપજ્યાં છે ત્યારે આરોપીના જામીન મંજૂર કરવામાં આવ્યાં છે. સુરતમાં અગ્નિકાંડ થયો હતો અને મોટી સંખ્યમાં બાળકોના મોત નીપજ્યાં હતા ત્યારે આરોપીઓને વહેલી તકે જામીન આપવામાં આવ્યાં નહી પરંતુ આ કેસમાં આરોપીના ખૂબ જ વહેલા જામીન મંજૂર કરવામાં આવ્યાં છે.
શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતના કોર્ટે જામીન મંજૂર કર્યા
આ સમગ્ર કેસની વિગત એવી છે કે ગત શુક્રવારના રોજ સવારે 3 વાગ્યે અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલા 8 દર્દીઓના મોત નીપજ્યાં છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.