અમદાવાદઃ અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં આવેલા આઇસોલેશન વૉર્ડમાં ફરજ બજાવી રહેલા મહિલા તબીબ પર ઉપરની છત ધરાશાયી થતાં મહિલા તબીબ ઘાયલ થયા હતાં. હાલ જ્યાં તેઓ સારવાર હેઠળ છે.
સરસપુરમાં આવેલા શારદાબેન હોસ્પિટલમાં કોરોનાના આઇસોલેશન વૉર્ડમાં અચાનક જ છત ધરાશાયી થઈ હતી. જ્યાં મહિલા તબીબ ડૉ.મિતાલી ફરજ નિભાવી રહ્યાં હતાં, તે દરમિયાન છત તેમના પર પડતાં મહિલા તબીબને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જોકે આ ઘટના બાદ તુરંત તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ મહિલા તબીબ સારવાર હેઠળ છે.