ગાંધીનગર: રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની અનૌપચારિક શાળાઓ શરૂ થશે અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ વાલીઓની લેખિત મંજૂરી બાદ શાળામાં જઇને શિક્ષકોનું માર્ગદર્શન મેળવશે. જે બાબતે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગઢડા કરવામાં આવી હતી. જ્યારે રાજ્યમાં કોરોના સંક્રમણ વધુ છે. જેથી રાજ્ય પદ્મા 21 સપ્ટેમ્બરથી શાળા શરૂ નહીં કરવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે. હવે કોઇપણ વિદ્યાર્થી વાલીની પરવાનગી લઈને પણ શાળાએ જઈ શકશે નહીં. રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી શાળા નહીં ખુલે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા અનૌપચારિક ગાઈડલાઇન્સમાં 21 સપ્ટેમ્બરથી શાળા ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ મરજિયાત હોવાનું રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે.
આમ, હવે 21 સપ્ટેમ્બરથી જે શાળાઓ ખોલવાની તૈયારીઓ છે. જેના ઉપર રાજ્ય સરકારે આજે પૂર્ણવિરામ મૂકીને રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી શાળા નહીં ખોલવાનો નિર્ણય જાહેર કર્યો છે.