ETV Bharat / city

ગુજરાતમાં કોરોના કાળમાં વર્તમાન શિક્ષણ પરિસ્થિતિઓને લઈને શિક્ષણપ્રધાન કરશે ચર્ચા

વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાઈરસને લઈને શિક્ષણ અને પરીક્ષાઓને લઈને અસમંજસની સ્થિતી જોવા મળી રહી છે. સ્કૂલો ફરી શરૂ કરવી કે નહીં ? પરીક્ષાઓ લેવી કે નહીં ? કેવી રીતે પરીક્ષા લઇ શકાય ? વૈકલ્પિક શિક્ષણ કેવી રીતે આપી શકાય ? વગેરે અનેક પ્રશ્નો સર્જાયા છે. તેનો ઉકેલ શોધવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે.આ તમામ પ્રશ્નોને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ શિક્ષણ બોર્ડ પોતપોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ શિક્ષણ જગતના અગ્રણીઓ સાથે બેઠકો કરી રહ્યા છે.

author img

By

Published : Jul 8, 2020, 4:57 PM IST

etv bharat
etv bharat

અમદાવાદ : જ્યારે પ્રાથમિક શાળાના બાળકો માટે શાળાઓ શરૂ કરવામાં આવે તો તેઓ ચોક્કસ જ એકબીજાના સંપર્કમાં આવે અને કોરોના વાઇરસ ફેલાવાની શક્યતા વધી જાય છે. વળી જો કોઈ બાળકને આ વાઇરસ લાગુ પડે તો તેને આઇસોલેટ રાખવો શક્ય નથી. ત્યારે સરકાર સામે અને શિક્ષણ જગત માટે કોરોના વાઈરસથી બચીને શૈક્ષણિક કાર્ય કેવી રીતે શરૂ કરવું તેને લઈને અસમંજસની સ્થિતિ છે.આવા સમયે ગુજરાતની વર્તમાન શિક્ષણ પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે શાળા સંચાલકો અને શિક્ષણ જગત સાથે સંકળાયેલ વ્યક્તિઓ 9 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ચર્ચા કરશે.

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ શિક્ષણ જગતના અગ્રણીઓ સાથે બેઠકો કરી રહ્યા છે.

આ ચર્ચામાં શાળાકીય અને શૈક્ષણિક કાર્ય કેવી રીતે શરૂ કરવું તે મુખ્ય વિષય રહેશે. ખાસ કરીને શરૂઆતના તબક્કામાં શાળાઓ ક્યારે શરૂ કરવી, કેવી રીતે કરવી, બાળકોને કોરોનાથી સલામત રાખવા શાળાઓ કેવી વ્યવસ્થા ગોઠવશે વગેરે મુદ્દાઓ છે. જો કે, વર્તમાનમાં કેટલીક ઓનલાઇન મીટીંગો થઇ છે.જેમાં શાળાઓ શરૂ થાય તો વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપવું, હેન્ડ સેનિટાઈઝર રાખવું, તેમને હાથ ધોવા માટે પ્રોત્સાહિત કરવા વગેરેને લઈને ચર્ચાઓ થઈ છે.

  • શાળા સંચાલકો અને શિક્ષણ જગત સાથે સંકળાયેલ વ્યક્તિઓ 9 જુલાઈના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ચર્ચા કરશે.
  • શાળાકીય અને શૈક્ષણિક કાર્ય કેવી રીતે શરૂ કરવું તે મુખ્ય વિષય રહેશે.
  • સોશિયલ ડિસ્ટન્સ જાળવવું શાળામાં ખૂબ મુશ્કેલ છે.
  • ઓનલાઇન અને પ્રસાર માધ્યમોથી બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
  • તેને લઈને વાલીઓ અને શાળાઓમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

આ શિક્ષણ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નથી તેમ વાલીઓ માની રહ્યા છે. શાળાઓનું નવીન સંચાલન બે તબક્કામાં કરાય અને અડધા વિદ્યાર્થીઓને દિવસ દરમિયાન બીજા તબક્કામાં બોલાવાય તેવું આયોજન હાથ ધરાઇ રહ્યું છે. ઓગસ્ટ મહિના સુધી શાળાઓ શરૂ થવાની નથી.

ત્યારે કેન્દ્ર સરકાર શૈક્ષણિક કાર્યને લઇને ગાઈડલાઈન બનાવે તો તેને ગુજરાત સરકારે પણ ફોલો કરવી પડશે. ખાસ કરીને ધોરણ-1 થી 8 ના પ્રાથમિક વિભાગ માટે એટલી ઉતાવળ કરાશે નહીં. પરંતુ બોર્ડના વિદ્યાર્થીઓ ધોરણ-10 અને 12 માટે યોગ્ય વ્યવસ્થા કરવી જ રહેશે. સેન્ટ્રલ બોર્ડ દ્વારા હમણાં જ તેના સિલેબસમાં 30 ટકાનો ઘટાડો કરાયો છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા પણ આવો નિર્ણય લેવાઈ શકે છે. જે વાલીઓ પોતાના બાળકોના અભ્યાસને લઈને તણાવમાં છે. તેમને પણ રાહત મળી શકે તેમ છે.

અમદાવાદ : જ્યારે પ્રાથમિક શાળાના બાળકો માટે શાળાઓ શરૂ કરવામાં આવે તો તેઓ ચોક્કસ જ એકબીજાના સંપર્કમાં આવે અને કોરોના વાઇરસ ફેલાવાની શક્યતા વધી જાય છે. વળી જો કોઈ બાળકને આ વાઇરસ લાગુ પડે તો તેને આઇસોલેટ રાખવો શક્ય નથી. ત્યારે સરકાર સામે અને શિક્ષણ જગત માટે કોરોના વાઈરસથી બચીને શૈક્ષણિક કાર્ય કેવી રીતે શરૂ કરવું તેને લઈને અસમંજસની સ્થિતિ છે.આવા સમયે ગુજરાતની વર્તમાન શિક્ષણ પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે શાળા સંચાલકો અને શિક્ષણ જગત સાથે સંકળાયેલ વ્યક્તિઓ 9 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ચર્ચા કરશે.

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ શિક્ષણ જગતના અગ્રણીઓ સાથે બેઠકો કરી રહ્યા છે.

આ ચર્ચામાં શાળાકીય અને શૈક્ષણિક કાર્ય કેવી રીતે શરૂ કરવું તે મુખ્ય વિષય રહેશે. ખાસ કરીને શરૂઆતના તબક્કામાં શાળાઓ ક્યારે શરૂ કરવી, કેવી રીતે કરવી, બાળકોને કોરોનાથી સલામત રાખવા શાળાઓ કેવી વ્યવસ્થા ગોઠવશે વગેરે મુદ્દાઓ છે. જો કે, વર્તમાનમાં કેટલીક ઓનલાઇન મીટીંગો થઇ છે.જેમાં શાળાઓ શરૂ થાય તો વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપવું, હેન્ડ સેનિટાઈઝર રાખવું, તેમને હાથ ધોવા માટે પ્રોત્સાહિત કરવા વગેરેને લઈને ચર્ચાઓ થઈ છે.

  • શાળા સંચાલકો અને શિક્ષણ જગત સાથે સંકળાયેલ વ્યક્તિઓ 9 જુલાઈના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ચર્ચા કરશે.
  • શાળાકીય અને શૈક્ષણિક કાર્ય કેવી રીતે શરૂ કરવું તે મુખ્ય વિષય રહેશે.
  • સોશિયલ ડિસ્ટન્સ જાળવવું શાળામાં ખૂબ મુશ્કેલ છે.
  • ઓનલાઇન અને પ્રસાર માધ્યમોથી બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
  • તેને લઈને વાલીઓ અને શાળાઓમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

આ શિક્ષણ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નથી તેમ વાલીઓ માની રહ્યા છે. શાળાઓનું નવીન સંચાલન બે તબક્કામાં કરાય અને અડધા વિદ્યાર્થીઓને દિવસ દરમિયાન બીજા તબક્કામાં બોલાવાય તેવું આયોજન હાથ ધરાઇ રહ્યું છે. ઓગસ્ટ મહિના સુધી શાળાઓ શરૂ થવાની નથી.

ત્યારે કેન્દ્ર સરકાર શૈક્ષણિક કાર્યને લઇને ગાઈડલાઈન બનાવે તો તેને ગુજરાત સરકારે પણ ફોલો કરવી પડશે. ખાસ કરીને ધોરણ-1 થી 8 ના પ્રાથમિક વિભાગ માટે એટલી ઉતાવળ કરાશે નહીં. પરંતુ બોર્ડના વિદ્યાર્થીઓ ધોરણ-10 અને 12 માટે યોગ્ય વ્યવસ્થા કરવી જ રહેશે. સેન્ટ્રલ બોર્ડ દ્વારા હમણાં જ તેના સિલેબસમાં 30 ટકાનો ઘટાડો કરાયો છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા પણ આવો નિર્ણય લેવાઈ શકે છે. જે વાલીઓ પોતાના બાળકોના અભ્યાસને લઈને તણાવમાં છે. તેમને પણ રાહત મળી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.