અમદાવાદ: હાઈકોર્ટે આ મુદ્દે અગાઉ રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો હતો અને વધુ સુનાવણી 7મી જૂલાઈના રોજ નિયત કરી હતી. અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે તેમને પોતાના વતન બિહાર, યુપી અને મહારાષ્ટ્ર જવું હતું અને આ માટે તેમણે નોંધણી પણ કરાવી હતી જોકે સ્થાનિક પોલીસ દ્વારા શાપુરથી રાજકોટ રેલવે સ્ટેશન સુધી જવા માટે કોઈ વ્યવસ્થા ન કરાતાં મામલો બીચક્યો હતો.
પોલીસ દ્વારા રાજકોટ રેલવે સ્ટેશન જવાની સુવિધા ન કરાતાં તેઓ પગપાળા નીકળી ગયાં હતાં જેના ભાગરૂપે પોલિસે જાહેરનામાના અને કલમ 144નો ભંગ કરવા બદલ તેની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 17મી મેના રોજ રાજકોટ - ગોંડલ હાઈ-વે પર પોલીસ અને મજૂરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસાનો બનાવ બન્યો હતો.
હાઈકોર્ટે આ કેસમાં અમદાવાદ IIM ખાતે થયેલી હિંસા અને તેમાં ધરપકડ કરાયેલા લોકોના કેસને પણ ધ્યાનમાં લીધો હતો.