ETV Bharat / city

ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ

14 નવેમ્બરનો દિવસ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે, આ વર્ષે કોરોના મહામારી વચ્ચે 2020ના ડાયાબિટીસ ડે ની ઉજવણી નર્સ ડાયાબિટીસનો ભેદ સમજાવે” થીમ આધારીત કરવામાં આવી રહી છે. ડાયાબિટીસ દર્દીઓની સારવારથી લઇ સારસંભાળમાં નર્સનું મહત્વનું યોગદાન રહ્યું છે.

author img

By

Published : Nov 12, 2020, 9:41 PM IST

ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ
ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ
  • કોરોનાનું સંક્રમણ થાય ત્યારે સાયનસનું ઈન્ફેક્શન થાય છે
  • મ્યુકોરમાઇકોસીસની સમયસર સારવાર ન થાય તો ઘાતક સાબિત થઈ શકે છે
  • 14 નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડે

અમદાવાદ: કોરોના વાયરસ કોમોર્બિડ (ડાયાબિટીસ, બ્લડ પ્રેશર) જેવી અગાઉથી બીમારી ધરાવતા લોકો માટે ગંભીર સાબિત થયો છે. ડાયાબિટીસ ધરાવતાં દર્દીઓ ખાસ કરીને 50 વર્ષથી વધારાની ઉંમર ધરાવતા દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ થાય ત્યારે તેમને સાયનસનું ઈન્ફેક્શન થવાથી નાક અથવા આંખનો ભાગ ફંગલ ઈન્ફકેશનથી સંક્રમિત બનવાના કિસ્સાઓ બહાર આવ્યા છે, જેને "મ્યુકોરમાઇકોસીસ" કહેવામાં આવે છે. ડાયાબિટીસ દર્દીઓમાં મ્યુકોરમાઈકોસીસ (mucormycosis) કેમ સંવેદનશીલ છે તેના વિશે જાણીએ...

ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ
ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ
મ્યુકોરમાઈકોસીસની 30 દર્દીની સારવાર કરાઈ છેડાયાબિટીસ ધરાવતા કોરોનાગ્રસ્ત અને સામાન્ય દર્દીઓ કે જેઓને નાકમા તકલીફ ઊભી થાય અને સુંગધ ન આવે તેવા દર્દીઓએ ઈ.એન.ટી. તબીબોની તપાસ અર્થે જવું જોઈએ, તેમ અમદાવાદ સિવિલના ઈ.એન.ટી. વિભાગના વડા ડૉ. બેલા પ્રજાપતિ કહે છે. સામાન્ય સંજોગોમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગમાં મ્યુકોરમાઈકોસીસના 1થી 2 દર્દીઓનો ધસારો મહીના દરમિયાન રહેતો હોય છે. જ્યારથી કોરોના શરૂ થયો ત્યારથી અત્યાર સુધી અમદાવાદ સિવિલના ઈ.એન.ટી. વિભાગમાં કુલ 30 દર્દીઓ આ બિમારીની સારવાર કરાવી ગયા છે, જેઓની સર્જરી પણ કરવામાં આવી છે.
ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ
ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ
આ રોગની સંવેદનશીલતા વધારે હોય તો સર્જરી કરવી પડેમ્યુકોરમાઇકોસીસની સંવેદનશીલતા ટોચે પહોંચી જાય ત્યારે દર્દી સારવાર અર્થે આવે ત્યારે પહેલાથી જ સ્થિતિ વણસી ગયેલી હોવાના કારણે તેઓની સર્જરી કરવી જરૂરી બની રહે છે. જેથી આવા દર્દીઓએ સત્વરે સારવાર મેળવવી જોઈએ. સુગર વધી જાય તો ફંગસ થાય છેઃ ડૉ. દેવાંગ ગુપ્તાઈ.એન.ટી. વિભાગના ડૉ. દેવાંગ ગુપ્તા કહે છે કે, કોરોના મહામારીમાં ડાયાબિટીસ ધરાવતા વયસ્ક દર્દીઓમાં કોરોના વાયરસના સંક્રમણ અને તેના બાદ સાયનસનું ઈન્ફેક્શન થાય તો તેને સાદુ ઈન્ફેક્શન ન ગણી શકાય. ડાયાબિટીસ ધરાવતા ઘણાય દર્દીઓમાં સુગરની માત્રા નિયંત્રણમા રહેતી નથી, જેના કારણે ફંગસ થાય ત્યારે તે થ્રોમ્બોસીસમાં પરીણમે છે. એટલે કે શરીરના આંખ અથવા ચામડીના કોઈ ભાગને કાળુ કરી નાખે છે, ત્યાં લોહીનું ભ્રમણ અટકી જાય છે. આવા પ્રકારના ઈન્ફકેશનને મ્યુકોરમાઇકોસીસ નામનું ફંગસનું સંવેદનશીલ ઈન્ફેકશન કહી શકાય.
ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ
ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ


ઈન્ફેક્શનનું ઝેર આંખમાં ફેલાય છે
આ ઈન્ફેકશનમાં સમયસર અને યોગ્ય નિદાન અત્યંત જરૂરી બની રહે છે. પ્રાથમિક તબક્કે એન્ટીબાયોટિક દવાઓ દ્વારા આને રોકવાના પ્રયત્નો કરવામાં આવે છે. જો ઈન્ફેકશન સંવદેનશીલ બની જાય તો તેનું ઝહેર આંખોમાં ફેલાય ત્યારે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. દ્રષ્ટિ ગુમાવવાની પણ શક્યતાઓ પ્રબળ રહેલી છે. જે આગળ વધીને નાકના માધ્યમથી મગજમાં પ્રસરીને ઇન્ફેકશન ફેલાઇ શકે છે, જેના કારણે ઝેરી તાવ આવે છે અને દર્દીનું મૃત્યુ પણ નીપજી શકે છે. આ કારણોસર દર્દીને સમયસર સારવાર મળી રહે તે ખુબ જ જરૂરી છે.

નાક વાટે ફંગસ વધે તો આંખ પર સોજો આવે
ખેડબ્રહ્માના ઊંચી દલાલ ગામના અસ્મિતાબેન ચૌહાણને નાક વાટે ફંગસનું ઈન્ફેકશન વધી જતાં તેમને આંખ પર સતત સોજો રહેતો હતો. ધીમે ધીમે તેઓ આંખથી કંઈ પણ જોઈ શકવા માટે અશક્ત બની ગયા હતા, જે કારણોસર પરિવારજનો ચિંતાતુર બનીને તેમને ખેડબ્રહ્માની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા, પરંતુ ત્યાં નિદાન શક્ય ન બનતા તેઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું. સિવિલ હોસ્પિટલ લાવતા ખબર પડી કે અસ્મિતાબહેનને ફંગસનું ગંભીર ઈન્ફેકશન થયું છે, જેને મ્યુકોરમાઇકોસીસ કહે છે. જે નિયંત્રણ બહાર ફેલાઈ ગયું હતું, જે કારણોસર તેમની સર્જરી કરવામાં આવી હાલ તેઓ સ્વસ્થ છે.

જાણો... સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ શું કહે છે?
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે. પી. મોદી કહે છે કે, અમારે ત્યાં 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કોરોનાની સાથે મ્યુકોરમાઈકોસીસ બીમારીના ગંભીર લક્ષણો સાથે ઘણાય દર્દીઓ સારવાર અર્થે આવ્યા છે, તે તમામ દર્દીઓની અમારી હોસ્પિટલની ઈ.એન.ટી. વિભાગની નિષ્ણાંત ટીમ દ્વારા સફળ સર્જરી અને સારવાર કરવામાં આવી છે.

  • કોરોનાનું સંક્રમણ થાય ત્યારે સાયનસનું ઈન્ફેક્શન થાય છે
  • મ્યુકોરમાઇકોસીસની સમયસર સારવાર ન થાય તો ઘાતક સાબિત થઈ શકે છે
  • 14 નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડે

અમદાવાદ: કોરોના વાયરસ કોમોર્બિડ (ડાયાબિટીસ, બ્લડ પ્રેશર) જેવી અગાઉથી બીમારી ધરાવતા લોકો માટે ગંભીર સાબિત થયો છે. ડાયાબિટીસ ધરાવતાં દર્દીઓ ખાસ કરીને 50 વર્ષથી વધારાની ઉંમર ધરાવતા દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ થાય ત્યારે તેમને સાયનસનું ઈન્ફેક્શન થવાથી નાક અથવા આંખનો ભાગ ફંગલ ઈન્ફકેશનથી સંક્રમિત બનવાના કિસ્સાઓ બહાર આવ્યા છે, જેને "મ્યુકોરમાઇકોસીસ" કહેવામાં આવે છે. ડાયાબિટીસ દર્દીઓમાં મ્યુકોરમાઈકોસીસ (mucormycosis) કેમ સંવેદનશીલ છે તેના વિશે જાણીએ...

ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ
ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ
મ્યુકોરમાઈકોસીસની 30 દર્દીની સારવાર કરાઈ છેડાયાબિટીસ ધરાવતા કોરોનાગ્રસ્ત અને સામાન્ય દર્દીઓ કે જેઓને નાકમા તકલીફ ઊભી થાય અને સુંગધ ન આવે તેવા દર્દીઓએ ઈ.એન.ટી. તબીબોની તપાસ અર્થે જવું જોઈએ, તેમ અમદાવાદ સિવિલના ઈ.એન.ટી. વિભાગના વડા ડૉ. બેલા પ્રજાપતિ કહે છે. સામાન્ય સંજોગોમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગમાં મ્યુકોરમાઈકોસીસના 1થી 2 દર્દીઓનો ધસારો મહીના દરમિયાન રહેતો હોય છે. જ્યારથી કોરોના શરૂ થયો ત્યારથી અત્યાર સુધી અમદાવાદ સિવિલના ઈ.એન.ટી. વિભાગમાં કુલ 30 દર્દીઓ આ બિમારીની સારવાર કરાવી ગયા છે, જેઓની સર્જરી પણ કરવામાં આવી છે.
ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ
ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ
આ રોગની સંવેદનશીલતા વધારે હોય તો સર્જરી કરવી પડેમ્યુકોરમાઇકોસીસની સંવેદનશીલતા ટોચે પહોંચી જાય ત્યારે દર્દી સારવાર અર્થે આવે ત્યારે પહેલાથી જ સ્થિતિ વણસી ગયેલી હોવાના કારણે તેઓની સર્જરી કરવી જરૂરી બની રહે છે. જેથી આવા દર્દીઓએ સત્વરે સારવાર મેળવવી જોઈએ. સુગર વધી જાય તો ફંગસ થાય છેઃ ડૉ. દેવાંગ ગુપ્તાઈ.એન.ટી. વિભાગના ડૉ. દેવાંગ ગુપ્તા કહે છે કે, કોરોના મહામારીમાં ડાયાબિટીસ ધરાવતા વયસ્ક દર્દીઓમાં કોરોના વાયરસના સંક્રમણ અને તેના બાદ સાયનસનું ઈન્ફેક્શન થાય તો તેને સાદુ ઈન્ફેક્શન ન ગણી શકાય. ડાયાબિટીસ ધરાવતા ઘણાય દર્દીઓમાં સુગરની માત્રા નિયંત્રણમા રહેતી નથી, જેના કારણે ફંગસ થાય ત્યારે તે થ્રોમ્બોસીસમાં પરીણમે છે. એટલે કે શરીરના આંખ અથવા ચામડીના કોઈ ભાગને કાળુ કરી નાખે છે, ત્યાં લોહીનું ભ્રમણ અટકી જાય છે. આવા પ્રકારના ઈન્ફકેશનને મ્યુકોરમાઇકોસીસ નામનું ફંગસનું સંવેદનશીલ ઈન્ફેકશન કહી શકાય.
ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ
ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ


ઈન્ફેક્શનનું ઝેર આંખમાં ફેલાય છે
આ ઈન્ફેકશનમાં સમયસર અને યોગ્ય નિદાન અત્યંત જરૂરી બની રહે છે. પ્રાથમિક તબક્કે એન્ટીબાયોટિક દવાઓ દ્વારા આને રોકવાના પ્રયત્નો કરવામાં આવે છે. જો ઈન્ફેકશન સંવદેનશીલ બની જાય તો તેનું ઝહેર આંખોમાં ફેલાય ત્યારે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. દ્રષ્ટિ ગુમાવવાની પણ શક્યતાઓ પ્રબળ રહેલી છે. જે આગળ વધીને નાકના માધ્યમથી મગજમાં પ્રસરીને ઇન્ફેકશન ફેલાઇ શકે છે, જેના કારણે ઝેરી તાવ આવે છે અને દર્દીનું મૃત્યુ પણ નીપજી શકે છે. આ કારણોસર દર્દીને સમયસર સારવાર મળી રહે તે ખુબ જ જરૂરી છે.

નાક વાટે ફંગસ વધે તો આંખ પર સોજો આવે
ખેડબ્રહ્માના ઊંચી દલાલ ગામના અસ્મિતાબેન ચૌહાણને નાક વાટે ફંગસનું ઈન્ફેકશન વધી જતાં તેમને આંખ પર સતત સોજો રહેતો હતો. ધીમે ધીમે તેઓ આંખથી કંઈ પણ જોઈ શકવા માટે અશક્ત બની ગયા હતા, જે કારણોસર પરિવારજનો ચિંતાતુર બનીને તેમને ખેડબ્રહ્માની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા, પરંતુ ત્યાં નિદાન શક્ય ન બનતા તેઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું. સિવિલ હોસ્પિટલ લાવતા ખબર પડી કે અસ્મિતાબહેનને ફંગસનું ગંભીર ઈન્ફેકશન થયું છે, જેને મ્યુકોરમાઇકોસીસ કહે છે. જે નિયંત્રણ બહાર ફેલાઈ ગયું હતું, જે કારણોસર તેમની સર્જરી કરવામાં આવી હાલ તેઓ સ્વસ્થ છે.

જાણો... સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ શું કહે છે?
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે. પી. મોદી કહે છે કે, અમારે ત્યાં 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કોરોનાની સાથે મ્યુકોરમાઈકોસીસ બીમારીના ગંભીર લક્ષણો સાથે ઘણાય દર્દીઓ સારવાર અર્થે આવ્યા છે, તે તમામ દર્દીઓની અમારી હોસ્પિટલની ઈ.એન.ટી. વિભાગની નિષ્ણાંત ટીમ દ્વારા સફળ સર્જરી અને સારવાર કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.