ETV Bharat / city

રાજ્ય સરકારના 23 નવેમ્બરથી શાળાઓ શરૂ કરવાના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ

author img

By

Published : Nov 11, 2020, 7:15 PM IST

રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારની SOP મુજબ દિવાળી બાદ 23 નવેમ્બરથી પ્રાથમિક શિક્ષણ સિવાયની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, મેડિકલ, પેરામેડિકલ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણસંસ્થાઓ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લગભગ 8 મહિના બાદ શિક્ષણ કાર્ય ભૌતિક રીતે શરૂ કરવામાં આવશે. જો કે તે ફરજીયાત નહીં હોય.

શાળાઓ શરૂ કરવાના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ
શાળાઓ શરૂ કરવાના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ
  • 23 નવેમ્બરથી ફરી ખુલશે શાળાઓ
  • કોરોના વાઈરસને લઈને રાખવામાં આવશે તકેદારી
  • વાલી મંડળે શાળાઓ ખોલવાના નિર્ણયનો કર્યો વિરોધ

અમદાવાદઃ રાજ્ય સરકારે દિવાળી બાદ શાળાઓ અને કોલેજ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે સરકારના આ નિર્ણયને લઈને શિક્ષણવિદો, શાળા સંચાલકો, વાલીઓ વગેરેએ મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. શાળા સંચાલકોનું કહેવું છે કે, શાળાઓ છેલ્લા 8 મહિનાથી બંધ છે. ધીમે-ધીમે જ્યારે બધું જ અનલોક થઈ ગયું છે, ત્યારે શાળાઓ પણ ખુલવી જરૂરી હતી. આ રીતે તેઓ સરકારના નિર્ણયને વધાવે છે. સાથે કોરોના વાઈરસને લઈને યોગ્ય તકેદારી રાખવી પણ ખૂબ જ જરૂરી બની છે.

શાળાઓ શરૂ કરવાના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ
શાળાઓ શરૂ કરવાના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ

વાલીઓએ સરકારના આ નિર્ણયને લઈને મિશ્ર પ્રતિસાદ આપ્યો

વાલીઓએ પણ સરકારના આ નિર્ણયને લઈને મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. જ્યારે વાલી મંડળે સરકારના નિર્ણયનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, સરકારે જુદા - જુદા પક્ષો સાથે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લીધો છે, તેમાં વાલીઓનો સમાવેશ કરાયો નથી. હજુ પણ શાળાઓ બે મહિના બાદ ખોલવી જોઇએ. કારણ કે, અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. તેમજ શિયાળામાં શરદી-ઉધરસના કારણે પણ કોરોના વાઈરસના કેસ વધવાની સંભાવના છે.

શાળાઓ શરૂ કરવાના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ

જે રાજ્યોમાં શાળાઓ ખુલી છે, ત્યાં સ્થિતિ ખરાબ

અનલોકમાં દેશમાં જે અન્ય રાજ્યોએ શાળાઓ ખોલી છે, ત્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. વળી વિધાર્થીઓની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી વાલીઓ અને શાળોઓના માથે થોપી દેવી પણ યોગ્ય નથી, સરકારે પણ જવાબદારી સ્વીકારવી જોઈએ.

જો કે, પ્રાથમિક શાળાઓ નહીં ખુંલતા, એક ઉંમરથી વધીને સમજુ બાળકો જ શાળાએ આવશે. જે પોતાને કોરોનાથી સુરક્ષિત રાખવા સક્ષમ હશે.

  • 23 નવેમ્બરથી ફરી ખુલશે શાળાઓ
  • કોરોના વાઈરસને લઈને રાખવામાં આવશે તકેદારી
  • વાલી મંડળે શાળાઓ ખોલવાના નિર્ણયનો કર્યો વિરોધ

અમદાવાદઃ રાજ્ય સરકારે દિવાળી બાદ શાળાઓ અને કોલેજ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે સરકારના આ નિર્ણયને લઈને શિક્ષણવિદો, શાળા સંચાલકો, વાલીઓ વગેરેએ મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. શાળા સંચાલકોનું કહેવું છે કે, શાળાઓ છેલ્લા 8 મહિનાથી બંધ છે. ધીમે-ધીમે જ્યારે બધું જ અનલોક થઈ ગયું છે, ત્યારે શાળાઓ પણ ખુલવી જરૂરી હતી. આ રીતે તેઓ સરકારના નિર્ણયને વધાવે છે. સાથે કોરોના વાઈરસને લઈને યોગ્ય તકેદારી રાખવી પણ ખૂબ જ જરૂરી બની છે.

શાળાઓ શરૂ કરવાના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ
શાળાઓ શરૂ કરવાના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ

વાલીઓએ સરકારના આ નિર્ણયને લઈને મિશ્ર પ્રતિસાદ આપ્યો

વાલીઓએ પણ સરકારના આ નિર્ણયને લઈને મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. જ્યારે વાલી મંડળે સરકારના નિર્ણયનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, સરકારે જુદા - જુદા પક્ષો સાથે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લીધો છે, તેમાં વાલીઓનો સમાવેશ કરાયો નથી. હજુ પણ શાળાઓ બે મહિના બાદ ખોલવી જોઇએ. કારણ કે, અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. તેમજ શિયાળામાં શરદી-ઉધરસના કારણે પણ કોરોના વાઈરસના કેસ વધવાની સંભાવના છે.

શાળાઓ શરૂ કરવાના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ

જે રાજ્યોમાં શાળાઓ ખુલી છે, ત્યાં સ્થિતિ ખરાબ

અનલોકમાં દેશમાં જે અન્ય રાજ્યોએ શાળાઓ ખોલી છે, ત્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. વળી વિધાર્થીઓની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી વાલીઓ અને શાળોઓના માથે થોપી દેવી પણ યોગ્ય નથી, સરકારે પણ જવાબદારી સ્વીકારવી જોઈએ.

જો કે, પ્રાથમિક શાળાઓ નહીં ખુંલતા, એક ઉંમરથી વધીને સમજુ બાળકો જ શાળાએ આવશે. જે પોતાને કોરોનાથી સુરક્ષિત રાખવા સક્ષમ હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.