ETV Bharat / city

નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ એવા હિમાલયની દીકરી શૈલપુત્રીના મહિમાં વિશે જાણો

author img

By

Published : Oct 7, 2021, 11:38 AM IST

Updated : Oct 7, 2021, 2:09 PM IST

આજે નવરાત્રીનો શુભારંભ થઈ રહ્યો છે, માતા નવદુર્ગાના નવ સ્વરુપોની શાસ્ત્રોક્ત પૂજા આરાધનાનો પ્રસાદ. માતાની આરાધના, આધ્યાત્મજીવનનો આગવો અનુભવ અને રાત્રીના ઝગમગતા તારલાઓ વચ્ચે ખેલાતા ગરબાની અદભૂત ત્રિવેણી એવી નવરાત્રીની શક્તિ-ભક્તિ આગામી વર્ષ સુધી ભક્તને અનોખું બળ પૂરતી રહે છે. નવરાત્રીમાં પ્રથમ નોરતે માઁ શૈલપુત્રીની આરાધના કરવામાં આવે આવતી હોય છે.

નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ એવા હિમાલયની દીકરી શૈલપુત્રીના મહિમાં વિશે જાણો
નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ એવા હિમાલયની દીકરી શૈલપુત્રીના મહિમાં વિશે જાણો

  • નવરાત્રીમાં પ્રથમ નોરતે માઁ શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે
  • માતા સતી બીજા જન્મે હિમાલયને ત્યાં જન્મ્યા જેથી તેઓ શૈલપુત્રી કહેવાયા
  • શૈલપુત્રીનું વાહન વૃષભ માનવામાં આવે છે
  • નૈવેધ તરીકે ગાયના શુદ્ધ ઘીનો ભોગ ધરાવવામાં આવે

અમદાવાદ : નવદુર્ગાના નવ સ્વરૂપો પૈકીનું પ્રથમ સ્વરૂપ એટલે શૈલપુત્રી, માતા પાર્વતીના પિતા દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કરવા યજ્ઞનું આયોજન કર્યું હતું. જેમાં સર્વ દેવી-દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ શિવજીને આમંત્રણ અપાયું નહીં. માતા સતીએ જોયું કે, પોતાના પિતાએ યોજેલ યજ્ઞમાં તેમના પતિને સ્થાન અપાયું નથી. આથી તેમણે પોતાના શરીરને યોગાગ્નિથી ભસ્મ કર્યું નાખ્યું. માતા સતી બીજા જન્મે હિમાલયને ત્યાં જન્મ્યા જેથી તેઓ શૈલપુત્રી કહેવાયા.

નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ એવા હિમાલયની દીકરી શૈલપુત્રીના મહિમાં વિશે જાણો

શૈલપુત્રીને સફેદ વસ્ત્ર અને પુષ્પ અર્પણ કરવા

માં પાર્વતીએ દ્રઢ પ્રતિજ્ઞા કરી કે, કોટી જન્મ સુધી તપસ્યા કેમ ન કરવી પડે, પરંતુ તેઓ શિવજીને પતિ તરીકે પામીને જ રહેશે. જેમાં તેઓ સફળ થયા. શિવજીએ માતાની તપસ્યાથી પ્રસન્ન થઈ તેમની સાથે વિવાહ કર્યા. આમ શૈલપુત્રીની આરાધના કરવાથી કન્યાઓને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે. સુખ:દુખ, ચડતી-પડતીમાં મનુષ્યમાં સ્થિરતા આવે છે. શૈલપુત્રીને સફેદ વસ્ત્ર અને સફેદ પુષ્પ અર્પણ કરી તેમની પૂજા કરવી જોઈએ.

નવરાત્રીના પ્રથમ નોરતે માઁ શૈલપુત્રીની પૂજા

નવરાત્રીના પ્રથમ નોરતે માતા ભવાનીનું પ્રથમ સ્વરુપ પૂજાય છે તેને શૈલપુત્રી સ્વરુપ કહેવાય. ભક્તો આ દિવસે માના સ્વરુપને જે પ્રકારે ચિંતવે છે, તે શૈલપુત્રી તરીકે મહિમાગાન કરવામાં આવે છે. શૈલ એટલે કે પર્વત. પર્વતના પુત્રી-શૈલપુત્રી કહેવાયા છે. માર્કંડેયપૂરાણમાં ઉલ્લેખયાં પ્રમાણે હિમાલયપુત્રીના આ સ્વરુપને નવદુ્ર્ગાના નવ સ્વરુપોમાં પ્રથમ સ્વરુપ તરીકે સ્થાન અપાયું છે. દેવીનું આ નામ હિમાલયને ઘેર પુત્રી તરીકે જન્મ લેવાથી પડ્યું છે. હિમાલય આપણી શક્તિ, દૃઢતા, આધાર તથા સ્થિરતાનો પ્રતિક છે. મનુષ્યજીવનમાં દૃઢતા, સ્થિરતા તથા આધારનું મહત્વ સર્વપ્રથમ છે, એટલે આ દિવસે આપણા જીવનમાં સ્થાયિત્વ તથા શક્તિમાન બનવા માટે માતા શૈલપુત્રી પાસે પ્રાર્થના કરવી જોઈએ. શૈલપુત્રીની આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે.

માતા શૈલપુત્રીનું વાહન વૃષભ માનવામાં આવે છે

હિમાલયની ઉત્તુગતાંના શિખરે વિરાજતા ચંદ્રની શીતળતા સમાન સાત્વિક ધ્યેય પ્રાપ્ત કરાવે તેવા માતા શૈલપુત્રીનું વાહન વૃષભ માનવામાં આવે છે. તેમના વરદ હસ્તમાં ત્રિશૂળ અને વામ હસ્તમાં કમળનું પુષ્પ ભક્તના માનસહૃદયમાં પમરાટ ફેલાવે છે. તેમની સ્તુતિ સ્વરુપે આ વચનો બોલવામાં આવે છે.

વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધકૃત શેખરામ્ । વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।

ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુકિત, મુકિત દાયિની,શૈલપુત્રીં પ્રણમામ્યહમ્।।

નૈવેધ તરીકે ગાયના શુદ્ધ ઘીનો ભોગ ધરાવવામાં આવે

અર્થાત હે માઁ ભગવતી આપ મનુષ્યોને મનવાંછિત લાભ અને ફળ આપનારા છો. આપ વૃષભ પર બિરાજમાન થઈ ત્રિશુલ અને કમળ ધારણ કરો છો. આપના ભાલે દિવ્ય તેજસમાન ચંદ્રમા ધારણ કરેલો છે. હે માઁ શૈલપુત્રી, તમે યશસ્વિની છો. સમસ્ત જગતને, ભક્તોને યશ અને તમામ સુખ આપનારા રક્ષા કરનારા છો. માતાજીની મહાપૂજામાં નૈવેધઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂળાધારચક્રમાં સ્થિત કરે છે અને યોગસાધનાનો આરંભ કરે છે. પહેલાં દિવસે માતાજીની મહાપૂજા અંતર્ગત નૈવેધ તરીકે ગાયના શુદ્ધ ઘીનો ભોગ ધરાવવામાં આવે છે.

આ પણ વાંચો : નવલાં નોરતાનો શુભારંભ : પ્રથમ નોરતે આ રીતે કરો માઁ શૈલપુત્રીની આરાધના

આ પણ વાંચો : PM Modi આજે ઉત્તરાખંડના પ્રવાસે, ઋષિકેશ AIIMSમાં 35 PSA Plantsનું કરશે ઉદ્ઘાટન

  • નવરાત્રીમાં પ્રથમ નોરતે માઁ શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે
  • માતા સતી બીજા જન્મે હિમાલયને ત્યાં જન્મ્યા જેથી તેઓ શૈલપુત્રી કહેવાયા
  • શૈલપુત્રીનું વાહન વૃષભ માનવામાં આવે છે
  • નૈવેધ તરીકે ગાયના શુદ્ધ ઘીનો ભોગ ધરાવવામાં આવે

અમદાવાદ : નવદુર્ગાના નવ સ્વરૂપો પૈકીનું પ્રથમ સ્વરૂપ એટલે શૈલપુત્રી, માતા પાર્વતીના પિતા દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કરવા યજ્ઞનું આયોજન કર્યું હતું. જેમાં સર્વ દેવી-દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ શિવજીને આમંત્રણ અપાયું નહીં. માતા સતીએ જોયું કે, પોતાના પિતાએ યોજેલ યજ્ઞમાં તેમના પતિને સ્થાન અપાયું નથી. આથી તેમણે પોતાના શરીરને યોગાગ્નિથી ભસ્મ કર્યું નાખ્યું. માતા સતી બીજા જન્મે હિમાલયને ત્યાં જન્મ્યા જેથી તેઓ શૈલપુત્રી કહેવાયા.

નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ એવા હિમાલયની દીકરી શૈલપુત્રીના મહિમાં વિશે જાણો

શૈલપુત્રીને સફેદ વસ્ત્ર અને પુષ્પ અર્પણ કરવા

માં પાર્વતીએ દ્રઢ પ્રતિજ્ઞા કરી કે, કોટી જન્મ સુધી તપસ્યા કેમ ન કરવી પડે, પરંતુ તેઓ શિવજીને પતિ તરીકે પામીને જ રહેશે. જેમાં તેઓ સફળ થયા. શિવજીએ માતાની તપસ્યાથી પ્રસન્ન થઈ તેમની સાથે વિવાહ કર્યા. આમ શૈલપુત્રીની આરાધના કરવાથી કન્યાઓને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે. સુખ:દુખ, ચડતી-પડતીમાં મનુષ્યમાં સ્થિરતા આવે છે. શૈલપુત્રીને સફેદ વસ્ત્ર અને સફેદ પુષ્પ અર્પણ કરી તેમની પૂજા કરવી જોઈએ.

નવરાત્રીના પ્રથમ નોરતે માઁ શૈલપુત્રીની પૂજા

નવરાત્રીના પ્રથમ નોરતે માતા ભવાનીનું પ્રથમ સ્વરુપ પૂજાય છે તેને શૈલપુત્રી સ્વરુપ કહેવાય. ભક્તો આ દિવસે માના સ્વરુપને જે પ્રકારે ચિંતવે છે, તે શૈલપુત્રી તરીકે મહિમાગાન કરવામાં આવે છે. શૈલ એટલે કે પર્વત. પર્વતના પુત્રી-શૈલપુત્રી કહેવાયા છે. માર્કંડેયપૂરાણમાં ઉલ્લેખયાં પ્રમાણે હિમાલયપુત્રીના આ સ્વરુપને નવદુ્ર્ગાના નવ સ્વરુપોમાં પ્રથમ સ્વરુપ તરીકે સ્થાન અપાયું છે. દેવીનું આ નામ હિમાલયને ઘેર પુત્રી તરીકે જન્મ લેવાથી પડ્યું છે. હિમાલય આપણી શક્તિ, દૃઢતા, આધાર તથા સ્થિરતાનો પ્રતિક છે. મનુષ્યજીવનમાં દૃઢતા, સ્થિરતા તથા આધારનું મહત્વ સર્વપ્રથમ છે, એટલે આ દિવસે આપણા જીવનમાં સ્થાયિત્વ તથા શક્તિમાન બનવા માટે માતા શૈલપુત્રી પાસે પ્રાર્થના કરવી જોઈએ. શૈલપુત્રીની આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે.

માતા શૈલપુત્રીનું વાહન વૃષભ માનવામાં આવે છે

હિમાલયની ઉત્તુગતાંના શિખરે વિરાજતા ચંદ્રની શીતળતા સમાન સાત્વિક ધ્યેય પ્રાપ્ત કરાવે તેવા માતા શૈલપુત્રીનું વાહન વૃષભ માનવામાં આવે છે. તેમના વરદ હસ્તમાં ત્રિશૂળ અને વામ હસ્તમાં કમળનું પુષ્પ ભક્તના માનસહૃદયમાં પમરાટ ફેલાવે છે. તેમની સ્તુતિ સ્વરુપે આ વચનો બોલવામાં આવે છે.

વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધકૃત શેખરામ્ । વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।

ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુકિત, મુકિત દાયિની,શૈલપુત્રીં પ્રણમામ્યહમ્।।

નૈવેધ તરીકે ગાયના શુદ્ધ ઘીનો ભોગ ધરાવવામાં આવે

અર્થાત હે માઁ ભગવતી આપ મનુષ્યોને મનવાંછિત લાભ અને ફળ આપનારા છો. આપ વૃષભ પર બિરાજમાન થઈ ત્રિશુલ અને કમળ ધારણ કરો છો. આપના ભાલે દિવ્ય તેજસમાન ચંદ્રમા ધારણ કરેલો છે. હે માઁ શૈલપુત્રી, તમે યશસ્વિની છો. સમસ્ત જગતને, ભક્તોને યશ અને તમામ સુખ આપનારા રક્ષા કરનારા છો. માતાજીની મહાપૂજામાં નૈવેધઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂળાધારચક્રમાં સ્થિત કરે છે અને યોગસાધનાનો આરંભ કરે છે. પહેલાં દિવસે માતાજીની મહાપૂજા અંતર્ગત નૈવેધ તરીકે ગાયના શુદ્ધ ઘીનો ભોગ ધરાવવામાં આવે છે.

આ પણ વાંચો : નવલાં નોરતાનો શુભારંભ : પ્રથમ નોરતે આ રીતે કરો માઁ શૈલપુત્રીની આરાધના

આ પણ વાંચો : PM Modi આજે ઉત્તરાખંડના પ્રવાસે, ઋષિકેશ AIIMSમાં 35 PSA Plantsનું કરશે ઉદ્ઘાટન

Last Updated : Oct 7, 2021, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.