ETV Bharat / city

અમદાવાદમાં 42,000 લારી ગલ્લા વાળાને 100 રૂપિયા ચાર્જ લઈને લાયસન્સ આપ્યું

author img

By

Published : Nov 17, 2021, 7:27 PM IST

રાજકોટ, ભાવનગર, જામનગર અને બરોડા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉપર તબાહી (Ahmedabad nonveg ban) મચાવવામાં આવી હતી, પરંતુ હવે અમદાવાદના જાહેર રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ હોય તેવી તમામ લારી હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં 42,000 લારી ગલ્લા વાળાને 100 રૂપિયા ચાર્જ લઈને લાયસન્સ આપ્યું
અમદાવાદમાં 42,000 લારી ગલ્લા વાળાને 100 રૂપિયા ચાર્જ લઈને લાયસન્સ આપ્યું
  • અમદાવાદના લારી ગલ્લા સંચાલકો કોર્પોરેશન સાથે લડી લેવાના મૂડમાં
  • 100 રૂપિયાનો ચાર્જ વસુલ કરી 42,000 લારી ગલ્લાને પરવાનગી
  • અનેક લોકોએ લીધી લોન હવે હપ્તા ચુકવવામાં વાંધો

અમદાવાદ: રાજકોટ, ભાવનગર, જામનગર અને બરોડા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉપર તબાહી મચાવવામાં આવી હતી, પરંતુ હવે અમદાવાદના જાહેર રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ હોય તેવી તમામ લારી હટાવવા (Ahmedabad nonveg ban)ની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે આજે લારી-ગલ્લા એસોસિએશન (Ahmedabad Lari Gallawalas ) દ્વારા નરોડા ખાતે રસ્તા પર જ એક બેઠક યોજીને હાઈકોર્ટમાં જવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2016માં થયેલા પરિપત્રનો અમલ અત્યારે કરાઇ રહ્યા હોવાની ચર્ચા પણ કરવામાં આવી હતી.

અમદાવાદના લારી ગલ્લા સંચાલકો કોર્પોરેશન સાથે લડી લેવાના મૂડમાં

અમદાવાદમાં 42,000 લારી ગલ્લાવાળાને લાયસન્સ આપવામા આવ્યું

આ બાબતે ETV ભારત સાથે રાકેશ મહેરીયાએ ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં એક લાખ 20,000 જેટલી લારી-ગલ્લાને રોજીરોટી મળી રહ્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2019માં એક ખાનગી કંપની સાથે સર્વે કરાયા બાદ અમદાવાદના કુલ 42,000 જેટલા પાથરણા અને લારી ગલ્લાવાળાને લાયસન્સ આપવામાં આવ્યા હતા. આ લાયસન્સ આપવા માટે એક ખાનગી કંપની સાથે સર્વે પણ કરવામાં આવ્યો હતો અને 100 રૂપિયાનો ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. આમ કુલ 42 લાખ રૂપિયા વસુલ કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં 42,000 લારી ગલ્લા વાળાને 100 રૂપિયા ચાર્જ લઈને લાયસન્સ આપ્યું
અમદાવાદમાં 42,000 લારી ગલ્લા વાળાને 100 રૂપિયા ચાર્જ લઈને લાયસન્સ આપ્યું

હવે લારીઓ અડચણ રૂપ હશે તે ઉપાડી લેવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમદાવાદના જાહેર રોડ રસ્તામાં જે પણ લારી-ગલ્લા કે જે અડચણરૂપ હશે તેને દબાણ ખાતા દ્વારા ઉઠાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે બાબતે મહેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલા ઈંડા અને નોનવેજની લારીઓ ઉઠાવવાનો હુકમ કર્યો હતો, પરંતુ હવે તમામ પ્રકારની લારીઓ ઉઠાવવાની વાત કરવામાં આવી છે. જેના કારણે અમદાવાદમાં રસ્તા પર પોતાની રોજી રોટી અને આજીવિકા મેળવતા સામાન્ય લોકોને પોતાના જીવન ગુજારવા માટે અનેક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. એક લારી ગલ્લામાં પરિવારના પાંચ જેટલા સભ્યો પોતાનો જીવનનિર્વાહ કરે છે, ત્યારે અમદાવાદ શહેરમાં કુલ 2 લાખ લોકો કઈ રીતે જીવન નિર્વાહ કરશે તે મોટો પ્રશ્ન ઉભો થયો છે.

અમદાવાદમાં 42,000 લારી ગલ્લા વાળાને 100 રૂપિયા ચાર્જ લઈને લાયસન્સ આપ્યું
અમદાવાદમાં 42,000 લારી ગલ્લા વાળાને 100 રૂપિયા ચાર્જ લઈને લાયસન્સ આપ્યું

હાઇકોર્ટમાં કરવામાં આવશે અરજી

રાકેશ મહેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ રસ્તા ઉપર આવેલા તમામ લારી-ગલ્લા સાથે એક ખાસ બેઠક કરવામાં આવી રહી છે, દરેક વિસ્તારમાં જઇને બેઠક કરવામાં આવી રહી છે, ત્યારે હાઈકોર્ટના વકીલ આદ્યાત્મિક સાથે પણ ચર્ચા કરીને ટૂંક જ સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે.

અનેક લોકોએ પીએમ અંત્યોદય યોજના હેઠળ લીધી લોન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 42,000 જેટલા લારી ગલ્લાને લાયસન્સ આપવામાં આવ્યા છે અને આ લાયસન્સના આધારે જ અનેક લોકોએ અંત્યોદય યોજના મુજબ ૧૦,૦૦૦ રૂપિયાની લોન પણ પ્રાપ્ત કરી છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અચાનક જ લારી હટાવવાનો નિર્ણય કરતા જે લોકોએ લોન લીધી છે તે લોકોને હવે હપ્તા ભરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં જાહેર રસ્તા પરથી તમામ ઈંડાની લારી હટાવાનો લેવાયો નિર્ણય

આ પણ વાંચો: જાણો, સુરતમાં શા માટે ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી?

  • અમદાવાદના લારી ગલ્લા સંચાલકો કોર્પોરેશન સાથે લડી લેવાના મૂડમાં
  • 100 રૂપિયાનો ચાર્જ વસુલ કરી 42,000 લારી ગલ્લાને પરવાનગી
  • અનેક લોકોએ લીધી લોન હવે હપ્તા ચુકવવામાં વાંધો

અમદાવાદ: રાજકોટ, ભાવનગર, જામનગર અને બરોડા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉપર તબાહી મચાવવામાં આવી હતી, પરંતુ હવે અમદાવાદના જાહેર રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ હોય તેવી તમામ લારી હટાવવા (Ahmedabad nonveg ban)ની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે આજે લારી-ગલ્લા એસોસિએશન (Ahmedabad Lari Gallawalas ) દ્વારા નરોડા ખાતે રસ્તા પર જ એક બેઠક યોજીને હાઈકોર્ટમાં જવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2016માં થયેલા પરિપત્રનો અમલ અત્યારે કરાઇ રહ્યા હોવાની ચર્ચા પણ કરવામાં આવી હતી.

અમદાવાદના લારી ગલ્લા સંચાલકો કોર્પોરેશન સાથે લડી લેવાના મૂડમાં

અમદાવાદમાં 42,000 લારી ગલ્લાવાળાને લાયસન્સ આપવામા આવ્યું

આ બાબતે ETV ભારત સાથે રાકેશ મહેરીયાએ ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં એક લાખ 20,000 જેટલી લારી-ગલ્લાને રોજીરોટી મળી રહ્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2019માં એક ખાનગી કંપની સાથે સર્વે કરાયા બાદ અમદાવાદના કુલ 42,000 જેટલા પાથરણા અને લારી ગલ્લાવાળાને લાયસન્સ આપવામાં આવ્યા હતા. આ લાયસન્સ આપવા માટે એક ખાનગી કંપની સાથે સર્વે પણ કરવામાં આવ્યો હતો અને 100 રૂપિયાનો ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. આમ કુલ 42 લાખ રૂપિયા વસુલ કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં 42,000 લારી ગલ્લા વાળાને 100 રૂપિયા ચાર્જ લઈને લાયસન્સ આપ્યું
અમદાવાદમાં 42,000 લારી ગલ્લા વાળાને 100 રૂપિયા ચાર્જ લઈને લાયસન્સ આપ્યું

હવે લારીઓ અડચણ રૂપ હશે તે ઉપાડી લેવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમદાવાદના જાહેર રોડ રસ્તામાં જે પણ લારી-ગલ્લા કે જે અડચણરૂપ હશે તેને દબાણ ખાતા દ્વારા ઉઠાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે બાબતે મહેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલા ઈંડા અને નોનવેજની લારીઓ ઉઠાવવાનો હુકમ કર્યો હતો, પરંતુ હવે તમામ પ્રકારની લારીઓ ઉઠાવવાની વાત કરવામાં આવી છે. જેના કારણે અમદાવાદમાં રસ્તા પર પોતાની રોજી રોટી અને આજીવિકા મેળવતા સામાન્ય લોકોને પોતાના જીવન ગુજારવા માટે અનેક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. એક લારી ગલ્લામાં પરિવારના પાંચ જેટલા સભ્યો પોતાનો જીવનનિર્વાહ કરે છે, ત્યારે અમદાવાદ શહેરમાં કુલ 2 લાખ લોકો કઈ રીતે જીવન નિર્વાહ કરશે તે મોટો પ્રશ્ન ઉભો થયો છે.

અમદાવાદમાં 42,000 લારી ગલ્લા વાળાને 100 રૂપિયા ચાર્જ લઈને લાયસન્સ આપ્યું
અમદાવાદમાં 42,000 લારી ગલ્લા વાળાને 100 રૂપિયા ચાર્જ લઈને લાયસન્સ આપ્યું

હાઇકોર્ટમાં કરવામાં આવશે અરજી

રાકેશ મહેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ રસ્તા ઉપર આવેલા તમામ લારી-ગલ્લા સાથે એક ખાસ બેઠક કરવામાં આવી રહી છે, દરેક વિસ્તારમાં જઇને બેઠક કરવામાં આવી રહી છે, ત્યારે હાઈકોર્ટના વકીલ આદ્યાત્મિક સાથે પણ ચર્ચા કરીને ટૂંક જ સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે.

અનેક લોકોએ પીએમ અંત્યોદય યોજના હેઠળ લીધી લોન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 42,000 જેટલા લારી ગલ્લાને લાયસન્સ આપવામાં આવ્યા છે અને આ લાયસન્સના આધારે જ અનેક લોકોએ અંત્યોદય યોજના મુજબ ૧૦,૦૦૦ રૂપિયાની લોન પણ પ્રાપ્ત કરી છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અચાનક જ લારી હટાવવાનો નિર્ણય કરતા જે લોકોએ લોન લીધી છે તે લોકોને હવે હપ્તા ભરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં જાહેર રસ્તા પરથી તમામ ઈંડાની લારી હટાવાનો લેવાયો નિર્ણય

આ પણ વાંચો: જાણો, સુરતમાં શા માટે ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.