ETV Bharat / city

GTU ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

author img

By

Published : Jul 24, 2021, 7:36 PM IST

ગુરુપૂર્ણિમા ( Guru Purnima 2021 )નો પાવન પર્વ ભારે ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવવામાં આવી રહ્યો હોય છે. ગુરુ અને શિષ્યની પરંપરાને હિન્દુ ધર્મમાં ઉજળી પરંપરા માનવામાં આવે છે, તે મુજબ આજે શનિવારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ( GTU ) ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ( Governor Acharya Devvrat ) ઉપસ્થિત રહ્યા હતા.

GTU ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ
GTU ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ
  • ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી
  • ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત
  • યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલરએ કર્યું પોતાના શિક્ષકોનું સન્માન

અમદાવાદ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ( GTU ) ચાંદખેડા ખાતે ગુરૂપૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ( Governor Acharya Devvrat ) ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમણે જણાવ્યું હતું કે, ગુરુ-શિષ્ય પરંપરા એ ભારત વર્ષની વિશેષતા છે. પ્રાચીન અને વર્તમાન કાળમાં પણ ભારતે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. તેના પાયાના મૂળમાં ગુરુ શિષ્ય પરંપરા રહી છે.

આ પણ વાંચો: ભવનાથમાં આવેલા ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

વ્યવહારમાં ગુરુના સંસ્કાર ઉજાગર કરવા

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. નવીન શેઠે ( Vice Chancellor Naveen Seth ) જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીએ માતા-પિતા અને પોતાના ગુરુજનો પાસેથી મળેલા સંસ્કાર ક્યારેય પણ ભૂલવા ન જોઈએ. પોતાના વ્યવહારથી તેમના સંસ્કાર ઉજાગર કરવા જોઈએ. આ ઉપરાંત કુલપતિએ પોતાના શાળાકીય જીવન દરમિયાન તેમને ભણાવાનારા શિક્ષકોનું પૂજન કર્યું હતું. તેમજ કુલપતિ પદને મળેલી 51 ભેટના, 52 હજાર રૂપિયા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં જમા કરાવ્યા હતા.

આ પણ વાંચો: માંગરોલની દરગાહમાં ગુરુપૂર્ણિમાની કરાઈ ઉજવણી, માનવતાનું ઉત્તમ ઉદાહરણ

આજની પેઢીને આ પર્વનું મહત્વ સમજવું જરૂરી : નવીન શેઠ

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નવીન શેઠે જણાવ્યું હતું કે, આજની પેઢી ગુરુ શિષ્યના જ્ઞાનના સંબંધોથી અજાણ છે. તેમનામાં ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 14 વિદેશી વિધાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી
  • ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત
  • યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલરએ કર્યું પોતાના શિક્ષકોનું સન્માન

અમદાવાદ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ( GTU ) ચાંદખેડા ખાતે ગુરૂપૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ( Governor Acharya Devvrat ) ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમણે જણાવ્યું હતું કે, ગુરુ-શિષ્ય પરંપરા એ ભારત વર્ષની વિશેષતા છે. પ્રાચીન અને વર્તમાન કાળમાં પણ ભારતે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. તેના પાયાના મૂળમાં ગુરુ શિષ્ય પરંપરા રહી છે.

આ પણ વાંચો: ભવનાથમાં આવેલા ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

વ્યવહારમાં ગુરુના સંસ્કાર ઉજાગર કરવા

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. નવીન શેઠે ( Vice Chancellor Naveen Seth ) જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીએ માતા-પિતા અને પોતાના ગુરુજનો પાસેથી મળેલા સંસ્કાર ક્યારેય પણ ભૂલવા ન જોઈએ. પોતાના વ્યવહારથી તેમના સંસ્કાર ઉજાગર કરવા જોઈએ. આ ઉપરાંત કુલપતિએ પોતાના શાળાકીય જીવન દરમિયાન તેમને ભણાવાનારા શિક્ષકોનું પૂજન કર્યું હતું. તેમજ કુલપતિ પદને મળેલી 51 ભેટના, 52 હજાર રૂપિયા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં જમા કરાવ્યા હતા.

આ પણ વાંચો: માંગરોલની દરગાહમાં ગુરુપૂર્ણિમાની કરાઈ ઉજવણી, માનવતાનું ઉત્તમ ઉદાહરણ

આજની પેઢીને આ પર્વનું મહત્વ સમજવું જરૂરી : નવીન શેઠ

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નવીન શેઠે જણાવ્યું હતું કે, આજની પેઢી ગુરુ શિષ્યના જ્ઞાનના સંબંધોથી અજાણ છે. તેમનામાં ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 14 વિદેશી વિધાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.