ETV Bharat / city

સ્ક્રેપ્ત પોલિસી અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા: સ્વરોજગાર માટે ચલાવાતા વાહનોને પણ લાભ આપવામાં આવે- મનીષ દોશી - સ્ક્રેપ્ત પોલિસી અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા: સ્વરોજગાર માટે ચલાવાતા વાહનોને પણ લાભ આપવામાં આવે- મનીષ દોશી

સરકાર દ્વારા નવી સ્ક્રેપ પોલિસી જાહેર કરી દેવામાં આવી છે. જેને લઇને કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા જણાવવામાં આવ્યું કે, સરકારે નવી સ્ક્રેપ પોલિસીમાં સ્વરોજગાર મેળવતા નાના વાહન ચાલકો માટે કોઈ લાભ કે વ્યવસ્થા કરી નથી. આ સાથે જ સરકારી કામમાં વપરાતા વાહનો વર્ષો જૂના હોવાથી તેનું પ્રદૂષણ વધારે છે.

સ્ક્રેપ્ત પોલિસી અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા
સ્ક્રેપ્ત પોલિસી અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા
author img

By

Published : Aug 13, 2021, 11:03 PM IST

  • સૌથી વધુ પ્રદૂષણ નગરપાલિકાની ગાડીનું : મનીષ દોશી
  • સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો 9 લાખ કિમી કરતા વધુ ફરી હોવાનો આક્ષેપ
  • સ્વરોજગાર માટે વાહન ચલાવતા લોકોને લાભ આપવાની કોંગ્રેસની માગ


અમદાવાદ: કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં અંદાજે 250 BRTS અને 700 AMTS ડીઝલ પર ચાલે છે. તેવી જ રીતે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો 9 લાખ કિમી કરતા વધુ ફરી હોવાથી પ્રદૂષણ પણ વધારે ફેલાય છે. ત્યારે કોંગ્રેસે માગ કરી છે કે, સરકારી ખાતામાં ચાલતા વાહનો અંગે સરકાર પગલાં લે અને સ્વરોજગારી માટે નાના વાહન ચલાવતા લોકોને સરકાર કોઈ લાભ આપે. ત્યારે ભારે અને કોમર્શિયલ વાહનોને CNG કરવા માટે પણ માગ કરવામાં આવી છે.

સ્વરોજગાર માટે ચલાવાતા વાહનોને પણ લાભ આપવામાં આવે- મનીષ દોશી

આગામી દિવસોમાં વ્હિકલ એસો. દ્વારા પણ કરાઈ શકે છે વિરોધ

મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે સરકાર વાહનો દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે સબસિડીમાં રાહત આપવી જોઈએ. જ્યારે કોંગ્રેસ દ્વારા સ્ક્રેપ્ત પોલિસીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આગામી સમયમાં મોટર વ્હિકલ એસોસિએશન દ્વારા પણ વિરોધ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.

  • સૌથી વધુ પ્રદૂષણ નગરપાલિકાની ગાડીનું : મનીષ દોશી
  • સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો 9 લાખ કિમી કરતા વધુ ફરી હોવાનો આક્ષેપ
  • સ્વરોજગાર માટે વાહન ચલાવતા લોકોને લાભ આપવાની કોંગ્રેસની માગ


અમદાવાદ: કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં અંદાજે 250 BRTS અને 700 AMTS ડીઝલ પર ચાલે છે. તેવી જ રીતે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો 9 લાખ કિમી કરતા વધુ ફરી હોવાથી પ્રદૂષણ પણ વધારે ફેલાય છે. ત્યારે કોંગ્રેસે માગ કરી છે કે, સરકારી ખાતામાં ચાલતા વાહનો અંગે સરકાર પગલાં લે અને સ્વરોજગારી માટે નાના વાહન ચલાવતા લોકોને સરકાર કોઈ લાભ આપે. ત્યારે ભારે અને કોમર્શિયલ વાહનોને CNG કરવા માટે પણ માગ કરવામાં આવી છે.

સ્વરોજગાર માટે ચલાવાતા વાહનોને પણ લાભ આપવામાં આવે- મનીષ દોશી

આગામી દિવસોમાં વ્હિકલ એસો. દ્વારા પણ કરાઈ શકે છે વિરોધ

મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે સરકાર વાહનો દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે સબસિડીમાં રાહત આપવી જોઈએ. જ્યારે કોંગ્રેસ દ્વારા સ્ક્રેપ્ત પોલિસીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આગામી સમયમાં મોટર વ્હિકલ એસોસિએશન દ્વારા પણ વિરોધ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.