અમદાવાદઃ આ પરિસ્થિતિમાં કમલમમાં સતત આવ-જા કરતા લોકો કોરોના પોઝિટિવ નીકળતાં હવે નિયમ પ્રમાણે આ લોકોએ 14 દિવસ કવોરંટાઈન રહેવું પડશે. જ્યારે પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ પ્રવકતા જ કોરોના સંક્રમિત થતાં હોસ્પિટલમાં દાખલ થવાથી, કમલમમાં આગામી 14 દિવસ સુધી મીટીંગ યોજાવાની શક્યતા નહિવત છે.
ત્યારે 11 અને 12 સપ્ટેમ્બરે ભાજપની ચિંતન બેઠક કમલમ ખાતે યોજાવાની હતી, તે પણ રદ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં અત્યારે ભારતીય જનતા પાર્ટી ઉપહાસનું કેન્દ્ર બની ગઈ છે. તો પહેલેથી જ કોરોના સંક્રમણના સમયમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ગુજરાતના જુદા-જુદા ક્ષેત્રોની યાત્રાને કોંગ્રેસે કોરોના યાત્રા કહીને ઠેકડી ઉડાડી હતી, તે આજે સત્ય સાબિત થઈ છે.
