ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલ દ્વારા દલીલ મુદે પોતાનો વલણ સપષ્ટ કર્યા બાદ અરજદાર ઈચ્છે તો કેટલાક પુરાવવા કોર્ટ સમક્ષ રજુ કરવાની માંગ કરી શકે છે. અગાઉ ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલ નિરૂપમ નાણાવટ્ટીએ આ કેસમાં વધુ સાક્ષીઓની ઉલટ તપાસની જરૂર ન હોવાથી પુરાવો બંધ કરવાની માંગ કરતા કોર્ટે તેને રેકોર્ડ પર લીધી હતી. અરજદાર તરફથી કરાયેલી અરજીમાં અગાઉ ભુપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી પોતાની તરફેણમાં સાક્ષીઓ તપાસવાની યાદી અદાલત સમક્ષ રજુ કરાઈ હતી.
ધોળકા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર જાવેંદ મીંયા કાદરીએ સાક્ષી તરીકે પુરાવા આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતે જુબાની આપવાની તૈયારી બતાવી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જુબાની પૂર્ણ થતાં તેમના પછી કોર્ટમાં જુબાની કોણ આપશે તેનું નામ આપવાનું હતું જોકે તેમના વકીલે વધું સાક્ષીઓને ન તપાસવાની રજુઆત કરી હતી.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જુબાની દરમ્યાન હાઈકોર્ટની કામગીરી સામે વાંધો વ્યકત કરતા સુપ્રિમ કોર્ટમાં અરજી મુદે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં માફી માંગ હતી. જેના જવાબમાં કોર્ટે કહ્યું કે, અમને તેની જરૂર નથી. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની બે દિવસ જુબાની ચાલી હતી. જેમાં તેમને મત-ગણતરી સેન્ટરના સીસીટીવી ફુટેજ બતાવવામાં આવ્યા હતા. જેમાં સીસીટીવીમાં દેખાતા શંકાસ્પદ વ્યકિતને કાયદા પ્રધાને પોતાનો ઓફિસ આસિટન્ટ ગણાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આજ વ્યકિતને ઓળખવા મુદે ચુંટણી અધિકારી ધવલ જાનીએ અત્યાર સુધી હાઈકોર્ટને કોઈ જવાબ આપ્યો નથી. ધોળકા વિધાનસભા બેઠકથી ભુપેન્દ્રસિંહ ચુડાસમા 327 મતથી જીત્યા હતા. જેને કોગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા પડકારવામાં આવી હતી. અશ્વિન રાઠોડે ચુડાસમા પર મત-ગણતરીમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.