અમદાવાદ પીએમ મોદી ગુજરાતમાં બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેઓ અમદાવાદ મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્ણ કરી ગાંધીનગર તરફ જવા નીકળ્યાં એ સમયે બનેલી આ ઘટનાની ખૂબ ચર્ચા છે. આપને જણાવીએ કે પીએમ મોદીનો કોન્વોય એસજી હાઈવેથી ગાંધીનગર જઈ રહ્યો હતો ત્યારે તેમના કોન્વોયની બાજુમાંથી એક એમ્બ્યુલન્સ ( An Ambulance Came Between PM Modi convoy ) નીકળી હતી. આ એમ્બ્યુલન્સમાં જે દર્દીને લઇ જવાઇ રહ્યાં હતાં તે 90 વર્ષના દર્દી ( Emergency Patient care ) હોવાનું ઇટીવીની તપાસમાં જાણવા મળ્યું છે. આ દર્દીને લઈને એમ્બ્યુલન્સ પીએમ મોદીના કોન્વોય ( PM Modi convoy ) ની સાવ નજીકથી પસાર થઈ હતી. એમ્બ્યુલન્સની સાયરન સાંભળીને પીએમ મોદીએ પોતાનો કોન્વોય સાઈડમાં કરી લીધો હતો અને એમ્બ્યુલન્સને પસાર થવા દીધી હતી.
એમ્બ્યુલન્સ કેવી રીતે રૂટ પર આવી એક વિગત એવી પણ સાંપડી રહી છે કે એમ્બ્યુલન્સ પહેલેથી તે રૂટ પર જઈ રહી હતી અને પાછળથી પીએમ કોન્વોય સ્પીડમાં આવી રહ્યો હતો. જેથી કોન્વોય ( PM Modi convoy ) એમ્બ્યુલન્સની નજીક આવી ગયો હતો. એમ્બ્યુલન્સ જોઇને પીએમે કોન્વોયની સ્પીડ ઓછી કરાવી દીધી હતી અને એમ્બ્યુલન્સને પહેલાં જ પસાર થવા દીધી ( Emergency Patient care )હતી. એમ્બ્યુલન્સે રિંગ રોડ પર જમણી બાજુ ટર્ન લીધો પછી કોન્વોય સ્પીડમાં ( An Ambulance Came Between PM Modi convoy ) ગાંધીનગર તરફ રવાના થયો હતો.
કોન્વોયની ગાડીમાંથી વિડીયો શૂટ થયો પીએમ મોદીની સુરક્ષામાં રહેલ કોન્વોય ( PM Modi convoy ) ના ચક્રને તોડવું ખૂબ જ મુશ્કેલ ( An Ambulance Came Between PM Modi convoy ) હોય છે. ત્યારે આ એમ્બ્યુલન્સ પીએમના કોન્વોયની વચ્ચે કેવી રીતે આવી તે તમામ લોકોને સવાલ થાય તે સ્વાભાવિક છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે, તે અનુસાર આ અમદાવાદનો એસજી હાઈવે છે અને થલતેજથી છારોડીની વચ્ચેનો રસ્તો છે. આ જે વીડિયો શૂટ થયો છે તે પીએમ મોદીની સુરક્ષા જે કોન્વોય હોય છે, તેમાં કુલ 8 ગાડી હોય છે, તે પૈકીની એક ગાડીમાં આ વીડિયો શૂટ થયો હોવાનું તારણ નીકળે છે.
ટ્રાફિક જોઈન્ટ પોલીસ કમિશનર શું કહે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા ( PM Modi convoy ) વચ્ચે એમ્બ્યુલન્સ આવવાની ઘટના બાબતે અમદાવાદ ટ્રાફિક જોઇન્ટ પોલીસ કમિશનર ( Ahmedabad Traffic Joint Commissioner of Police ) મયંકસિંહ ચાવડાએ ETV ભારત સાથે વાત કરતાં જણાવ્યું હતું કે થલતેજ અને છારોડી વચ્ચેથી આ એમ્બ્યુલન્સ આવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા વચ્ચેથી ( An Ambulance Came Between PM Modi convoy ) નીકળી હતી. જ્યારે એમ્બ્યુલન્સ અને પીએમ મોદીનો કાફલા ( PM Modi convoy )વચ્ચે 5 મિનિટના સમય ગાળો હતો. આ એમ્બ્યુલન્સે ગાંધીનગર બાજુ નહીં પણ રીંગ રોડથી ટર્ન લીધો હતો અને કોઈ ખાનગી હોસ્પિટલમાં ગયા હોવાની સંભાવના છે.
90 વર્ષના દાદીને હાર્ટએટેક આવ્યો હતો ઈ ટીવી ભારતને માહિતી મળી છે કે આ ( An Ambulance Came Between PM Modi convoy ) એમ્બ્યુલન્સમાં જે દર્દી હતાં તે 90 વર્ષના દાદી છે. તેમને હાર્ટએટેક ( Emergency Patient care ) આવ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેથી ઈમરજન્સીમાં તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતાં. આ દાદીનો દીકરો અમેરિકા રહે છે. તેમની સાથે તેમના પડોશી 75 વર્ષના છે, તેઓ એમ્બ્યુલન્સમાં હતાં. આ 90 વર્ષના દાદીને અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વીવીઆઈપી મુવમેન્ટ હોય તો પણ એમ્બ્યુલન્સને પ્રથમ જવા દેવી વધુમાં જાણવા મળ્યા મુજબ ટ્રાફિકના નિયમો ( Ambulance rule ) એવા છે કે કોઈપણ વીવીઆઈપી કોન્વોય હોય તો પણ એમ્બ્યુલન્સ ( Emergency Patient care ) ની સાયરન વાગે તો એમ્બ્યુલન્સને જવાનો રસ્તો આપવો. તે મુજબ તેનું પાલન ( An Ambulance Came Between PM Modi convoy ) કરવા આવ્યું છે તેવી ચર્ચા પોલીસ બેડામાં હતી.