ETV Bharat / business

રવિશંકર પ્રસાદ: ભારતીય સપ્લાય ચેઈનમાં મોખરે રહેવા પોસ્ટલ ડિપાર્ટમેન્ટ તૈયાર રહે

author img

By

Published : May 23, 2020, 11:39 AM IST

સંદેશાવ્યવહાર પ્રધાન રવિશંકર પ્રસાદે ઈન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટને ભારતીય સપ્લાય ચેઈનની લીડરશીપ કરવા જણાવ્યું હતું. પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેલિ-મેડિસિન, કૃષિ ઉત્પાદનો અને અન્ય ચીજવસ્તુઓ ઉત્પાદકોને સીધા ગ્રાહકો સાથે જોડવામાં આવી શકે છે.

રવિશંકર પ્રસાદ
રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી: સંદેશાવ્યવહાર પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, કોરોનો વાઈરસ સંકટ દરમિયાન દવાઓ અને આવશ્યક ચીજોના વિતરણથી પોસ્ટ ડિપાર્ટમેન્ટને આ મોડેલ પર વધુ ભાર આપવાનો અવસર મળ્યો છે. ભારતીય ટપાલ ખાતાને ભારતીય પુરવઠા સાંકળ(સપ્લાય ચેન)ના લીડર તરીકે તૈયાર કરવાનું છે, પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેલિ-મેડિસિન, એગ્રિ-પ્રોડક્ટ્સ અને અન્ય ચીજવસ્તુઓ ઉત્પાદકોને ખરીદદારો સાથે સીધુ જોડાણ થઈ શકશે.

સંદેશાવ્યવહાર પ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોવિડ -19 કટોકટી દરમિયાન પોસ્ટ વિભાગની પ્રવૃત્તિઓ અને પ્રયત્નોની સમીક્ષા કરી હતી. તેમણે આ દરમિયાન જણાવ્યું હતું કે, પોસ્ટમેન એ પણ સ્થળાંતર કરનારાઓના આંકડા એકત્રિત કરવા, તેમની કુશળતા વિશેની માહિતી એકત્રીત કરવી, તેમના ખાતા ખોલવા અને મનરેગા અને અન્ય સરકારી યોજનાઓ હેઠળ ચુકવણીની સુવિધા આપવાનું પ્રથમ માધ્યમ બનવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન ચીફ પોસ્ટમાસ્ટર જનરલે સેવા ડિલિવરી અને પ્રાદેશિક વિશેષતાને પ્રોત્સાહન આપતા કેટલાક નવા મોડલ્સ રજૂ કર્યા હતા. જમ્મુ-કાશ્મીરે તાજેતરમાં દેશભરમાં માતા વૈષ્ણો દેવી મંદિરના પ્રસાદ અને કેરસનો જથ્થો પૂરો પાડવાની તૈયારી કરી લીધી છે.

સંદેશાવ્યવહાર પ્રધાને જણાવ્યું કે, કોરોનો વાઈરસ રોગચાળા દ્વારા સર્જાયેલી કટોકટી દરમિયાન દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓના વિતરણથી મેળવેલા અનુભવને આધારે પોસ્ટ વિભાગ પાસે આ મોડેલને આગળ વધવાની તક છે.

નવી દિલ્હી: સંદેશાવ્યવહાર પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, કોરોનો વાઈરસ સંકટ દરમિયાન દવાઓ અને આવશ્યક ચીજોના વિતરણથી પોસ્ટ ડિપાર્ટમેન્ટને આ મોડેલ પર વધુ ભાર આપવાનો અવસર મળ્યો છે. ભારતીય ટપાલ ખાતાને ભારતીય પુરવઠા સાંકળ(સપ્લાય ચેન)ના લીડર તરીકે તૈયાર કરવાનું છે, પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેલિ-મેડિસિન, એગ્રિ-પ્રોડક્ટ્સ અને અન્ય ચીજવસ્તુઓ ઉત્પાદકોને ખરીદદારો સાથે સીધુ જોડાણ થઈ શકશે.

સંદેશાવ્યવહાર પ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોવિડ -19 કટોકટી દરમિયાન પોસ્ટ વિભાગની પ્રવૃત્તિઓ અને પ્રયત્નોની સમીક્ષા કરી હતી. તેમણે આ દરમિયાન જણાવ્યું હતું કે, પોસ્ટમેન એ પણ સ્થળાંતર કરનારાઓના આંકડા એકત્રિત કરવા, તેમની કુશળતા વિશેની માહિતી એકત્રીત કરવી, તેમના ખાતા ખોલવા અને મનરેગા અને અન્ય સરકારી યોજનાઓ હેઠળ ચુકવણીની સુવિધા આપવાનું પ્રથમ માધ્યમ બનવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન ચીફ પોસ્ટમાસ્ટર જનરલે સેવા ડિલિવરી અને પ્રાદેશિક વિશેષતાને પ્રોત્સાહન આપતા કેટલાક નવા મોડલ્સ રજૂ કર્યા હતા. જમ્મુ-કાશ્મીરે તાજેતરમાં દેશભરમાં માતા વૈષ્ણો દેવી મંદિરના પ્રસાદ અને કેરસનો જથ્થો પૂરો પાડવાની તૈયારી કરી લીધી છે.

સંદેશાવ્યવહાર પ્રધાને જણાવ્યું કે, કોરોનો વાઈરસ રોગચાળા દ્વારા સર્જાયેલી કટોકટી દરમિયાન દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓના વિતરણથી મેળવેલા અનુભવને આધારે પોસ્ટ વિભાગ પાસે આ મોડેલને આગળ વધવાની તક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.