- Union Cabinet reshuffle ની વાગી ગઈ ઘંટડી
- કેન્દ્રીય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, ગંગવાર, પોખરીયાલ સહિતનાઓએ આપ્યા રાજીનામાં
- પોખરીયાલે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું
નવી દિલ્હીઃ શ્રમપ્રધાન સંતોષ ગંગવાર અને કેન્દ્રીય શિક્ષણપ્રધાન રમેશ પોખરીયાલ, સ્વાસ્થય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, સહિતનાઓએ રાજીનામાં ધરી દીધા છે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે અને રવિશંકર પ્રસાદે રાજીનામું આપ્યું છે. સંતોષ ગંગવારે એક પ્રશ્નના જવામાં પોતે રાજીનામું આપ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે 'હા, મેં રાજીનામું આપ્યું છે.' તેમણે મીડિયા એજન્સીઓને કહ્યું હતું કે તેઓ સરકારમાં તેમની નવી ભૂમિકા શું હશે તેની જાણ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મે 2019માં બીજી વખત કાર્યકાળ સંભાળ્યા પછી વડાપ્રધાનની પરિષદમાં આ પહેલો ફેરબદલ ( Union Cabinet reshuffle ) છે. વડાપ્રધાન યુવા ચહેરાઓ લાવશે અને ફેરબદલમાં વિવિધ સામાજિક જૂથો અને પ્રદેશોને પ્રતિનિધિત્વ આપશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચોઃ CABINET EXPANSION: આજે પ્રથમ કેબિનેટ વિસ્તરણ, નેતાઓ પહોંચ્યા દિલ્હી
સાંજે 6 કલાકે કેન્દ્રીય પ્રધાનમંડળનું વિસ્તરણ
કેબીનેટ વિસ્તરના પગલે આજે બુધવારે બપોર સુધીમાં અન્ય વધુ પ્રધાનોએ પણ રાજીનામાં આપ્યાં હોવાની ખબર મળી રહી છે. જેમાં ગંગવાર અને પોખરીયાલ સહિત દેબોશ્રી ચૌધરી, સદાનંદ ગૌડા, રાવસાહેબ પાટીલ દાનવેના રાજીનામાં પડ્યાં છેે. તેમ જ આમાં સંજય ધોતરેનું નામ પણ શામેલ હોવાનું જણાવાયું છે. જોકે, રમેશ પોખરીયાલે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું ધર્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ કેન્દ્રીય આરોગ્યપ્રધાન હર્ષવર્ધનના રાજીનામાના પણ સમાચાર સામે આવી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, આજે બુઘવારે સાંજે 6 કલાકે કેન્દ્રીય પ્રધાનમંડળનું ( Union Cabinet reshuffle ) વિસ્તરણ થશે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધને આપ્યું રાજીનામું
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધને આરોગ્ય મંત્રાલય પરથી રાજીનામું ધરી દીધુ છે. તરફથી આ ડિઝાઇન આપી છે
આરોગ્ય રાજ્યપ્રધાન અશ્વિની ચૌબેને હટાવવામાં આવ્યા
સુત્રોના જણાવ્યાં અનુસાર આરોગ્ય રાજ્યપ્રધાન અશ્વિની ચૌબેએ પણ રાજીનામું આપ્યું છે. આ અગાઉ પટણામાં કેન્દ્રીય પ્રધાન અશ્વિનીકુમાર ચૌબેએ કહ્યું હતું કે, આજે વડાપ્રધાન મોદીએ મંત્રીમંડળનો વિસ્તાર કરશે, અમે ત્યાં ભાગ લેવા જઈ રહ્યા છીએ. NDA સરકાર અકબંધ રહેશે, અમારી સરકાર ચાલી રહી છે, તે લાંબા સમય સુધી ચાલશે.
ડીવી સદાનંદ ગૌડાએ આપ્યું રાજીનામું
કેન્દ્રીય પ્રધાન ડીવી સદાનંદ ગૌડાએ પણ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ મોદી સરકારમાં ખાતર અને રસાયણો પ્રધાન હતા. ગૌડા કર્ણાટકના સાંસદ છે. તેઓ કર્ણાટકના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે.
સંતોષ ગંગવારે ઉંમરનો હવાલો આપીને પ્રધાનપદ પરથી રાજીનામું આપ્યું
કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારે ઉંમરનો હવાલો આપીને પ્રધાનપદ પરથી રાજીનામું આપ્યું છે. ગેંગવારના રાજીનામાથી, સ્પષ્ટ થઈ ગયું છે કે યુપી ક્વોટામાંથી નવો ચહેરો શામેલ થઈ શકે છે. સંતોષ ગંગવાર ભાજપની ટિકિટ પર બરેલી બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ લોકસભામાં પહોંચ્યાં છે.
નિશાંકે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશાંકે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. નિશાંકે સ્વાસ્થ્યનાં કારણો દર્શાવીને રાજીનામું આપ્યું છે.
બાબુલ સુપ્રિયોએ આપ્યું રાજીનામું
પર્યાવરણ રાજ્ય પ્રધાન બાબુલ સુપ્રિયોની પણ છુટ્ટી કરવામાં આવી છે. પ્લેબેક સિંગર, ટેલિવિઝન હોસ્ટ, એક્ટર, રાજકારણી અને આસનસોલના સંસદસભ્ય છે. તેઓ ભારતની 16 મી લોકસભામાં સંસદ સભ્ય છે. 2014 ની ચૂંટણીમાં, તેમણે ભાજપ તરફથી પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી જીત મેળવી હતી. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ એવી અટકળો થઈ રહી હતી કે બાબુલનો વિભાગ બદલી શકે છે.
આ પણ વાંચોઃ New Ministry of Cooperation: પ્રધાનમંડળ વિસ્તરણ પહેલા મોદી સરકારએ બનાવ્યુ નવું મંત્રાલય