ETV Bharat / bharat

ઉપગ્રહની તસવીરો દ્વારા પૂર્વોત્તર રાજ્યની સીમાઓનું થશે સીમાંકન

કેન્દ્રએ આંતર-રાજ્ય સરહદ વિવાદોનું સમાધાન કરવા માટે સેટેલાઇટ(Satellite)ની તસવીરો દ્વારા પૂર્વોત્તર રાજ્યોની સીમાઓનું સીમાંકન કરવાનો નિર્ણય કર્યો છે. આ સરહદી વિવાદો ઘણીવાર ચિંતાજનક પરિસ્થિતિઓ તરફ દોરી જાય છે અને ક્યારેક હિંસા પણ થઇ જાય છે.

author img

By

Published : Aug 1, 2021, 7:27 PM IST

ઉપગ્રહની તસવીરો દ્વારા પૂર્વોત્તર રાજ્યની સીમાઓનું થશે સીમાંકન
ઉપગ્રહની તસવીરો દ્વારા પૂર્વોત્તર રાજ્યની સીમાઓનું થશે સીમાંકન
  • આસામ અને મિઝોરમ વચ્ચેના સરહદી વિવાદને લઈને આસામના અધિકારીઓ પર ગોળીબાર થયો
  • 1993માં ભારતીય સર્વેક્ષણ દ્વારા મેળવવામાં આવેલો સીમા અને બંધારણીય નકશો તેને સ્વીકાર્ય છે: આસામ
  • શાહે પૂર્વોત્તર વિસ્તારમાં આંતર-રાજ્ય સીમાઓ અને જંગલોના મેપિંગ કરવાનું સૂચન કર્યું

નવી દિલ્હી: કેન્દ્રએ સેટેલાઇટ(Satellite)ની તસવીરો દ્વારા પૂર્વોત્તર રાજ્યોની સીમાઓનું સીમાંકન કરવાનો નિર્ણય કર્યો છે. બે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, આ કાર્ય ઉત્તર પૂર્વીય અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (NESAC) ને સોંપવામાં આવ્યું છે, જે અંતરિક્ષ વિભાગ (DOS) અને પૂર્વોતરી પરિષદ (NEC)ની સંયુક્ત પહેલ છે. NESAC અદ્યતન અંતરિક્ષ ટેકનોલોજી સહાયતા કરીને પૂર્વોતર વિસ્તારમાં વિકાસ પ્રક્રિયાને વેગ આપવામાં મદદ કરે છે.

આ પણ વાંચો- ISROએ અમેરિકાના 6 ઉપગ્રહ સહિત 4 દેશોના સેટેલાઈટ લોન્ચ કર્યાં

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આંતર-રાજ્ય સરહદોનું સીમાંકન કરવાનો વિચાર રજૂ કર્યો

આંતરરાજ્ય સરહદ વિવાદ તાજેતરમાં સમાચારોમાં રહ્યો છે, જ્યારે આસામ-મિઝોરમ વચ્ચે સરહદી વિવાદ પર અથડામણમાં આસામના પાંચ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિકનું મૃત્યુ થઇ ગયું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે(Amit Shah) થોડા મહિના પહેલા સેટેલાઈટની તસવીર દ્વારા આંતર-રાજ્ય સરહદોનું સીમાંકન કરવાનો વિચાર રજૂ કર્યો હતો. શાહે પૂર્વોત્તર વિસ્તારમાં આંતર-રાજ્ય સીમાઓ અને જંગલોના મેપિંગ અને રાજ્યો વચ્ચે સરહદો માટે NESACનો સમાવેશ કરવાનું સૂચન કર્યું હતું.

એકવાર સેટેલાઈટથી મેપિંગ થઈ ગયા પછી પૂર્વોત્તર રાજ્યની સીમાઓને કેદ કરી શકાશે

શિલાંગ સ્થિત NESACએ પહેલાથી જ આ ક્ષેત્રમાં પૂર વ્યવસ્થાપન માટે અવકાશ ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરહદોના સીમાંકનમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવાથી, કોઈ પણ વિસંગતતા માટે અવકાશ રહેશે નહીં અને રાજ્ય, સરહદ વિવાદના ઉકેલને વધુ સારી રીતે સ્વીકારશે. તેમણે કહ્યું કે, એકવાર સેટેલાઈટથી મેપિંગ થઈ ગયા પછી પૂર્વોત્તર રાજ્યની સીમાઓને કેદ કરી શકાશે અને વિવાદોનો કાયમી ઉકેલ લાવી શકાશે.

આ પણ વાંચો- ISRO: પૃથ્વી અવલોકન ઉપગ્રહ SOS-01નું સફળ પરીક્ષણ

આસામના પાંચ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિકનું મોત થયું હતું

26 જુલાઈના રોજ મિઝોરમ પોલીસે(Mizoram Police) આસામ અને મિઝોરમ વચ્ચેના સરહદી વિવાદને લઈને આસામના અધિકારીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં આસામના પાંચ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિકનું મોત થયું હતું અને પોલીસ અધિક્ષક સહિત અન્ય 50 ઘાયલ થયા હતા. મિઝોરમ સરકાર દાવો કરે છે કે, ઇનર લાઇન રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં 509 ચોરસ માઇલનો વિસ્તાર તેનો છે જે 1875માં બંગાળ પૂર્વ સરહદી નિયમન 1873 હેઠળ સૂચિત કરવામાં આવ્યો હતો. જ્યારે આસામનું કહેવું છે કે, 1993માં ભારતીય સર્વેક્ષણ દ્વારા મેળવવામાં આવેલો સીમા અને બંધારણીય નકશો તેને સ્વીકાર્ય છે.

  • આસામ અને મિઝોરમ વચ્ચેના સરહદી વિવાદને લઈને આસામના અધિકારીઓ પર ગોળીબાર થયો
  • 1993માં ભારતીય સર્વેક્ષણ દ્વારા મેળવવામાં આવેલો સીમા અને બંધારણીય નકશો તેને સ્વીકાર્ય છે: આસામ
  • શાહે પૂર્વોત્તર વિસ્તારમાં આંતર-રાજ્ય સીમાઓ અને જંગલોના મેપિંગ કરવાનું સૂચન કર્યું

નવી દિલ્હી: કેન્દ્રએ સેટેલાઇટ(Satellite)ની તસવીરો દ્વારા પૂર્વોત્તર રાજ્યોની સીમાઓનું સીમાંકન કરવાનો નિર્ણય કર્યો છે. બે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, આ કાર્ય ઉત્તર પૂર્વીય અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (NESAC) ને સોંપવામાં આવ્યું છે, જે અંતરિક્ષ વિભાગ (DOS) અને પૂર્વોતરી પરિષદ (NEC)ની સંયુક્ત પહેલ છે. NESAC અદ્યતન અંતરિક્ષ ટેકનોલોજી સહાયતા કરીને પૂર્વોતર વિસ્તારમાં વિકાસ પ્રક્રિયાને વેગ આપવામાં મદદ કરે છે.

આ પણ વાંચો- ISROએ અમેરિકાના 6 ઉપગ્રહ સહિત 4 દેશોના સેટેલાઈટ લોન્ચ કર્યાં

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આંતર-રાજ્ય સરહદોનું સીમાંકન કરવાનો વિચાર રજૂ કર્યો

આંતરરાજ્ય સરહદ વિવાદ તાજેતરમાં સમાચારોમાં રહ્યો છે, જ્યારે આસામ-મિઝોરમ વચ્ચે સરહદી વિવાદ પર અથડામણમાં આસામના પાંચ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિકનું મૃત્યુ થઇ ગયું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે(Amit Shah) થોડા મહિના પહેલા સેટેલાઈટની તસવીર દ્વારા આંતર-રાજ્ય સરહદોનું સીમાંકન કરવાનો વિચાર રજૂ કર્યો હતો. શાહે પૂર્વોત્તર વિસ્તારમાં આંતર-રાજ્ય સીમાઓ અને જંગલોના મેપિંગ અને રાજ્યો વચ્ચે સરહદો માટે NESACનો સમાવેશ કરવાનું સૂચન કર્યું હતું.

એકવાર સેટેલાઈટથી મેપિંગ થઈ ગયા પછી પૂર્વોત્તર રાજ્યની સીમાઓને કેદ કરી શકાશે

શિલાંગ સ્થિત NESACએ પહેલાથી જ આ ક્ષેત્રમાં પૂર વ્યવસ્થાપન માટે અવકાશ ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરહદોના સીમાંકનમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવાથી, કોઈ પણ વિસંગતતા માટે અવકાશ રહેશે નહીં અને રાજ્ય, સરહદ વિવાદના ઉકેલને વધુ સારી રીતે સ્વીકારશે. તેમણે કહ્યું કે, એકવાર સેટેલાઈટથી મેપિંગ થઈ ગયા પછી પૂર્વોત્તર રાજ્યની સીમાઓને કેદ કરી શકાશે અને વિવાદોનો કાયમી ઉકેલ લાવી શકાશે.

આ પણ વાંચો- ISRO: પૃથ્વી અવલોકન ઉપગ્રહ SOS-01નું સફળ પરીક્ષણ

આસામના પાંચ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિકનું મોત થયું હતું

26 જુલાઈના રોજ મિઝોરમ પોલીસે(Mizoram Police) આસામ અને મિઝોરમ વચ્ચેના સરહદી વિવાદને લઈને આસામના અધિકારીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં આસામના પાંચ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિકનું મોત થયું હતું અને પોલીસ અધિક્ષક સહિત અન્ય 50 ઘાયલ થયા હતા. મિઝોરમ સરકાર દાવો કરે છે કે, ઇનર લાઇન રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં 509 ચોરસ માઇલનો વિસ્તાર તેનો છે જે 1875માં બંગાળ પૂર્વ સરહદી નિયમન 1873 હેઠળ સૂચિત કરવામાં આવ્યો હતો. જ્યારે આસામનું કહેવું છે કે, 1993માં ભારતીય સર્વેક્ષણ દ્વારા મેળવવામાં આવેલો સીમા અને બંધારણીય નકશો તેને સ્વીકાર્ય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.