ETV Bharat / bharat

લુક આઉટ સર્ક્યુલર જારી કરવું એ કોર્ટના આદેશના ઉલ્લંઘનમાં કડક કાર્યવાહી- તેલંગાણા હાઈકોર્ટે

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 8:29 PM IST

તેલંગાણા હાઈકોર્ટે માર્ગદર્શી કેસમાં આંધ્રપ્રદેશ સીઆઈડીને પ્રશ્ન પૂછતાં કહ્યું કે, માર્ગદર્શી એમડી વિરુદ્ધ જારી કરાયેલ લુક-આઉટ સર્ક્યુલર (LOC) 'કડક પગલાં' લેવા સમાન છે, જેની સામે કોર્ટે 21 માર્ચે આદેશ જારી કર્યો હતો. Telangana High Court, Margdarsh Chit Fund, look-out circular

Etv Bharat
Etv Bharat

હૈદરાબાદ: તેલંગાણા હાઈકોર્ટે એપી સીઆઈડીને પ્રશ્ન કર્યો હતો કે માર્ગદર્શી ચિટફંડ કેસ મામલે કોઈ કડક કાર્યવાહી ન કરવાના આદેશનું ઉલ્લંઘન કરીને માર્ગદર્શી ચીટફંડના એમડી વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર કેવી રીતે જાહેર કર્યું? કોર્ટે કહ્યું કે લુક આઉટ સર્ક્યુલર કડક કાર્યવાહી કરવા સમાન છે અને પ્રશ્ન ઉઠાવ્યો કે શું તે એપી સીઆઈડી તરફથી કોર્ટની અવમાનના સમાન નથી?

જ્યારે આંધ્રપ્રદેશ સીઆઈડી વતી દલીલ કરતા વકીલે આ કેસમાં સોગંદનામું દાખલ કરવા માટે સમય માંગ્યો ત્યારે હાઈકોર્ટે સુનાવણી 15 ડિસેમ્બર સુધી મુલતવી રાખી. કોર્ટે 21 માર્ચે પોતાના આદેશમાં સીઆઈડીને માર્ગદર્શી કેસમાં કડક કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેનું ઉલ્લંઘન કરીને માર્ગદર્શી એમડી વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો અને કંપનીની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

ત્યારબાદ માર્ગદર્શી ચિટ ફંડ પ્રાઈવેટ લિમિટેડ અને કંપનીના એમડી સી શૈલજા કિરણે એપી સીઆઈડી અધિકારીઓ સામે કોર્ટના તિરસ્કારના આરોપો પર કાર્યવાહી કરવા માટે અલગ-અલગ તિરસ્કારની અરજીઓ દાખલ કરી હતી. તેલંગાણા હાઈકોર્ટના જસ્ટિસ કે સુરેન્દ્રએ મંગળવારે સુનાવણી હાથ ધરી હતી.

માર્ગદર્શી વતી દલીલ કરતા વરિષ્ઠ એડવોકેટ દમ્માલાપતિ શ્રીનિવાસ અને એડવોકેટ વાસિરેડ્ડી વિમલ વર્માએ કોર્ટને જણાવ્યું કે છેલ્લી સુનાવણી દરમિયાન આંધ્ર પ્રદેશ સીઆઈડીએ કોર્ટના અવમાનના બદલ માફી માંગતું એફિડેવિટ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો, પરંતુ કોઈ એફિડેવિટ દાખલ કરવામાં આવી નથી. એપી સીઆઈડીના વકીલ કૈલાશનાથ રેડ્ડીએ કહ્યું કે તેમણે એપી સીઆઈડી લુકઆઉટ સર્ક્યુલર શા માટે જારી કરવો પડ્યો તે સમજાવતો કાઉન્ટર જવાબ દાખલ કર્યો છે.

ન્યાયાધીશે હસ્તક્ષેપ કર્યો અને કહ્યું કે જો આ એપી સીઆઈડીનો જવાબ હોય, તો કોર્ટના અવમાનના કેસમાં યોગ્ય આદેશો જારી કરવામાં આવશે. સીઆઈડીના વકીલે તેમની દલીલો ચાલુ રાખી અને કહ્યું કે માર્ગદર્શી એમડી તેમને કોઈ માહિતી આપ્યા વિના વિદેશ ગયા હતા અને તેથી સીઆઈડીએ સાવચેતીના પગલા તરીકે એલઓસી જારી કર્યું હતું.

ન્યાયાધીશે સીઆઈડીની દલીલને ફગાવી દીધી અને કહ્યું કે સાવચેતી એ માન્ય કારણ નથી કારણ કે એલઓસી જારી કરવું એ કોર્ટના આદેશના ઉલ્લંઘનમાં કડક કાર્યવાહી છે.

  1. Andhra pradesh: હાઈકોર્ટે માર્ગદર્શી ચિટ સમૂહ પર વાંધો ઉઠાવતી સાર્વજનિક નોટિક પર લગાવી દીધી છે રોક
  2. Margadarshi Case: આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં માર્ગદર્શી ચિટ ફંડ કેસમાં દલીલો પૂર્ણ, વચગાળાના આદેશ પર નિર્ણય મોકૂફ

હૈદરાબાદ: તેલંગાણા હાઈકોર્ટે એપી સીઆઈડીને પ્રશ્ન કર્યો હતો કે માર્ગદર્શી ચિટફંડ કેસ મામલે કોઈ કડક કાર્યવાહી ન કરવાના આદેશનું ઉલ્લંઘન કરીને માર્ગદર્શી ચીટફંડના એમડી વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર કેવી રીતે જાહેર કર્યું? કોર્ટે કહ્યું કે લુક આઉટ સર્ક્યુલર કડક કાર્યવાહી કરવા સમાન છે અને પ્રશ્ન ઉઠાવ્યો કે શું તે એપી સીઆઈડી તરફથી કોર્ટની અવમાનના સમાન નથી?

જ્યારે આંધ્રપ્રદેશ સીઆઈડી વતી દલીલ કરતા વકીલે આ કેસમાં સોગંદનામું દાખલ કરવા માટે સમય માંગ્યો ત્યારે હાઈકોર્ટે સુનાવણી 15 ડિસેમ્બર સુધી મુલતવી રાખી. કોર્ટે 21 માર્ચે પોતાના આદેશમાં સીઆઈડીને માર્ગદર્શી કેસમાં કડક કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેનું ઉલ્લંઘન કરીને માર્ગદર્શી એમડી વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો અને કંપનીની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

ત્યારબાદ માર્ગદર્શી ચિટ ફંડ પ્રાઈવેટ લિમિટેડ અને કંપનીના એમડી સી શૈલજા કિરણે એપી સીઆઈડી અધિકારીઓ સામે કોર્ટના તિરસ્કારના આરોપો પર કાર્યવાહી કરવા માટે અલગ-અલગ તિરસ્કારની અરજીઓ દાખલ કરી હતી. તેલંગાણા હાઈકોર્ટના જસ્ટિસ કે સુરેન્દ્રએ મંગળવારે સુનાવણી હાથ ધરી હતી.

માર્ગદર્શી વતી દલીલ કરતા વરિષ્ઠ એડવોકેટ દમ્માલાપતિ શ્રીનિવાસ અને એડવોકેટ વાસિરેડ્ડી વિમલ વર્માએ કોર્ટને જણાવ્યું કે છેલ્લી સુનાવણી દરમિયાન આંધ્ર પ્રદેશ સીઆઈડીએ કોર્ટના અવમાનના બદલ માફી માંગતું એફિડેવિટ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો, પરંતુ કોઈ એફિડેવિટ દાખલ કરવામાં આવી નથી. એપી સીઆઈડીના વકીલ કૈલાશનાથ રેડ્ડીએ કહ્યું કે તેમણે એપી સીઆઈડી લુકઆઉટ સર્ક્યુલર શા માટે જારી કરવો પડ્યો તે સમજાવતો કાઉન્ટર જવાબ દાખલ કર્યો છે.

ન્યાયાધીશે હસ્તક્ષેપ કર્યો અને કહ્યું કે જો આ એપી સીઆઈડીનો જવાબ હોય, તો કોર્ટના અવમાનના કેસમાં યોગ્ય આદેશો જારી કરવામાં આવશે. સીઆઈડીના વકીલે તેમની દલીલો ચાલુ રાખી અને કહ્યું કે માર્ગદર્શી એમડી તેમને કોઈ માહિતી આપ્યા વિના વિદેશ ગયા હતા અને તેથી સીઆઈડીએ સાવચેતીના પગલા તરીકે એલઓસી જારી કર્યું હતું.

ન્યાયાધીશે સીઆઈડીની દલીલને ફગાવી દીધી અને કહ્યું કે સાવચેતી એ માન્ય કારણ નથી કારણ કે એલઓસી જારી કરવું એ કોર્ટના આદેશના ઉલ્લંઘનમાં કડક કાર્યવાહી છે.

  1. Andhra pradesh: હાઈકોર્ટે માર્ગદર્શી ચિટ સમૂહ પર વાંધો ઉઠાવતી સાર્વજનિક નોટિક પર લગાવી દીધી છે રોક
  2. Margadarshi Case: આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં માર્ગદર્શી ચિટ ફંડ કેસમાં દલીલો પૂર્ણ, વચગાળાના આદેશ પર નિર્ણય મોકૂફ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.