નવી દિલ્હી: સ્પાઈસજેટે કહ્યું કે તેને મંગળવારે રાત્રે રેન્સમવેર એટેકનો સામનો કરવો પડ્યો, જેના કારણે બુધવારે સવારે તેની ફ્લાઈટ્સનું પ્રસ્થાન મોડું થયું. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "કેટલીક સ્પાઈસજેટ સિસ્ટમો ગઈકાલે રાત્રે રેન્સમવેર એટેકનો ભોગ બની હતી, જેણે આજની (બુધવાર) સવારની ફ્લાઈટને અસર કરી હતી." પ્રવક્તાએ કહ્યું કે એરલાઈનની આઈટી ટીમે પરિસ્થિતિને કાબુમાં લાવી દીધી છે અને સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. ફ્લાઈટ્સ હવે સામાન્ય રીતે ચાલી રહી છે.
એરપોર્ટ પર મુસાફરો ફસાયા: સ્પાઈસ જેટની અનેક ફ્લાઈટોમાં વિલંબ થવાને કારણે બુધવારે સવારથી સેંકડો મુસાફરો વિવિધ એરપોર્ટ પર ફસાયેલા છે. એર કેરિયરે વિલંબ માટે "રેન્સમવેરનો પ્રયાસ" ને દોષી ઠેરવ્યો છે. તે જ સમયે, ઘણા મુસાફરોએ ટ્વીટ કર્યું કે તેઓ હજુ પણ ફસાયેલા છે અને તેમની ફ્લાઇટ ક્યારે ઉપડશે તે અંગે એરલાઇન પાસેથી માહિતી મળી રહી નથી.
અપડેટ ચાલું છે...