ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટે INS વિરાટને તોડવા પર આપ્યો સ્ટે - વિરાટની સ્થિતિ જાળવવાનો આદેશ

ભારતના વિમાનવાહક જહાજ INS વિરાટની સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે વિરાટ જહાજને યથાવત સ્થિતિમાં રાખવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રએ જુલાઇ 2019ના રોજ સંસદને જાણ કરી હતી કે, ભારતીય નૌકાદળ સાથે સલાહ લીધા બાદ 'વિરાટ' ને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે વિમાનવાહક જહાજ વિરાટની સ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો
સુપ્રીમ કોર્ટે વિમાનવાહક જહાજ વિરાટની સ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો
author img

By

Published : Feb 10, 2021, 5:20 PM IST

Updated : Feb 10, 2021, 7:18 PM IST

  • સુપ્રીમ કોર્ટે જહાજ વિરાટને યથાવત સ્થિતિમાં રાખવાનો આદેશ આપ્યો
  • જહાજ વિરાટે લગભગ ત્રણ દાયકા સુધી ભારતીય નૌકાદળમાં આપી છે સેવા
  • વિરાટને ભારતીય નૌસેનામાંથી માર્ચ 2017માં હટાવવામાં આવ્યું હતું

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભારતના વિમાનવાહક જહાજ 'વિરાટ' ની સ્થિતિ જાળવવાનો બુધવારે આદેશ આપ્યો છે. આ વિમાનવાહક જહાજ વિરાટ લગભગ ત્રણ દાયકા સુધી ભારતીય નૌકાદળમાં સેવા આપી ચૂક્યું છે.

INS વિરાટ 29 વર્ષ સુધી ભારતીય નૌસેનામાં રહ્યું

આ જહાજને તોડવાનું કામ ચાલી રહ્યું છે. જોકે, એક કંપનીએ તેને રોકવા માટે અરજી કરી હતી. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કંપનીની અરજી પર કેન્દ્ર સરકાર અને અન્યને નોટિસ ફટકારી હતી અને તેનો જવાબ માંગ્યો હતો. કંપની તેને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવા માંગે છે. સેન્ટૂર ક્લાસનું વિમાન વાહક જહાજ INS વિરાટ 29 વર્ષ સુધી ભારતીય નૌસેનામાં રહ્યું હતું અને તેને માર્ચ 2017 માં હટાવવામાં આવ્યું હતું.

  • સુપ્રીમ કોર્ટે જહાજ વિરાટને યથાવત સ્થિતિમાં રાખવાનો આદેશ આપ્યો
  • જહાજ વિરાટે લગભગ ત્રણ દાયકા સુધી ભારતીય નૌકાદળમાં આપી છે સેવા
  • વિરાટને ભારતીય નૌસેનામાંથી માર્ચ 2017માં હટાવવામાં આવ્યું હતું

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભારતના વિમાનવાહક જહાજ 'વિરાટ' ની સ્થિતિ જાળવવાનો બુધવારે આદેશ આપ્યો છે. આ વિમાનવાહક જહાજ વિરાટ લગભગ ત્રણ દાયકા સુધી ભારતીય નૌકાદળમાં સેવા આપી ચૂક્યું છે.

INS વિરાટ 29 વર્ષ સુધી ભારતીય નૌસેનામાં રહ્યું

આ જહાજને તોડવાનું કામ ચાલી રહ્યું છે. જોકે, એક કંપનીએ તેને રોકવા માટે અરજી કરી હતી. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કંપનીની અરજી પર કેન્દ્ર સરકાર અને અન્યને નોટિસ ફટકારી હતી અને તેનો જવાબ માંગ્યો હતો. કંપની તેને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવા માંગે છે. સેન્ટૂર ક્લાસનું વિમાન વાહક જહાજ INS વિરાટ 29 વર્ષ સુધી ભારતીય નૌસેનામાં રહ્યું હતું અને તેને માર્ચ 2017 માં હટાવવામાં આવ્યું હતું.

Last Updated : Feb 10, 2021, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.