ETV Bharat / bharat

Rahul Gandhi ખેડૂતોના સમર્થનમાં ટ્રેક્ટર ચલાવીનેે સંસદ પહોંચ્યા

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે સોમવારે ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન (Parliament House)પહોંચ્યા છે. ખેડૂત કાયદાના વિરૂદ્ધ ખેડૂતોના પ્રદર્શનને સમર્થન આપતા સરકારે તરત જ આ કાળા કાયદાઓને હઠાવવા જોઇએ.

author img

By

Published : Jul 26, 2021, 12:32 PM IST

Rahul Gandhi ખેડૂતોના સમર્થનમાં ટ્રેક્ટર ચલાવીનેે સંસદ પહોંચ્યા
Rahul Gandhi ખેડૂતોના સમર્થનમાં ટ્રેક્ટર ચલાવીનેે સંસદ પહોંચ્યા
  • રાહુલ ગાંધી સોમવારે ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા
  • ખેડૂત કાયદાઓના વિરૂદ્ધ કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન શરૂ
  • ખેડૂતો પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા

નવી દિલ્હી : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે સોમવારે દરેકને ચોંકાવી દીધા છે, જ્યારે સવારે-સવારે તે દિલ્હીના રસ્તાઓ પર ટ્રેક્ટર ચલાવીતા દેખાયા હતા. ખેડૂત કાયદાઓના વિરૂદ્ધ કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન શરૂ છે અને આ કડીમાં સમવારે રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન (Parliament House) પહોંચ્યા હતા.

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા અને બીવી શ્રીનિવાસની ધરપકડ

રાહુલ ગાંધી સાથે ટ્રેક્ટર પર રણદીપ સુરજેવાલા, દીપેંદ્ર હુડ્ડા સહિત અન્ય કોંગ્રેસી નતા જોવા મળ્યા હતા. ટ્રેક્ટર ચલાવવાના આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા અને બીવી શ્રીનિવાસની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Rahul Gandhi's Statement On Pegasus: સરકાર પર પ્રહાર કરતા કહ્યુ, પેગાસસનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ

રાહુલ ગાંધી બેસીને આવ્યા તે ટ્રેક્ટરને દિલ્હી પોલીસે ઝડપી લીધું

જે ટ્રેક્ટર પર રાહુલ ગાંધી બેસીને આવ્યા તેને દિલ્હી પોલીસે ઝડપી લીધું હતું. કારણ કે, સંસદ સત્ર દરમિયાન અહીં કલમ 144 અમલમાં છે. ટ્રેક્ટરની સામે ખેડૂત કાયદાઓ વિરુદ્ધ એક પોસ્ટર ચોંટાડવામાં આવ્યું હતું અને ખેડૂતોના સમર્થનમાં વાતો કહેવામાં આવી હતી.

સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા લેવા પડશે

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યુંં કે, આ ખેડૂતોનો અવાજ છે, ખેડૂતોની વાતો સાંભળવામાં નથી આવી રહી. સરકારે આ ત્રણ કૃષિ કાયદા પાછા લેવા પડશે, આ કાળા કાયદા છે. રાહુલ ગાંધીએ જણાવ્યુંં કે, ખેડૂતો પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તેમને આતંકવાદી પણ કહેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :મોદી સમાજ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું જ નથી - સુરત ચીફ કોર્ટમાં રાહુલ ગાંધીએ રજૂ કર્યું 4 પેજનું સ્ટેટમેન્ટ

જંતર-મંતર ખાતે ખેડૂત સંસદનું આયોજન કરવામાં આવ્યું

ખેડૂત કાયદાઓ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર ખાતે ખેડૂત સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. 200 ખેડૂત દરરોજ જંતર-મંતર ખાતે સંસદનું આયોજન કરશે, જે સંસદના ચોમાસુ સત્ર સુધી ચાલુ રહેશે. છેલ્લા એક વર્ષથી ખેડૂતોનો વિરોધ પ્રદર્શન દિલ્હીની ટીકરી, સિંધુ અને ગાઝીપુર બોર્ડર પર ચાલી રહ્યો છે. ખેડુતોની માંગ છે કે, ત્રણેય કાયદા પાછા ખેંચવામાં આવે, પરંતુ સરકારનું કહેવું છે કે, કાયદા પાછા ખેંચાશે નહિ. જો કોઇ ફેરફાર કરવો પડશે તો સરકાર વાટાઘાટો માટે તૈયાર છે.

આ પણ વાંચો -

  • રાહુલ ગાંધી સોમવારે ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા
  • ખેડૂત કાયદાઓના વિરૂદ્ધ કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન શરૂ
  • ખેડૂતો પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા

નવી દિલ્હી : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે સોમવારે દરેકને ચોંકાવી દીધા છે, જ્યારે સવારે-સવારે તે દિલ્હીના રસ્તાઓ પર ટ્રેક્ટર ચલાવીતા દેખાયા હતા. ખેડૂત કાયદાઓના વિરૂદ્ધ કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન શરૂ છે અને આ કડીમાં સમવારે રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન (Parliament House) પહોંચ્યા હતા.

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા અને બીવી શ્રીનિવાસની ધરપકડ

રાહુલ ગાંધી સાથે ટ્રેક્ટર પર રણદીપ સુરજેવાલા, દીપેંદ્ર હુડ્ડા સહિત અન્ય કોંગ્રેસી નતા જોવા મળ્યા હતા. ટ્રેક્ટર ચલાવવાના આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા અને બીવી શ્રીનિવાસની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Rahul Gandhi's Statement On Pegasus: સરકાર પર પ્રહાર કરતા કહ્યુ, પેગાસસનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ

રાહુલ ગાંધી બેસીને આવ્યા તે ટ્રેક્ટરને દિલ્હી પોલીસે ઝડપી લીધું

જે ટ્રેક્ટર પર રાહુલ ગાંધી બેસીને આવ્યા તેને દિલ્હી પોલીસે ઝડપી લીધું હતું. કારણ કે, સંસદ સત્ર દરમિયાન અહીં કલમ 144 અમલમાં છે. ટ્રેક્ટરની સામે ખેડૂત કાયદાઓ વિરુદ્ધ એક પોસ્ટર ચોંટાડવામાં આવ્યું હતું અને ખેડૂતોના સમર્થનમાં વાતો કહેવામાં આવી હતી.

સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા લેવા પડશે

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યુંં કે, આ ખેડૂતોનો અવાજ છે, ખેડૂતોની વાતો સાંભળવામાં નથી આવી રહી. સરકારે આ ત્રણ કૃષિ કાયદા પાછા લેવા પડશે, આ કાળા કાયદા છે. રાહુલ ગાંધીએ જણાવ્યુંં કે, ખેડૂતો પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તેમને આતંકવાદી પણ કહેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :મોદી સમાજ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું જ નથી - સુરત ચીફ કોર્ટમાં રાહુલ ગાંધીએ રજૂ કર્યું 4 પેજનું સ્ટેટમેન્ટ

જંતર-મંતર ખાતે ખેડૂત સંસદનું આયોજન કરવામાં આવ્યું

ખેડૂત કાયદાઓ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર ખાતે ખેડૂત સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. 200 ખેડૂત દરરોજ જંતર-મંતર ખાતે સંસદનું આયોજન કરશે, જે સંસદના ચોમાસુ સત્ર સુધી ચાલુ રહેશે. છેલ્લા એક વર્ષથી ખેડૂતોનો વિરોધ પ્રદર્શન દિલ્હીની ટીકરી, સિંધુ અને ગાઝીપુર બોર્ડર પર ચાલી રહ્યો છે. ખેડુતોની માંગ છે કે, ત્રણેય કાયદા પાછા ખેંચવામાં આવે, પરંતુ સરકારનું કહેવું છે કે, કાયદા પાછા ખેંચાશે નહિ. જો કોઇ ફેરફાર કરવો પડશે તો સરકાર વાટાઘાટો માટે તૈયાર છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.