ETV Bharat / bharat

Priest murder in bastar: બીજાપુરમાં મંદિરમાં પૂજા કરતી વખતે પૂજારીની કરાઈ હત્યા

author img

By

Published : Mar 5, 2023, 4:59 PM IST

આ દિવસોમાં બસ્તર ડિવિઝનના અલગ-અલગ જિલ્લામાં હત્યાની ઘટનાઓ વધી છે. નક્સલવાદીઓ દરરોજ જનપ્રતિનિધિઓ અને ગ્રામજનોની હત્યા કરી રહ્યા છે. શનિવારે પણ બીજાપુરમાં એક પૂજારીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. પોલીસ આને પરસ્પર વિવાદમાં થયેલી હત્યા ગણાવી રહી છે.

Priest murder in bastar: બીજાપુરમાં મંદિરમાં પૂજા કરતી વખતે પૂજારીની કરાઈ હત્યા
Priest murder in bastar: બીજાપુરમાં મંદિરમાં પૂજા કરતી વખતે પૂજારીની કરાઈ હત્યા

છત્તીસગઢ: છત્તીસગઢના બીજાપુર જિલ્લાના મિરાતુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામમાં મંદિરમાં પૂજા દરમિયાન પૂજારીની હત્યા કરવામાં આવી હતી. પૂજારીનું નામ રામા કડતી છે. આ ઘટના શનિવારે મોડી સાંજે 7.30 થી 8.00 વાગ્યાની વચ્ચે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જે સમયે આ ઘટના બની તે સમયે પૂજારી મંદિરમાં પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપીઓ આવી પહોંચ્યા અને તીક્ષ્ણ હથિયાર વડે પૂજારીની નિર્દયતાથી હત્યા કરી નાખી. પૂજારીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને સ્વજનોને સોંપવામાં આવ્યું છે. આ ઘટનાને નક્સલવાદી ઘટના સાથે જોડવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Assam Crime: પિતા કે રાક્ષસ, પોતાના જ 5 મહિનાના પુત્રના અંગો તોડી આપ્યો ત્રાસ

બીજાપુરમાં પૂજારીની હત્યા: આ હત્યાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના વિશે માહિતી આપતાં મિર્ટુર એએસપીએ જણાવ્યું હતું કે, રામાકડકી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. જે વ્યકિતની હત્યા કરવામાં આવી એ યુવક મંદિરનો પૂજારી હતો. પરસ્પર દુશ્મનાવટ અને ચર્ચાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:Indian Student pee accident: અમેરિકી નાગરિક પર પેશાબ કર્યા બાદ ભારતીય નાગરિકની વધી મુશ્કેલી

અલગ-અલગ જિલ્લામાં હત્યાની ઘટનાઓ: આ દિવસોમાં બસ્તર ડિવિઝનના અલગ-અલગ જિલ્લામાં હત્યાની ઘટનાઓ વધી છે. નક્સલવાદીઓ દરરોજ જનપ્રતિનિધિઓ અને ગ્રામજનોની હત્યા કરી રહ્યા છે. શનિવારે પણ બીજાપુરમાં એક પૂજારીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. પોલીસ આને પરસ્પર વિવાદમાં થયેલી હત્યા ગણાવી રહી છે.

પરસ્પર દુશ્મનાવટ છે કારણ: બીજાપુર જિલ્લાના મિર્ટુર અને કુત્રુ વિસ્તારમાં અગાઉ પણ હત્યાના બનાવો બન્યા હતા. જેને નક્સલવાદી ઘટના તરીકે ગણવામાં આવી રહી હતી. પરંતુ પોલીસની તપાસમાં પરસ્પર ઝઘડામાં હત્યાનો મામલો સામે આવ્યો હતો. જેથી પોલીસે શનિવારે પરસ્પર અદાવતના એંગલથી પૂજારીની હત્યાની પણ તપાસ હાથ ધરી છે.

છત્તીસગઢ: છત્તીસગઢના બીજાપુર જિલ્લાના મિરાતુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામમાં મંદિરમાં પૂજા દરમિયાન પૂજારીની હત્યા કરવામાં આવી હતી. પૂજારીનું નામ રામા કડતી છે. આ ઘટના શનિવારે મોડી સાંજે 7.30 થી 8.00 વાગ્યાની વચ્ચે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જે સમયે આ ઘટના બની તે સમયે પૂજારી મંદિરમાં પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપીઓ આવી પહોંચ્યા અને તીક્ષ્ણ હથિયાર વડે પૂજારીની નિર્દયતાથી હત્યા કરી નાખી. પૂજારીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને સ્વજનોને સોંપવામાં આવ્યું છે. આ ઘટનાને નક્સલવાદી ઘટના સાથે જોડવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Assam Crime: પિતા કે રાક્ષસ, પોતાના જ 5 મહિનાના પુત્રના અંગો તોડી આપ્યો ત્રાસ

બીજાપુરમાં પૂજારીની હત્યા: આ હત્યાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના વિશે માહિતી આપતાં મિર્ટુર એએસપીએ જણાવ્યું હતું કે, રામાકડકી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. જે વ્યકિતની હત્યા કરવામાં આવી એ યુવક મંદિરનો પૂજારી હતો. પરસ્પર દુશ્મનાવટ અને ચર્ચાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:Indian Student pee accident: અમેરિકી નાગરિક પર પેશાબ કર્યા બાદ ભારતીય નાગરિકની વધી મુશ્કેલી

અલગ-અલગ જિલ્લામાં હત્યાની ઘટનાઓ: આ દિવસોમાં બસ્તર ડિવિઝનના અલગ-અલગ જિલ્લામાં હત્યાની ઘટનાઓ વધી છે. નક્સલવાદીઓ દરરોજ જનપ્રતિનિધિઓ અને ગ્રામજનોની હત્યા કરી રહ્યા છે. શનિવારે પણ બીજાપુરમાં એક પૂજારીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. પોલીસ આને પરસ્પર વિવાદમાં થયેલી હત્યા ગણાવી રહી છે.

પરસ્પર દુશ્મનાવટ છે કારણ: બીજાપુર જિલ્લાના મિર્ટુર અને કુત્રુ વિસ્તારમાં અગાઉ પણ હત્યાના બનાવો બન્યા હતા. જેને નક્સલવાદી ઘટના તરીકે ગણવામાં આવી રહી હતી. પરંતુ પોલીસની તપાસમાં પરસ્પર ઝઘડામાં હત્યાનો મામલો સામે આવ્યો હતો. જેથી પોલીસે શનિવારે પરસ્પર અદાવતના એંગલથી પૂજારીની હત્યાની પણ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.