ETV Bharat / bharat

પીએમ મોદીનો કાનપુરમાં હુંકાર: 2022માં પરિવારવાદનો પરાજય થશે

author img

By

Published : Feb 14, 2022, 5:40 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુર (PM Modi in Kanpur )દેહાતમાં એક વિશાળ જનસભાને સંબોધતા કહ્યું કે 2022માં પરિવારવાદનો પરાજય થશે.

પીએમ મોદીનો કાનપુરમાં હુંકાર: 2022માં પરિવારવાદનો પરાજય થશે
પીએમ મોદીનો કાનપુરમાં હુંકાર: 2022માં પરિવારવાદનો પરાજય થશે

લખનઉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુર (PM Modi in Kanpur ) દેહાતમાં એક વિશાળ જનસભાને સંબોધતા કહ્યું કે, 2022માં પરિવારવાદનો પરાજય થશે. પીએમ મોદીએ કાનપુર દેહાતમાં એક વિશાળ જનસભાને સંબોધિત (Kanpur pm modi addressed) કરતા કહ્યું કે, યુપીના લોકોએ 2014માં તેમને હરાવ્યા, 2017માં તેમને હરાવ્યા અને 2019માં ફરી એક વખત હરાવ્યા અને હવે 2022માં પણ ભયાનક પરિવારવાદીઓ ફરી હારી જશે.

આ પણ વાંચો: અટકટો જ નથી હિજાબ વિવાદ: હિજાબ પહેરેલી વિદ્યાર્થીનીઓએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો

નાના ખેડૂતો સાથે છેતરપિંડી

આત્યંતિક પરિવારવાદીઓએ હંમેશા ખેડૂતો અને ખાસ કરીને નાના ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. સમગ્ર દેશમાં માત્ર અને માત્ર ભાજપ જ નાના ખેડૂતોની ચિંતા કરે છે. અમે નાના ખેડૂતો માટે PM કિસાન સન્માન નિધિ (PM kisan samman nidhi) શરૂ કરી, તેમના બેંક ખાતામાં સીધા પૈસા મોકલવાનું શરૂ કર્યું. PMએ કહ્યું, 'આજે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં બીજા તબક્કાનું મતદાન (Second session election) ચાલી રહ્યું છે. હું તમામ મતદારોને, ખાસ કરીને પ્રથમ વખતના મતદારોને વધુમાં વધુ મતદાન કરવા વિનંતી કરું છું.

આ પણ વાંચો: ABG Shipyard Scam: નાણાપ્રધાને કહ્યું- કોંગ્રેસના જમાનામાં બેંક ખાતા NPA બન્યા

તમારી ઉર્જા પણ વધી રહી છે

હું વિચારતો હતો કે આટલા દિવસોથી તમે બધા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છો. પણ હું જોઉં છું કે તમારી ઉર્જા પણ વધી રહી છે, ઉત્સાહ પણ વધી રહ્યો છે. કાનપુર દેહાતે પોતાના પુત્રને દેશના સર્વોચ્ચ પદ પર મોકલ્યો છે. હું જ્યારે પણ આપણા આદરણીય રાષ્ટ્રપતિને મળવા જાઉં છું, ત્યારે તેઓ મને તમારા વિશે ઘણી બધી વાતો કહે છે, તમારા માટે તેમનો જે પ્રેમ છે તે તેમના શબ્દોમાં સરળતાથી સમજી શકાય છે.

લખનઉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુર (PM Modi in Kanpur ) દેહાતમાં એક વિશાળ જનસભાને સંબોધતા કહ્યું કે, 2022માં પરિવારવાદનો પરાજય થશે. પીએમ મોદીએ કાનપુર દેહાતમાં એક વિશાળ જનસભાને સંબોધિત (Kanpur pm modi addressed) કરતા કહ્યું કે, યુપીના લોકોએ 2014માં તેમને હરાવ્યા, 2017માં તેમને હરાવ્યા અને 2019માં ફરી એક વખત હરાવ્યા અને હવે 2022માં પણ ભયાનક પરિવારવાદીઓ ફરી હારી જશે.

આ પણ વાંચો: અટકટો જ નથી હિજાબ વિવાદ: હિજાબ પહેરેલી વિદ્યાર્થીનીઓએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો

નાના ખેડૂતો સાથે છેતરપિંડી

આત્યંતિક પરિવારવાદીઓએ હંમેશા ખેડૂતો અને ખાસ કરીને નાના ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. સમગ્ર દેશમાં માત્ર અને માત્ર ભાજપ જ નાના ખેડૂતોની ચિંતા કરે છે. અમે નાના ખેડૂતો માટે PM કિસાન સન્માન નિધિ (PM kisan samman nidhi) શરૂ કરી, તેમના બેંક ખાતામાં સીધા પૈસા મોકલવાનું શરૂ કર્યું. PMએ કહ્યું, 'આજે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં બીજા તબક્કાનું મતદાન (Second session election) ચાલી રહ્યું છે. હું તમામ મતદારોને, ખાસ કરીને પ્રથમ વખતના મતદારોને વધુમાં વધુ મતદાન કરવા વિનંતી કરું છું.

આ પણ વાંચો: ABG Shipyard Scam: નાણાપ્રધાને કહ્યું- કોંગ્રેસના જમાનામાં બેંક ખાતા NPA બન્યા

તમારી ઉર્જા પણ વધી રહી છે

હું વિચારતો હતો કે આટલા દિવસોથી તમે બધા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છો. પણ હું જોઉં છું કે તમારી ઉર્જા પણ વધી રહી છે, ઉત્સાહ પણ વધી રહ્યો છે. કાનપુર દેહાતે પોતાના પુત્રને દેશના સર્વોચ્ચ પદ પર મોકલ્યો છે. હું જ્યારે પણ આપણા આદરણીય રાષ્ટ્રપતિને મળવા જાઉં છું, ત્યારે તેઓ મને તમારા વિશે ઘણી બધી વાતો કહે છે, તમારા માટે તેમનો જે પ્રેમ છે તે તેમના શબ્દોમાં સરળતાથી સમજી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.