ETV Bharat / bharat

PM Modi Advices to New Ministers: અનાવશ્યક નિવેદનો આપવાથી બચો

બુધવારના રોજ મોદી કેબિનેટનું વિસ્તરણ (Expansion of the Cabinet)કરવામાં આવ્યું છે. આમાં 43 પ્રધાનોને શપથ અપાવવામાં આવી છે. જ્યારબાદ મોદી કેબિનેટમાં 77 પ્રધાનો થઈ ગયા છે. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીએ નવા પ્રધાનોને અનાવશ્યક નિવેદનો (PM Modi Advices to New Ministers) આપવાથી બચવાની સલાહ આપી છે.

author img

By

Published : Jul 9, 2021, 8:43 AM IST

PM Modi
PM Modi
  • વડાપ્રધાન મોદીની નવા પ્રધાનોને અનાવશ્યક નિવેદનો આપવાથી બચવાની સલાહ
  • સાંસદની કાર્યવાહીમાં સંપૂર્ણ તૈયારી સાથે આવવાની સલાહ
  • મંત્રાલયના કામોમાં પણ ખૂબ સામેલ રહો: વડાપ્રધાન મોદી

નવી દિલ્હી: મોદી કેબિનેટ (Modi Cabinet)માં સામેલ થયેલા પ્રધાનોએ ગુરૂવારના રોજ પોતાનો કાર્યભાર સંભાળ્યો. સાંજે થયેલી મહત્વની કેબિનેટ બેઠકમાં પણ ભાગ લીધો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નવા પ્રધાનોને કામની શરૂઆત કરતા પહેલા કેટલાક મંત્રો આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ નવા પ્રધાનોને તેમના પૂર્વ પ્રધાનોને મળવા અને તેમના અનુભવો પરથી શીખવા કહ્યું હતું. તેમણે નવા પ્રધાનોની કાઉન્સિલની બેઠકમાં કહ્યું કે, હવે તેનો ભાગ ન રહેનારા પ્રધાનોએ ઘણું યોગદાન આપ્યું, નવા પ્રધાનો તેમની પાસેથી શીખી શકે છે.

આ પણ વાંચો: Cabinet Portfolios: અનુરાગ ઠાકુરને સૂચના પ્રસારણ, ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષા મંત્રાલય

આ સાથે જ વડાપ્રધાને કાઉન્સિલની બેઠકમાં પ્રધાનોને જણાવ્યું કે, તેઓ સ્વચ્છતા કાર્યક્રમ બનાવે અને પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપે.

મંત્રાલયના કામોમાં પણ ખૂબ સામેલ રહો: વડાપ્રધાન મોદી

તેઓએ કહ્યું કે, તેઓ સાંસદની કાર્યવાહીમાં સંપૂર્ણ તૈયારીઓ સાથે આવે અને મીડિયામાં અનાવશ્યક નિવેદનો આપવાથી બચે (Avoid making unnecessary statements). આ સાથે જ, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મંત્રાલયના કામોમાં પણ ખૂબ સામેલ રહો.

મોદી કેબિનેટના વિસ્તરણ પહેલા અનેક દિગ્ગજ નેતાઓનું રાજીનામું

ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ મોદી કેબિનેટનું વિસ્તરણ (Expansion of the Cabinet) કરવામાં આવ્યું છે. આમાં 43 પ્રધાનોને શપથ અપાવવામાં આવી છે. જ્યારબાદ મોદી કેબિનેટમાં 77 પ્રધાનો થઈ ગયા છે. 36 નવા ચહેરાઓને જગ્યા આપવામાં આવી છે જ્યારે 7 પ્રધાનોનું પ્રમોશન કરીને તેમને કેબિનેટ રેન્ક આપવામાં આવ્યો છે. આ સાથે જ, કેબિનેટ વિસ્તરણ પહેલા રવિ શંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકર અને હર્ષ વર્ધન સહિત કેટલાયે દિગ્ગજ નેતાઓએ પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો: Expansion of the Cabinet: મોદી પ્રધાનમંડળમાં સાત મહિલા સાંસદોને મળ્યુ સ્થાન

વડાપ્રધાન મોદીની નવા પ્રધાનોને અનાવશ્યક નિવેદનો આપવાથી બચવાની સલાહ

નવા કેબિનેટમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોને પસંદગી કરવામાં આવી છે, જ્યાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ સાથે કેબિનેટમાં યુવાનો, વ્યાવસાયિકો અને અનુભવી લોકોની વિશેષ પસંદગી કરવામાં આવી છે.

  • વડાપ્રધાન મોદીની નવા પ્રધાનોને અનાવશ્યક નિવેદનો આપવાથી બચવાની સલાહ
  • સાંસદની કાર્યવાહીમાં સંપૂર્ણ તૈયારી સાથે આવવાની સલાહ
  • મંત્રાલયના કામોમાં પણ ખૂબ સામેલ રહો: વડાપ્રધાન મોદી

નવી દિલ્હી: મોદી કેબિનેટ (Modi Cabinet)માં સામેલ થયેલા પ્રધાનોએ ગુરૂવારના રોજ પોતાનો કાર્યભાર સંભાળ્યો. સાંજે થયેલી મહત્વની કેબિનેટ બેઠકમાં પણ ભાગ લીધો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નવા પ્રધાનોને કામની શરૂઆત કરતા પહેલા કેટલાક મંત્રો આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ નવા પ્રધાનોને તેમના પૂર્વ પ્રધાનોને મળવા અને તેમના અનુભવો પરથી શીખવા કહ્યું હતું. તેમણે નવા પ્રધાનોની કાઉન્સિલની બેઠકમાં કહ્યું કે, હવે તેનો ભાગ ન રહેનારા પ્રધાનોએ ઘણું યોગદાન આપ્યું, નવા પ્રધાનો તેમની પાસેથી શીખી શકે છે.

આ પણ વાંચો: Cabinet Portfolios: અનુરાગ ઠાકુરને સૂચના પ્રસારણ, ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષા મંત્રાલય

આ સાથે જ વડાપ્રધાને કાઉન્સિલની બેઠકમાં પ્રધાનોને જણાવ્યું કે, તેઓ સ્વચ્છતા કાર્યક્રમ બનાવે અને પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપે.

મંત્રાલયના કામોમાં પણ ખૂબ સામેલ રહો: વડાપ્રધાન મોદી

તેઓએ કહ્યું કે, તેઓ સાંસદની કાર્યવાહીમાં સંપૂર્ણ તૈયારીઓ સાથે આવે અને મીડિયામાં અનાવશ્યક નિવેદનો આપવાથી બચે (Avoid making unnecessary statements). આ સાથે જ, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મંત્રાલયના કામોમાં પણ ખૂબ સામેલ રહો.

મોદી કેબિનેટના વિસ્તરણ પહેલા અનેક દિગ્ગજ નેતાઓનું રાજીનામું

ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ મોદી કેબિનેટનું વિસ્તરણ (Expansion of the Cabinet) કરવામાં આવ્યું છે. આમાં 43 પ્રધાનોને શપથ અપાવવામાં આવી છે. જ્યારબાદ મોદી કેબિનેટમાં 77 પ્રધાનો થઈ ગયા છે. 36 નવા ચહેરાઓને જગ્યા આપવામાં આવી છે જ્યારે 7 પ્રધાનોનું પ્રમોશન કરીને તેમને કેબિનેટ રેન્ક આપવામાં આવ્યો છે. આ સાથે જ, કેબિનેટ વિસ્તરણ પહેલા રવિ શંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકર અને હર્ષ વર્ધન સહિત કેટલાયે દિગ્ગજ નેતાઓએ પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો: Expansion of the Cabinet: મોદી પ્રધાનમંડળમાં સાત મહિલા સાંસદોને મળ્યુ સ્થાન

વડાપ્રધાન મોદીની નવા પ્રધાનોને અનાવશ્યક નિવેદનો આપવાથી બચવાની સલાહ

નવા કેબિનેટમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોને પસંદગી કરવામાં આવી છે, જ્યાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ સાથે કેબિનેટમાં યુવાનો, વ્યાવસાયિકો અને અનુભવી લોકોની વિશેષ પસંદગી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.