ETV Bharat / bharat

કન્નૌજમાં આગ્રા એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એકનું મોત અને 30 ઇજાગ્રસ્ત

author img

By

Published : May 24, 2021, 9:49 AM IST

કન્નૌજમાં લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર ડિવાઇડરને ટક્કર મારતાં એક ડબલ ડેકર બસ પલટી ગઈ હતી. આ પછી પાછળથી આવી રહેલી એક કાર પણ બસ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 30 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

કન્નૌજમાં આગ્રા એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એકનું મોત અને 30 ઇજાગ્રસ્ત
કન્નૌજમાં આગ્રા એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એકનું મોત અને 30 ઇજાગ્રસ્ત
  • કોટવાલી વિસ્તારના સીકરોરી ગામની સામે એક મોટો અકસ્માત સર્જાયો
  • ડબલ ડેકર બસએ ડિવાઇડરને ટક્કર મારતાં પલટી ગઈ
  • અકસ્માતમાં બસમાં સવાર 30 પ્રવાસી ઇજાગ્રસ્ત થયા હતા

કન્નૌજ: આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ગત રાત્રે તિરવા કોટવાલી વિસ્તારના સીકરોરી ગામની સામે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં ડબલ ડેકર બસએ ડિવાઇડરને ટક્કર મારતાં પલટી ગઈ હતી. જે બાદ પાછળથી આવી રહેલી એક કાર પણ બસ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 30 પ્રવાસી ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તમામ ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી 6 ઇજાગ્રસ્તોને ગંભીર હાલતમાં કાનપુર રિફર કરાયા હતા. બસ પશ્ચિમ બંગાળના માલદાથી ગુરુગ્રામ જઈ રહી હતી.

આ પણ વાંચો: નખત્રાણામાં મીની ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત

શું છે આખો મામલો?

આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર તિરવા કોટવાલી વિસ્તારમાં 195 માઇલ્ડ સ્ટોન નજીક પશ્ચિમ બંગાળના માલદાથી ગુરુગ્રામ જઈ રહેલી ખાનગી ડબલ ડેકર બસ ડિવાઇડર સાથે બેકાબૂ થઇને અથડાઇ હતી. જે બાદ બસ રસ્તા પર પલટી ગઈ હતી. દરમિયાન પાછળથી આવી રહેલી હાઇસ્પીડ કાર પણ બસ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 30 જેટલા બસ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. જ્યારે કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ રાકેશ ધર દુબે (50) પુત્ર રામ ઇકબાલ, રહેવાસી મધ્યપ્રદેશના સિંગરૌલી તરીકે થયેલી છે. પોલીસ અને UPID ટીમે તમામ ઇજાગ્રસ્તોને બસમાંથી ઝડપી પાડ્યા હતા. જે બાદ તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સની મદદથી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 6 ઇજાગ્રસ્તોની નાજુક હાલત જોતા તબીબોએ તેમને કાનપુર રિફર કર્યા હતા. પોલીસને મૃતદેહ મળી આવ્યો છે.

આ પણ વાંચો: મહેસાણામાં વિજાપુર- હિંમતનગર હાઇવે પર ટ્રેલર ઉભેલી ટ્રક સાથે ટકરાયું, એકનું મોત

6 લોકોને ગંભીર હાલતમાં કાનપુર રિફર કરાયા

ગત રાત્રે એક વાગ્યે સાસીકલા, તનુજા, બિટ્તુ, ફિરોઝ, દેવેન્દ્ર, ફઝરુલ, જીતેન્દ્ર, શ્યામ, રામ, કેશવ, મસરુલ, જન્ન્તુસ, ઓમર ફારૂક, અબતુલ્લા, મોહમ્મદ હારૂન, મંજુર આલમ , સુજિત સરકાર, મુમતાઝ, સૈદુલ્લા, આયુબ, અંદર દુલ્હાકા, પંકજ, શોભા, બ્યુટી, કલીમ, રાહુલ, અમીન, અનવર હુસેન સહિત 30 લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 6 લોકોને ગંભીર હાલતમાં કાનપુર રિફર કરાયા હતા.

  • કોટવાલી વિસ્તારના સીકરોરી ગામની સામે એક મોટો અકસ્માત સર્જાયો
  • ડબલ ડેકર બસએ ડિવાઇડરને ટક્કર મારતાં પલટી ગઈ
  • અકસ્માતમાં બસમાં સવાર 30 પ્રવાસી ઇજાગ્રસ્ત થયા હતા

કન્નૌજ: આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ગત રાત્રે તિરવા કોટવાલી વિસ્તારના સીકરોરી ગામની સામે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં ડબલ ડેકર બસએ ડિવાઇડરને ટક્કર મારતાં પલટી ગઈ હતી. જે બાદ પાછળથી આવી રહેલી એક કાર પણ બસ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 30 પ્રવાસી ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તમામ ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી 6 ઇજાગ્રસ્તોને ગંભીર હાલતમાં કાનપુર રિફર કરાયા હતા. બસ પશ્ચિમ બંગાળના માલદાથી ગુરુગ્રામ જઈ રહી હતી.

આ પણ વાંચો: નખત્રાણામાં મીની ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત

શું છે આખો મામલો?

આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર તિરવા કોટવાલી વિસ્તારમાં 195 માઇલ્ડ સ્ટોન નજીક પશ્ચિમ બંગાળના માલદાથી ગુરુગ્રામ જઈ રહેલી ખાનગી ડબલ ડેકર બસ ડિવાઇડર સાથે બેકાબૂ થઇને અથડાઇ હતી. જે બાદ બસ રસ્તા પર પલટી ગઈ હતી. દરમિયાન પાછળથી આવી રહેલી હાઇસ્પીડ કાર પણ બસ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 30 જેટલા બસ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. જ્યારે કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ રાકેશ ધર દુબે (50) પુત્ર રામ ઇકબાલ, રહેવાસી મધ્યપ્રદેશના સિંગરૌલી તરીકે થયેલી છે. પોલીસ અને UPID ટીમે તમામ ઇજાગ્રસ્તોને બસમાંથી ઝડપી પાડ્યા હતા. જે બાદ તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સની મદદથી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 6 ઇજાગ્રસ્તોની નાજુક હાલત જોતા તબીબોએ તેમને કાનપુર રિફર કર્યા હતા. પોલીસને મૃતદેહ મળી આવ્યો છે.

આ પણ વાંચો: મહેસાણામાં વિજાપુર- હિંમતનગર હાઇવે પર ટ્રેલર ઉભેલી ટ્રક સાથે ટકરાયું, એકનું મોત

6 લોકોને ગંભીર હાલતમાં કાનપુર રિફર કરાયા

ગત રાત્રે એક વાગ્યે સાસીકલા, તનુજા, બિટ્તુ, ફિરોઝ, દેવેન્દ્ર, ફઝરુલ, જીતેન્દ્ર, શ્યામ, રામ, કેશવ, મસરુલ, જન્ન્તુસ, ઓમર ફારૂક, અબતુલ્લા, મોહમ્મદ હારૂન, મંજુર આલમ , સુજિત સરકાર, મુમતાઝ, સૈદુલ્લા, આયુબ, અંદર દુલ્હાકા, પંકજ, શોભા, બ્યુટી, કલીમ, રાહુલ, અમીન, અનવર હુસેન સહિત 30 લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 6 લોકોને ગંભીર હાલતમાં કાનપુર રિફર કરાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.