ETV Bharat / bharat

Ayodhyaથી માયાવતી બીએસપી બ્રાહ્મણ સમુદાયનું કેમ્પઈન કરશે શરૂ

ઉત્તર પ્રદેશમાં યોજાનાર વિધાનસભાને લઈને રાજનીતિક પાર્ટીઓએ રણનીતિ બનાવવાની શરૂ કરી દીધી છે. આ જ ક્રમે બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું કે તેઓ 23 જુલાઈથી બહુજન સમાજ પાર્ટી બ્રાહ્મણ સમુદાયને જોડવા માટે અયોધ્યાથી એક કેમ્પઈન લોન્ચ કરશે. આ અભિયાનને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્ર સંભાળશે.

author img

By

Published : Jul 18, 2021, 6:19 PM IST

માયાવતી બીએસપી બ્રાહ્મણ સમુદાયનું કેમ્પઈન કરશે શરૂ
માયાવતી બીએસપી બ્રાહ્મણ સમુદાયનું કેમ્પઈન કરશે શરૂ

23 જુલાઈથી બહુજન સમાજ પાર્ટી બ્રાહ્મણ સમુદાયને જોડવા કેમ્પઈન કરશે

આ અભિયાનનું નેતૃત્વ બીએસપી રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા કરશે

સંસદનું મોનસૂન સત્ર સોમવારથી થશે શરૂ

હૈદરાબાદ: બસપા સુપ્રીમો માયાવતી(mayavti)એ દાવો કર્યો છે કે, ઉત્તરપ્રદેશ થનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં બ્રાહ્મણ ભારતીય જનતા પાર્ટીને વોટ નહિ કરે. માયાવતીએ જણાવ્યું કે, 23 જુલાઈથી બહુજન સમાજ પાર્ટી બ્રાહ્મણ સમુદાયને જોડવા માટે અયોધ્યાથી એક કેમ્પઈન લોન્ચ કરશે. આ અભિયાનનું નેતૃત્વ બીએસપી(BSP)ના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા(satish chandr mishra) કરશે. આ જાણકારી તેમણે રવિવારે આપી હતી.

મોંઘવારી, પેટ્રોલ અને ગેસની વધતી કીંમતને લઈને કેન્દ્ર પર નિશાન તાક્યું હતું

તેમનું કહેવું છે કે, આ કેમ્પઈન દ્વારા તે બ્રાહ્મણોને સંદેશ આપવા માગે છે કે, બીએસપી(BSP) રાજમાં તેમના હિતોનું ધ્યાન રાખવામાં આવે છે. જો કે, સંસદનું મોન્સૂન સત્ર સોમવારથી શરૂ થનારું છે. સત્ર પહેલા બસપા સુપ્રીમો માયાવતી(mayavti)એ પોતાની રણનીતિ અંગે જાણકારી આપી હતી. તેમણે કેન્દ્ર સરકાર પર મોંઘવારી, પેટ્રોલ અને ગેસના વધતા ભાવ વધારા સાથે કોવિડ વેક્સિનમાં અછત પર નિશાન તાક્યું હતું. તેમણે બધા વિપક્ષી દળોને આ મુદ્દા પર એકસાથે થવાની અપીલ કરી જેથી સરકારને જવાબદાર બનાવવામાં આવે.

આ પણ વાંચો : કુદરતી સંકેતોના આધારે વરસાદની આગાહી, રાજ્યમાં એક સપ્તાહ સુધી સારા વરસાદના અણસાર

યુપીની 2007ની ચુંટણીમાં બસપાએ 403માં 206 સીટો જીતી હતી

માનવામાં આવે છે કે, બસપાના બ્રાહ્મણ વોટને જોડનારા નિવેદન પછી યુપીની રાજનૈતિક ખળભળાટ મચવાનું નક્કી છે. માયાવતી(mayavti) અત્યારસુધી ચાર વાર ઉત્તર પ્રદેશની મુખ્યપ્રધાન રહી ચૂંકી છે. તેમની ચોથી કાર્યકાળ માટે, તેણે તેમની સામાજિક એન્જિનિયરિંગને કારણે સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી. 2007માં તેમને 403 સીટોની વિધાનસભામાં 206 સીટ મળી હતી. તેમની સામાજિક એન્જીનીયરીંગના એન્જીનીયર સતીશ ચંદ્ર મિશ્રા(satish chandr mishra) જ હતા. ત્યારે આ વોટ કોમ્બિનેશનને કારણે ‘બીએસપીના નારા, હાથી નહીં, ગણેશ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે’. તે ઘણા જાણીતા થયા હતાં.

માયાવતી બીએસપી બ્રાહ્મણ સમુદાયનું કેમ્પઈન કરશે શરૂ
માયાવતી બીએસપી બ્રાહ્મણ સમુદાયનું કેમ્પઈન કરશે શરૂ
માયાવતી બીએસપી બ્રાહ્મણ સમુદાયનું કેમ્પઈન કરશે શરૂ
માયાવતી બીએસપી બ્રાહ્મણ સમુદાયનું કેમ્પઈન કરશે શરૂ

યુપીમાં 20 ટકા દલિત તો 12 ટકા જાટવની વસ્તી છે

યુપીની વસ્તીમાં દલિત 20 ટકા છે, તો જાટવ સમુદાયની જનસંખ્યા 12 ટકા છે. રવિવારે બ્રાહ્મણ જોડો અભિયાનની ઘોષણા કરતા માયાવતીએ સાફ કરી દીધું છે કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં તે બ્રાહ્મણ ઉમેદવારો પર દાવ લગાવશે. પાર્ટી પાસે સતીશ ચંદ્ર મિશ્રા(satish chandr mishra) સિવાય રામવીર ઉપાધ્યાય જેવા ચહેરા છે, જે પશ્ચિમ યુપીની રાજનીતિ પર સારી પકડ રાખી શકે છે.

આ પણ વાંચો : કેવી રીતે પહોંચી વળશે ગુજરાત ત્રીજી લહેર પહેલા ?

બીએસપી સ્થાનિય સ્તર પર બ્રાહ્મણ નેતૃત્વનો પ્રયોગ કરી ચૂકી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(prime minister narendr modi)એ મંત્રીમંડળ વિસ્તરણ દરમિયાન ઓબીસી અને દલિત ચહેરાઓને પ્રમુખતા આપી હતી. તેમણે કેન્દ્રીય મંત્રીમંડળમાં યુપીમાંથી એક જ બ્રાહ્મણ ચહેરાને શામેલ કર્યો હતો. રાજનીતિક વિશ્લેષક માને છે કે, આવામાં બીએસપી(BSP)નું કેમ્પઈન બ્રહ્મણોને વોટ કરવા માટે નવો ઓપ્શન જરૂર આપશે. કારણ કે બીએસપી સ્થાનિય સ્તર પર બ્રાહ્મણ નેતૃત્વનો પ્રયોગ કરી ચૂંકી છે, તેથી તેને મજબૂત કેન્ડીડેટ શોધવામાં મુશ્કેલી થાય નહિ.

સતીશ મિશ્ર સંભાળશે અભિયાન

સતીશ ચંદ્ર મિશ્રા(satish chandr mishra) બહુજન સમાજ પાર્ટીના વરિષ્ઠ નેતા છે. વ્યવસાયે વકીલ, સતીષચંદ્ર મિશ્રા 2004 થી સતત રાજ્યસભાના સભ્ય છે. તેઓ માયાવતીના ઘણા ખાસ નેતાઓમાંથી એક ગણાય છે. બહુંજન સમાજ પાર્ટીના અખિલ ભારતીય મહાસચિવના રૂપમાં પણ તેમની ઓળખ છે. માનવામાં આવે છે કે, માયાવતી(mayavti) પોતાના બધા મોટા નિર્ણયમાં તેમનો મત જરૂર લે છે. 2007માં પણ તેઓ પોતાની રાજનીતિક સામાજિક એન્જીનીયરીંગ નો સફળ પ્રયોગ કરી ચૂક્યા છે.

23 જુલાઈથી બહુજન સમાજ પાર્ટી બ્રાહ્મણ સમુદાયને જોડવા કેમ્પઈન કરશે

આ અભિયાનનું નેતૃત્વ બીએસપી રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા કરશે

સંસદનું મોનસૂન સત્ર સોમવારથી થશે શરૂ

હૈદરાબાદ: બસપા સુપ્રીમો માયાવતી(mayavti)એ દાવો કર્યો છે કે, ઉત્તરપ્રદેશ થનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં બ્રાહ્મણ ભારતીય જનતા પાર્ટીને વોટ નહિ કરે. માયાવતીએ જણાવ્યું કે, 23 જુલાઈથી બહુજન સમાજ પાર્ટી બ્રાહ્મણ સમુદાયને જોડવા માટે અયોધ્યાથી એક કેમ્પઈન લોન્ચ કરશે. આ અભિયાનનું નેતૃત્વ બીએસપી(BSP)ના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા(satish chandr mishra) કરશે. આ જાણકારી તેમણે રવિવારે આપી હતી.

મોંઘવારી, પેટ્રોલ અને ગેસની વધતી કીંમતને લઈને કેન્દ્ર પર નિશાન તાક્યું હતું

તેમનું કહેવું છે કે, આ કેમ્પઈન દ્વારા તે બ્રાહ્મણોને સંદેશ આપવા માગે છે કે, બીએસપી(BSP) રાજમાં તેમના હિતોનું ધ્યાન રાખવામાં આવે છે. જો કે, સંસદનું મોન્સૂન સત્ર સોમવારથી શરૂ થનારું છે. સત્ર પહેલા બસપા સુપ્રીમો માયાવતી(mayavti)એ પોતાની રણનીતિ અંગે જાણકારી આપી હતી. તેમણે કેન્દ્ર સરકાર પર મોંઘવારી, પેટ્રોલ અને ગેસના વધતા ભાવ વધારા સાથે કોવિડ વેક્સિનમાં અછત પર નિશાન તાક્યું હતું. તેમણે બધા વિપક્ષી દળોને આ મુદ્દા પર એકસાથે થવાની અપીલ કરી જેથી સરકારને જવાબદાર બનાવવામાં આવે.

આ પણ વાંચો : કુદરતી સંકેતોના આધારે વરસાદની આગાહી, રાજ્યમાં એક સપ્તાહ સુધી સારા વરસાદના અણસાર

યુપીની 2007ની ચુંટણીમાં બસપાએ 403માં 206 સીટો જીતી હતી

માનવામાં આવે છે કે, બસપાના બ્રાહ્મણ વોટને જોડનારા નિવેદન પછી યુપીની રાજનૈતિક ખળભળાટ મચવાનું નક્કી છે. માયાવતી(mayavti) અત્યારસુધી ચાર વાર ઉત્તર પ્રદેશની મુખ્યપ્રધાન રહી ચૂંકી છે. તેમની ચોથી કાર્યકાળ માટે, તેણે તેમની સામાજિક એન્જિનિયરિંગને કારણે સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી. 2007માં તેમને 403 સીટોની વિધાનસભામાં 206 સીટ મળી હતી. તેમની સામાજિક એન્જીનીયરીંગના એન્જીનીયર સતીશ ચંદ્ર મિશ્રા(satish chandr mishra) જ હતા. ત્યારે આ વોટ કોમ્બિનેશનને કારણે ‘બીએસપીના નારા, હાથી નહીં, ગણેશ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે’. તે ઘણા જાણીતા થયા હતાં.

માયાવતી બીએસપી બ્રાહ્મણ સમુદાયનું કેમ્પઈન કરશે શરૂ
માયાવતી બીએસપી બ્રાહ્મણ સમુદાયનું કેમ્પઈન કરશે શરૂ
માયાવતી બીએસપી બ્રાહ્મણ સમુદાયનું કેમ્પઈન કરશે શરૂ
માયાવતી બીએસપી બ્રાહ્મણ સમુદાયનું કેમ્પઈન કરશે શરૂ

યુપીમાં 20 ટકા દલિત તો 12 ટકા જાટવની વસ્તી છે

યુપીની વસ્તીમાં દલિત 20 ટકા છે, તો જાટવ સમુદાયની જનસંખ્યા 12 ટકા છે. રવિવારે બ્રાહ્મણ જોડો અભિયાનની ઘોષણા કરતા માયાવતીએ સાફ કરી દીધું છે કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં તે બ્રાહ્મણ ઉમેદવારો પર દાવ લગાવશે. પાર્ટી પાસે સતીશ ચંદ્ર મિશ્રા(satish chandr mishra) સિવાય રામવીર ઉપાધ્યાય જેવા ચહેરા છે, જે પશ્ચિમ યુપીની રાજનીતિ પર સારી પકડ રાખી શકે છે.

આ પણ વાંચો : કેવી રીતે પહોંચી વળશે ગુજરાત ત્રીજી લહેર પહેલા ?

બીએસપી સ્થાનિય સ્તર પર બ્રાહ્મણ નેતૃત્વનો પ્રયોગ કરી ચૂકી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(prime minister narendr modi)એ મંત્રીમંડળ વિસ્તરણ દરમિયાન ઓબીસી અને દલિત ચહેરાઓને પ્રમુખતા આપી હતી. તેમણે કેન્દ્રીય મંત્રીમંડળમાં યુપીમાંથી એક જ બ્રાહ્મણ ચહેરાને શામેલ કર્યો હતો. રાજનીતિક વિશ્લેષક માને છે કે, આવામાં બીએસપી(BSP)નું કેમ્પઈન બ્રહ્મણોને વોટ કરવા માટે નવો ઓપ્શન જરૂર આપશે. કારણ કે બીએસપી સ્થાનિય સ્તર પર બ્રાહ્મણ નેતૃત્વનો પ્રયોગ કરી ચૂંકી છે, તેથી તેને મજબૂત કેન્ડીડેટ શોધવામાં મુશ્કેલી થાય નહિ.

સતીશ મિશ્ર સંભાળશે અભિયાન

સતીશ ચંદ્ર મિશ્રા(satish chandr mishra) બહુજન સમાજ પાર્ટીના વરિષ્ઠ નેતા છે. વ્યવસાયે વકીલ, સતીષચંદ્ર મિશ્રા 2004 થી સતત રાજ્યસભાના સભ્ય છે. તેઓ માયાવતીના ઘણા ખાસ નેતાઓમાંથી એક ગણાય છે. બહુંજન સમાજ પાર્ટીના અખિલ ભારતીય મહાસચિવના રૂપમાં પણ તેમની ઓળખ છે. માનવામાં આવે છે કે, માયાવતી(mayavti) પોતાના બધા મોટા નિર્ણયમાં તેમનો મત જરૂર લે છે. 2007માં પણ તેઓ પોતાની રાજનીતિક સામાજિક એન્જીનીયરીંગ નો સફળ પ્રયોગ કરી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.