ETV Bharat / bharat

Atiq Ahmed Murder: મીડિયાકર્મીના વેશમાં આવ્યા હતા અતિક-અશરફને મારવા, નામ જાહેર કરાયા

author img

By

Published : Apr 16, 2023, 8:55 AM IST

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતિક અહેમદ અને એના ભાઈ અશરફને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મીડિયા કર્મી બનીને આવેલા આરોપીઓએ ધડાધડ ફાયરિંગ કરીને ગુંડાઓના ઢીમ ઢાળી દીધા હતા. જ્યારે અતિક થોડા સમય સુધી જમીન પર પડીને ફફડતો રહ્યો હતો. જ્યારે અશરફ ત્યાં જ ઢેર થઈ ગયો હતો.

Atiq Ahmed Murder: મીડિયાકર્મીના વેશમાં આવ્યા હતા અતિક-અશરફને મારવા, નામ જાહેર કરાયા
Atiq Ahmed Murder: મીડિયાકર્મીના વેશમાં આવ્યા હતા અતિક-અશરફને મારવા, નામ જાહેર કરાયા

પ્રયાગરાજઃ માફિયા અતિક અહેમત અને તેના ભાઈ અશરફની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી. મીડિયાકર્મીના વેશમાં આવીને બન્ને પર ગોળીબાર કર્યો હતો. પોલીસ બન્ને આરોપીઓને લઈને કોલવીન હોસ્પિટલ ચેકઅપ માટે પહોંચી ત્યારે આ ઘટના બની હતી. આ દરમિયાન ત્રણ શખ્સોએ એના પર હુમલો કરી દીધો હતો. પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી લીધી છે. આ ઘટના સામે આવ્યા બાદ ઉત્તર પ્રદેશ પોલીસે સમગ્ર શહેરમાં એલર્ટ જાહેર કરી દીધું છે. સમગ્ર વિસ્તારમાં 144ની કલમ લાગુ કરી દીધી છે.

આ પણ વાંચોઃ Atiq-Ashraf Shot Dead: અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા

પિસ્તોલથી ગોળીબારઃ શનિવારે રાત્રે, પોલીસ ધુમાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અતીક અહેમદ અને તેના નાના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને તબીબી તપાસ માટે મોતીલાલ નેહરુ ડિવિઝનલ હોસ્પિટલ કેલવીન હોસ્પિટલમાં લઈ ગઈ. પોલીસ જીપમાંથી ઉતર્યા બાદ બંનેને હોસ્પિટલના ગેટથી અંદર લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક મીડિયાકર્મીઓ પહોંચી ગયા હતા. ત્રણ હુમલાખોરો પણ તેમના વેશમાં હાજર હતા. મીડિયાકર્મીઓએ અતીક અને અશરફ તરફ માઈક ખસેડ્યું હતું કે હુમલાખોરોમાંથી એકે પિસ્તોલ વડે ગોળીબાર શરૂ કર્યો. આ પછી ત્રણેય ઝડપથી ફાયરિંગ કરવા લાગ્યા.

અશરફનું મોતઃ ગોળી વાગવાથી અતીક અને અશરફનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ હુમલાખોરોએ પણ સ્થળ પર જ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે ત્રણેયને કસ્ટડીમાં લીધા હતા. તેમના નામ નવીન તિવારી, અરુણ મૌર્ય અને સોનુ છે. તે જ સમયે, ઘટના બાદ અતીકની પત્ની શાઇસ્તા પરવીન પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના બાદ સીએમ યોગી આદિત્યનાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. તેમણે સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારને બોલાવ્યા. તેમને થોડી જ વારમાં સીએમ આવાસ પર પહોંચી ગયા. તેમણે સમગ્ર ઘટના અંગે સીએમને જાણ કરી હતી. મુખ્યપ્રધાનના ઓએસડી મૃત્યુંજય કુમાર પણ નિવાસસ્થાને પહોંચ્યા હતા. ડીજીએ પોલીસ કમિશનર પ્રયાગરાજ રમિત શર્મા પાસેથી સમગ્ર મામલાની માહિતી લીધી હતી.

આ પણ વાંચોઃ Atiq Ahmed Murder Video: જાણો કોણ હતો અતીક અહેમદ, શા માટે તેને ઉત્તર પ્રદેશનો પહેલો ગેંગસ્ટર કહેવામાં આવ્યો

પથ્થરમારો થયોઃ CM એ ત્રણ સભ્યોના ન્યાયિક પંચ (ન્યાયિક તપાસ પંચ)ની રચના માટે પણ સૂચનાઓ આપી છે. આ ઘટના બાદ પ્રયાગરાજના અનેક વિસ્તારોમાં પથ્થરમારો થયો હતો. મુસ્લિમ સમુદાયના ગુસ્સાને જોતા રમખાણો થવાની આશંકા છે. સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સિવાય મુખ્યપ્રધાન મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદને પ્રયાગરાજ મોકલ્યા. ફોરેન્સિક ટીમની તપાસમાં 20 રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ ત્રણેય હુમલાખોરો પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને હત્યા પાછળનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રયાગરાજઃ માફિયા અતિક અહેમત અને તેના ભાઈ અશરફની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી. મીડિયાકર્મીના વેશમાં આવીને બન્ને પર ગોળીબાર કર્યો હતો. પોલીસ બન્ને આરોપીઓને લઈને કોલવીન હોસ્પિટલ ચેકઅપ માટે પહોંચી ત્યારે આ ઘટના બની હતી. આ દરમિયાન ત્રણ શખ્સોએ એના પર હુમલો કરી દીધો હતો. પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી લીધી છે. આ ઘટના સામે આવ્યા બાદ ઉત્તર પ્રદેશ પોલીસે સમગ્ર શહેરમાં એલર્ટ જાહેર કરી દીધું છે. સમગ્ર વિસ્તારમાં 144ની કલમ લાગુ કરી દીધી છે.

આ પણ વાંચોઃ Atiq-Ashraf Shot Dead: અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા

પિસ્તોલથી ગોળીબારઃ શનિવારે રાત્રે, પોલીસ ધુમાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અતીક અહેમદ અને તેના નાના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને તબીબી તપાસ માટે મોતીલાલ નેહરુ ડિવિઝનલ હોસ્પિટલ કેલવીન હોસ્પિટલમાં લઈ ગઈ. પોલીસ જીપમાંથી ઉતર્યા બાદ બંનેને હોસ્પિટલના ગેટથી અંદર લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક મીડિયાકર્મીઓ પહોંચી ગયા હતા. ત્રણ હુમલાખોરો પણ તેમના વેશમાં હાજર હતા. મીડિયાકર્મીઓએ અતીક અને અશરફ તરફ માઈક ખસેડ્યું હતું કે હુમલાખોરોમાંથી એકે પિસ્તોલ વડે ગોળીબાર શરૂ કર્યો. આ પછી ત્રણેય ઝડપથી ફાયરિંગ કરવા લાગ્યા.

અશરફનું મોતઃ ગોળી વાગવાથી અતીક અને અશરફનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ હુમલાખોરોએ પણ સ્થળ પર જ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે ત્રણેયને કસ્ટડીમાં લીધા હતા. તેમના નામ નવીન તિવારી, અરુણ મૌર્ય અને સોનુ છે. તે જ સમયે, ઘટના બાદ અતીકની પત્ની શાઇસ્તા પરવીન પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના બાદ સીએમ યોગી આદિત્યનાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. તેમણે સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારને બોલાવ્યા. તેમને થોડી જ વારમાં સીએમ આવાસ પર પહોંચી ગયા. તેમણે સમગ્ર ઘટના અંગે સીએમને જાણ કરી હતી. મુખ્યપ્રધાનના ઓએસડી મૃત્યુંજય કુમાર પણ નિવાસસ્થાને પહોંચ્યા હતા. ડીજીએ પોલીસ કમિશનર પ્રયાગરાજ રમિત શર્મા પાસેથી સમગ્ર મામલાની માહિતી લીધી હતી.

આ પણ વાંચોઃ Atiq Ahmed Murder Video: જાણો કોણ હતો અતીક અહેમદ, શા માટે તેને ઉત્તર પ્રદેશનો પહેલો ગેંગસ્ટર કહેવામાં આવ્યો

પથ્થરમારો થયોઃ CM એ ત્રણ સભ્યોના ન્યાયિક પંચ (ન્યાયિક તપાસ પંચ)ની રચના માટે પણ સૂચનાઓ આપી છે. આ ઘટના બાદ પ્રયાગરાજના અનેક વિસ્તારોમાં પથ્થરમારો થયો હતો. મુસ્લિમ સમુદાયના ગુસ્સાને જોતા રમખાણો થવાની આશંકા છે. સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સિવાય મુખ્યપ્રધાન મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદને પ્રયાગરાજ મોકલ્યા. ફોરેન્સિક ટીમની તપાસમાં 20 રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ ત્રણેય હુમલાખોરો પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને હત્યા પાછળનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.