ETV Bharat / bharat

ભારત કોરોના: છેલ્લા 24 કલાકમાં 53,480 નવા કેસ નોંધાયા, 354 લોકોના મોત

author img

By

Published : Mar 31, 2021, 12:00 PM IST

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 53,480 નવા કેસ નોંધાયા છે. આ સાથે 354 લોકોનાં મોત થયા છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 5,52,566 છે.

ભારત કોરોના: છેલ્લા 24 કલાકમાં 53,480 નવા કેસ નોંધાયા
ભારત કોરોના: છેલ્લા 24 કલાકમાં 53,480 નવા કેસ નોંધાયા
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,280 દર્દીઓએ કોરોનાને માત આપી
  • દેશમાં સાજા થવાનો દર 94.1 ટકા અને મૃત્યુદર 1.3 ટકા થયો
  • મંગળવાર સુધીમાં દેશમાં 6,30,54,353 લોકોને કોરોનાની રસી અપાઈ

નવી દિલ્હી: દેશમાં કોરોનાનું બીજુ સ્તર જોખમી સાબિત થઈ રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 354 લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 53,480 નવા કેસ નોંધાયા છે, જેની સામે 41,280 દર્દી સાજા થયા છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 5,52,566 છે. દેશમાં સાજા થવાનો દર 94.1 ટકા અને મૃત્યુદર 1.3 ટકા છે. આ સાથે દેશમાં અત્યારસુધી કોરોનાના કુલ 1,21,49,335 દર્દી નોંધાઈ ચૂક્યા છે, જેની સામે 1,14,34,301 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. મંગળવાર સુધીમાં દેશમાં 6,30,54,353 લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 2220 પોઝિટિવ કેસ નોંધાયા

મંગળવારે 10,22,915 નમૂનાઓના ટેસ્ટ કરાયા

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 24,36,72,940 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી મંગળવારે, 10,22,915 નમૂનાઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

મંગળવારે ગુજરાતમાં કોરોનાથી 10 મોત

મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના 2,220 કેસ નોંધાયા છે. જેની સામે રાજ્યમાં 1,988 દર્દી સાજા થયા છે. આ દરમિયાન કોરોનાથી કુલ 10 દર્દીનાં મોત પણ થયા છે. અત્યારસુધી રાજ્યમાં કુલ 2,88,565 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં મંગળવારે કુલ 1,93,968 વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવી છે. રાજ્યમાં હાલમાં કુલ 12,263 એક્ટિવ કેસ છે, જ્યારે 147 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યારસુધી કોરોનાથી કુલ 4,510 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દરમિયાન મંગળવારે રાજ્યમાં અમદાવાદ શહેરમાં 5, સુરત શહેરમાં 4, વડોદરામાં 1 મળીને કુલ 10 દર્દીના દુ:ખદ મોત થયા છે.

આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર કોરોના પોઝિટિવ

રાજ્યમાં કુલ 4,510 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ 3,05,338 થઇ ગયા છે. જેમાંથી 2,88,565 દર્દી રિકવર થયા છે. રાજ્યમાં 12,263 એક્ટિવ કેસ છે જ્યારે આ મહામારીને કારણે અત્યાર સુધી 4,510 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,280 દર્દીઓએ કોરોનાને માત આપી
  • દેશમાં સાજા થવાનો દર 94.1 ટકા અને મૃત્યુદર 1.3 ટકા થયો
  • મંગળવાર સુધીમાં દેશમાં 6,30,54,353 લોકોને કોરોનાની રસી અપાઈ

નવી દિલ્હી: દેશમાં કોરોનાનું બીજુ સ્તર જોખમી સાબિત થઈ રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 354 લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 53,480 નવા કેસ નોંધાયા છે, જેની સામે 41,280 દર્દી સાજા થયા છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 5,52,566 છે. દેશમાં સાજા થવાનો દર 94.1 ટકા અને મૃત્યુદર 1.3 ટકા છે. આ સાથે દેશમાં અત્યારસુધી કોરોનાના કુલ 1,21,49,335 દર્દી નોંધાઈ ચૂક્યા છે, જેની સામે 1,14,34,301 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. મંગળવાર સુધીમાં દેશમાં 6,30,54,353 લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 2220 પોઝિટિવ કેસ નોંધાયા

મંગળવારે 10,22,915 નમૂનાઓના ટેસ્ટ કરાયા

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 24,36,72,940 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી મંગળવારે, 10,22,915 નમૂનાઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

મંગળવારે ગુજરાતમાં કોરોનાથી 10 મોત

મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના 2,220 કેસ નોંધાયા છે. જેની સામે રાજ્યમાં 1,988 દર્દી સાજા થયા છે. આ દરમિયાન કોરોનાથી કુલ 10 દર્દીનાં મોત પણ થયા છે. અત્યારસુધી રાજ્યમાં કુલ 2,88,565 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં મંગળવારે કુલ 1,93,968 વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવી છે. રાજ્યમાં હાલમાં કુલ 12,263 એક્ટિવ કેસ છે, જ્યારે 147 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યારસુધી કોરોનાથી કુલ 4,510 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દરમિયાન મંગળવારે રાજ્યમાં અમદાવાદ શહેરમાં 5, સુરત શહેરમાં 4, વડોદરામાં 1 મળીને કુલ 10 દર્દીના દુ:ખદ મોત થયા છે.

આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર કોરોના પોઝિટિવ

રાજ્યમાં કુલ 4,510 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ 3,05,338 થઇ ગયા છે. જેમાંથી 2,88,565 દર્દી રિકવર થયા છે. રાજ્યમાં 12,263 એક્ટિવ કેસ છે જ્યારે આ મહામારીને કારણે અત્યાર સુધી 4,510 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.