ETV Bharat / bharat

Kalicharan Maharaj Arrest: કાલીચરણની ધરપકડ પર MP અને છત્તીસગઢ સરકાર સામસામે, બઘેલે નરોત્તમ મિશ્રાની કાઢી ઝાટકણી

author img

By

Published : Dec 30, 2021, 1:15 PM IST

રાષ્ટ્રપિતા પર વિવાદાસ્પદ ટિપ્પણી (Controversial Comment On Gandhiji) કરનાર કાલીચરણ મહારાજની ધરપકડને લઈને મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સરકાર સામસામે આવી છે. જ્યારે ગૃહપ્રધાને કાલીચરણની ધરપકડ સામે વાંધો ઉઠાવ્યો ત્યારે છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ (raipur police not violated any protocol)એ સ્પષ્ટ જવાબ આપ્યો હતો. રાયપુર પોલીસે આજે સવારે 4 વાગ્યે ખજુરાહોથી કાલીચરણની ધરપકડ કરી છે.

ARREST OF KALICHARAN MAHARAJ
ARREST OF KALICHARAN MAHARAJ

ભોપાલ: મધ્યપ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરીને વિવાદોમાં ફસાયેલા કાલીચરણ મહારાજની ધરપકડ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ગૃહપ્રધાને કહ્યું કે, છત્તીસગઢ પોલીસે સંઘીય મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે, છત્તીસગઢ પોલીસે ધરપકડ પહેલા રાજ્ય પોલીસને જાણ કરવી જોઈતી હતી અથવા છત્તીસગઢ પોલીસ તેમને નોટિસ આપીને બોલાવી શકતી હતી. છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે સ્પષ્ટપણે કહ્યું છે કે, કોઈ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. ધરપકડ અંગે કાલીચરણના પરિવાર અને વકીલને જાણ કરવામાં આવી છે. 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ગૃહપ્રધાને DGPને સૂચના આપી

કાલીચરણ મહારાજની ધરપકડ સામે વાંધો ઉઠાવતા ગૃહપ્રધાને રાજ્યના DGPને મધ્યપ્રદેશમાં જે રીતે ધરપકડ કરવામાં આવી છે તે અંગે છત્તીસગઢ પોલીસ પાસે પોતાનો વાંધો નોંધાવવા નિર્દેશ આપ્યો છે. આ પ્રકારની ધરપકડ ખૂબ જ વાંધાજનક છે, અમને ધરપકડની રીત સામે વાંધો છે. આ ઈન્ટર સ્ટેટ પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. કોંગ્રેસની છત્તીસગઢ સરકારે આવું ન કરવું જોઈતું હતું. તેમણે મધ્યપ્રદેશના DGPને તાત્કાલિક છત્તીસગઢના DGP સાથે વાત કરવા અને ધરપકડ સામે વાંધો નોંધાવવા જણાવ્યું છે. ત્યારે છત્તીસગઢે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પ્રોટોકોલ (MP- Chhattisgarh Government On Kalicharan Maharaj)નું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી.

કાલીચરણ મહારાજની ખજુરાહોમાંથી ધરપકડ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી (Controversial Comment On Gandhiji) કરનાર ફરાર આરોપી કાલીચરણ મહારાજને રાયપુર પોલીસે સવારે ચાર વાગ્યે ખજુરાહોથી ધરપકડ (Kalicharan Maharaj Arrested) કરી છે. કાલીચરણ ખજુરાહોની એક હોટલમાં રોકાયો હતો, જ્યાંથી પોલીસે તેને પકડી લીધો હતો. હવે ભોપાલ કોર્ટમાં હાજર થયા બાદ પોલીસ તેને મોડી સાંજ સુધી પોતાની સાથે રાયપુર લઈ જશે. કાલીચરણ વિરુદ્ધ મહાત્મા ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

કાલીચરણે ધર્મ સંસદમાં બાપુનું અપમાન કર્યું હતું

26 ડિસેમ્બરના રોજ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આયોજિત ધર્મ સંસદમાં મહારાષ્ટ્રથી આવેલા સંત કાલીચરણે મંચ પરથી મહાત્મા ગાંધી પર વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી, જેમાં વર્ષ 1947માં ભારતના ભાગલા માટે બાપુને જવાબદાર ઠેરવ્યા હતા અને તેની સાથે નથુરામ ગોડસેના ગુણગાન પણ કર્યા હતા. જેની સામે રાયપુરના પૂર્વ મેયરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: Arrest of Kalicharan Maharaj : કાલીચરણ મહારાજની ધરપકડ પર છત્તીસગઢ અને એમપી સરકાર આવી સામ સામે...

આ પણ વાંચો: AFSPA Extended In Nagaland: નાગાલેન્ડમાં સ્થિતિ અશાંત અને ખતરનાક, AFSPA છ મહિના માટે લંબાવાયો

ભોપાલ: મધ્યપ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરીને વિવાદોમાં ફસાયેલા કાલીચરણ મહારાજની ધરપકડ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ગૃહપ્રધાને કહ્યું કે, છત્તીસગઢ પોલીસે સંઘીય મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે, છત્તીસગઢ પોલીસે ધરપકડ પહેલા રાજ્ય પોલીસને જાણ કરવી જોઈતી હતી અથવા છત્તીસગઢ પોલીસ તેમને નોટિસ આપીને બોલાવી શકતી હતી. છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે સ્પષ્ટપણે કહ્યું છે કે, કોઈ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. ધરપકડ અંગે કાલીચરણના પરિવાર અને વકીલને જાણ કરવામાં આવી છે. 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ગૃહપ્રધાને DGPને સૂચના આપી

કાલીચરણ મહારાજની ધરપકડ સામે વાંધો ઉઠાવતા ગૃહપ્રધાને રાજ્યના DGPને મધ્યપ્રદેશમાં જે રીતે ધરપકડ કરવામાં આવી છે તે અંગે છત્તીસગઢ પોલીસ પાસે પોતાનો વાંધો નોંધાવવા નિર્દેશ આપ્યો છે. આ પ્રકારની ધરપકડ ખૂબ જ વાંધાજનક છે, અમને ધરપકડની રીત સામે વાંધો છે. આ ઈન્ટર સ્ટેટ પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. કોંગ્રેસની છત્તીસગઢ સરકારે આવું ન કરવું જોઈતું હતું. તેમણે મધ્યપ્રદેશના DGPને તાત્કાલિક છત્તીસગઢના DGP સાથે વાત કરવા અને ધરપકડ સામે વાંધો નોંધાવવા જણાવ્યું છે. ત્યારે છત્તીસગઢે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પ્રોટોકોલ (MP- Chhattisgarh Government On Kalicharan Maharaj)નું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી.

કાલીચરણ મહારાજની ખજુરાહોમાંથી ધરપકડ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી (Controversial Comment On Gandhiji) કરનાર ફરાર આરોપી કાલીચરણ મહારાજને રાયપુર પોલીસે સવારે ચાર વાગ્યે ખજુરાહોથી ધરપકડ (Kalicharan Maharaj Arrested) કરી છે. કાલીચરણ ખજુરાહોની એક હોટલમાં રોકાયો હતો, જ્યાંથી પોલીસે તેને પકડી લીધો હતો. હવે ભોપાલ કોર્ટમાં હાજર થયા બાદ પોલીસ તેને મોડી સાંજ સુધી પોતાની સાથે રાયપુર લઈ જશે. કાલીચરણ વિરુદ્ધ મહાત્મા ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

કાલીચરણે ધર્મ સંસદમાં બાપુનું અપમાન કર્યું હતું

26 ડિસેમ્બરના રોજ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આયોજિત ધર્મ સંસદમાં મહારાષ્ટ્રથી આવેલા સંત કાલીચરણે મંચ પરથી મહાત્મા ગાંધી પર વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી, જેમાં વર્ષ 1947માં ભારતના ભાગલા માટે બાપુને જવાબદાર ઠેરવ્યા હતા અને તેની સાથે નથુરામ ગોડસેના ગુણગાન પણ કર્યા હતા. જેની સામે રાયપુરના પૂર્વ મેયરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: Arrest of Kalicharan Maharaj : કાલીચરણ મહારાજની ધરપકડ પર છત્તીસગઢ અને એમપી સરકાર આવી સામ સામે...

આ પણ વાંચો: AFSPA Extended In Nagaland: નાગાલેન્ડમાં સ્થિતિ અશાંત અને ખતરનાક, AFSPA છ મહિના માટે લંબાવાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.