ETV Bharat / bharat

સાત દિવસ સુધી ગોવર્ધનનાથ ભૂખ્યા રહ્યા હતા, 56 ભોગ બનાવવા પાછળનું કારણ મળ્યું

author img

By

Published : Oct 26, 2022, 10:08 AM IST

Updated : Oct 26, 2022, 10:17 AM IST

આજે દેશભરમાં ગોવર્ધન પૂજાનો તહેવાર ઉજવવામાં (Govardhan Puja will be celebrated on October 26) આવી રહ્યો છે. તેને અન્નકૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્રજથી શરૂ થયેલી ગોવર્ધન પૂજા આખા દેશમાં તહેવારની જેમ ઉજવાય છે. પહેલા તમામ વ્રજવાસી ઈન્દ્રની પૂજા કરતા હતા. ભગવાન શ્રીકૃષ્ણના કહેવા પર, વ્રજના તમામ રહેવાસીઓએ ગોવર્ધનની પૂજા કરવાનું શરૂ કર્યું, જેના કારણે ભગવાન ઇન્દ્ર ક્રોધિત થઈ ગયા અને વ્રજમાં વાદળોમાંથી ભારે વરસાદ શરૂ કર્યો હતો. આ દિવસે ભગવાન કૃષ્ણને (Importance of 56 Bhogs in Puja) શા માટે 56 ભોગ ચઢાવવામાં આવે છે.

Etv Bharatબ્રજથી શરૂ થયેલી ગોવર્ધન પૂજા, જાણો આ પૂજામાં 56 ભોગનું મહત્વ
Etv Bharatબ્રજથી શરૂ થયેલી ગોવર્ધન પૂજા, જાણો આ પૂજામાં 56 ભોગનું મહત્વ

ન્યૂઝ ડેસ્ક: સામાન્ય રીતે પરંપરા રહી છે કે, દિવાળીના બીજા દિવસે ભગવાન ગોવર્ધનની પૂજા ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે, પરંતુ આ વખતે 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ હોવાથી ગોવર્ધન પૂજા (Govardhan Puja will be celebrated on October 26) હવે 26 ઓક્ટોબરે એટલે કે, દેશભરમાં ગોવર્ધન પૂજાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. તેને અન્નકૂટ મહોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોવર્ધન પૂજા દિવાળીના એક દિવસ પછી જ કરવામાં આવે છે, પરંતુ આ વખતે સૂર્યગ્રહણના કારણે આ તહેવાર એક દિવસ પછી ઉજવવામાં આવી રહ્યો છે. વ્રજથી શરૂ થયેલી ગોવર્ધન પૂજા આખા દેશમાં તહેવારની જેમ ઉજવાય છે. ગોવર્ધનના દિવસે, ભક્તો ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરે છે અને તેમને મુશ્કેલીઓમાંથી બહાર લાવવા માટે પ્રાર્થના કરે છે. આ દિવસે ભગવાન કૃષ્ણને અન્નકૂટ પણ અર્પણ કરવામાં આવે છે.

ગોવર્ધનની પૂજા: પહેલા તમામ વ્રજવાસી ઈન્દ્રની પૂજા કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પર વ્રજના તમામ રહેવાસીઓએ ગોવર્ધનની પૂજા કરવાનું શરૂ કર્યું, જેના કારણે ભગવાન ઇન્દ્ર ક્રોધિત થઈ ગયા અને વ્રજમાં તેમના વાદળોમાંથી ભારે વરસાદ શરૂ કર્યો. ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા. આ બધું જોઈને ભગવાન કૃષ્ણએ દરેકની રક્ષા માટે ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઊઠાવી લીધો હતો. તમામ બ્રજવાસીઓએ તેમના પરિવારો અને પ્રાણીઓ સાથે ગોવર્ધન પર્વતની નીચે આશ્રય લીધો હતો. સાત દિવસ સુઘી ભારે વરસાદ પડ્યો હતો. પરંતુ આનાથી પણ ગામના લોકો હેરાન ન થયા. પછી ઇન્દ્રદેવને સમજાયું કે, આ કોઈ સામાન્ય બાળક નથી. તેમણે શ્રીકૃષ્ણની માફી માંગી. પછી સમગ્ર દેશમાં ગોવર્ધન પૂજા કરવામાં આવે છે.

ગોવર્ધન પર્વત પરિક્રમાઃ મથુરા, વૃંદાવન અને ગોકુલના લોકો તેમજ સમગ્ર વ્રજ પ્રદેશના લોકોમાં ગોવર્ધન પર્વતની પરિક્રમાનો ઉત્સાહ છે. લોકો, અન્ય દિવસોની સાથે, ખાસ કરીને આ દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પૂજાની સાથે સાથે પરિક્રમાનું પણ ઘણું મહત્વ છે. તેથી જેમની પાસે સમય હોય છે, તેઓ ગોવર્ધન પર્વતની પરિક્રમા કરીને આ દિવસની પૂજા પૂર્ણ કરે છે.

ગોવર્ધન પૂજા: ગોવર્ધન પૂજાના દિવસે લોકો ગાયના છાણમાંથી ગોવર્ધન પર્વત બનાવે છે અને તેની પૂજા કરે છે. આ દિવસે લોકો પૂજા કરવા સિવાય 56 કે 108 વસ્તુઓ પણ ચઢાવે છે. આ દિવસે કરવામાં આવેલ આ વિશેષ ભોગ ભગવાન કૃષ્ણ અને ગોવર્ધન પર્વતને ચઢાવવામાં આવે છે. આ દરમિયાન ભગવાન કૃષ્ણની મૂર્તિનો અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ તેઓને દૂધ અને દહીંથી સ્નાન કરાવવામાં આવે છે અને તેમને નવા વસ્ત્રો ચઢાવવા અને ભોગ ચઢાવવામાં આવે છે.

ગોવર્ધનજીની આકૃતિની: ગોવર્ધન પર્વતનો આકાર તૈયાર કર્યા બાદ તેમની વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ મૂકવામાં આવે છે. ગોવર્ધનજીની આકૃતિની મધ્યમાં એટલે કે, નાભિના સ્થાને એક વાટકી જેવો ભાગ ખાલી કરીને ત્યાં વાટકો કે માટીનો દીવો રાખવામાં આવે છે. ત્યારબાદ તેમાં દૂધ, દહીં, ગંગાજળ, મધ વગેરે ઉમેરીને તેની પૂજા કરવામાં આવે છે અને બાદમાં તેને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવે છે. સાંજે પરિવારના બધા સભ્યો ગોવર્ધન પ્રતીકના સાત પરિક્રમા કરે છે અને ગીતો ગાય છે.

56 ભોગનું મહત્વ: ભગવાન શ્રીકૃષ્ણએ વ્રજના લોકોને ઈન્દ્રના કોપથી બચાવ્યા હતા. તેથી બધા ખુશ થઈ ગયા અને શ્રીકૃષ્ણ માટે 56 પ્રકારના ભોગ તૈયાર કર્યા હતા. ત્યારથી ગોવર્ધન પૂજાના દિવસે ભગવાનને 56 ભોગ ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો આ દિવસે શ્રી કૃષ્ણને 56 ભોગ ચઢાવે છે, તેમના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી આવતી. એક લોકકથા એવી પણ છે કે, ભગવાન શ્રીકૃષ્ણ સતત સાત દિવસ સુધી ગોવર્ધન પર્વત ઊપાડીને ઊભા રહ્યા હતા. જે સાત દિવસ સુધી ભૂખ્યા રહ્યા હતા. પ્રભુ એક દિવસમાં આઠ વખત ભોજન કર છે. સાત દિવસ સુધી ભોજન ન કર્યું હોવાને કારણે આઠ ગણું ભોજન તૈયાર કરવામાં આવ્યું જેમાં કુલ 56 વ્યંજનો તૈયાર થયા. આ કારણે પ્રભુને 56 ભોગ ધરવામાં આવે છે.

ન્યૂઝ ડેસ્ક: સામાન્ય રીતે પરંપરા રહી છે કે, દિવાળીના બીજા દિવસે ભગવાન ગોવર્ધનની પૂજા ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે, પરંતુ આ વખતે 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ હોવાથી ગોવર્ધન પૂજા (Govardhan Puja will be celebrated on October 26) હવે 26 ઓક્ટોબરે એટલે કે, દેશભરમાં ગોવર્ધન પૂજાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. તેને અન્નકૂટ મહોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોવર્ધન પૂજા દિવાળીના એક દિવસ પછી જ કરવામાં આવે છે, પરંતુ આ વખતે સૂર્યગ્રહણના કારણે આ તહેવાર એક દિવસ પછી ઉજવવામાં આવી રહ્યો છે. વ્રજથી શરૂ થયેલી ગોવર્ધન પૂજા આખા દેશમાં તહેવારની જેમ ઉજવાય છે. ગોવર્ધનના દિવસે, ભક્તો ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરે છે અને તેમને મુશ્કેલીઓમાંથી બહાર લાવવા માટે પ્રાર્થના કરે છે. આ દિવસે ભગવાન કૃષ્ણને અન્નકૂટ પણ અર્પણ કરવામાં આવે છે.

ગોવર્ધનની પૂજા: પહેલા તમામ વ્રજવાસી ઈન્દ્રની પૂજા કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પર વ્રજના તમામ રહેવાસીઓએ ગોવર્ધનની પૂજા કરવાનું શરૂ કર્યું, જેના કારણે ભગવાન ઇન્દ્ર ક્રોધિત થઈ ગયા અને વ્રજમાં તેમના વાદળોમાંથી ભારે વરસાદ શરૂ કર્યો. ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા. આ બધું જોઈને ભગવાન કૃષ્ણએ દરેકની રક્ષા માટે ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઊઠાવી લીધો હતો. તમામ બ્રજવાસીઓએ તેમના પરિવારો અને પ્રાણીઓ સાથે ગોવર્ધન પર્વતની નીચે આશ્રય લીધો હતો. સાત દિવસ સુઘી ભારે વરસાદ પડ્યો હતો. પરંતુ આનાથી પણ ગામના લોકો હેરાન ન થયા. પછી ઇન્દ્રદેવને સમજાયું કે, આ કોઈ સામાન્ય બાળક નથી. તેમણે શ્રીકૃષ્ણની માફી માંગી. પછી સમગ્ર દેશમાં ગોવર્ધન પૂજા કરવામાં આવે છે.

ગોવર્ધન પર્વત પરિક્રમાઃ મથુરા, વૃંદાવન અને ગોકુલના લોકો તેમજ સમગ્ર વ્રજ પ્રદેશના લોકોમાં ગોવર્ધન પર્વતની પરિક્રમાનો ઉત્સાહ છે. લોકો, અન્ય દિવસોની સાથે, ખાસ કરીને આ દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પૂજાની સાથે સાથે પરિક્રમાનું પણ ઘણું મહત્વ છે. તેથી જેમની પાસે સમય હોય છે, તેઓ ગોવર્ધન પર્વતની પરિક્રમા કરીને આ દિવસની પૂજા પૂર્ણ કરે છે.

ગોવર્ધન પૂજા: ગોવર્ધન પૂજાના દિવસે લોકો ગાયના છાણમાંથી ગોવર્ધન પર્વત બનાવે છે અને તેની પૂજા કરે છે. આ દિવસે લોકો પૂજા કરવા સિવાય 56 કે 108 વસ્તુઓ પણ ચઢાવે છે. આ દિવસે કરવામાં આવેલ આ વિશેષ ભોગ ભગવાન કૃષ્ણ અને ગોવર્ધન પર્વતને ચઢાવવામાં આવે છે. આ દરમિયાન ભગવાન કૃષ્ણની મૂર્તિનો અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ તેઓને દૂધ અને દહીંથી સ્નાન કરાવવામાં આવે છે અને તેમને નવા વસ્ત્રો ચઢાવવા અને ભોગ ચઢાવવામાં આવે છે.

ગોવર્ધનજીની આકૃતિની: ગોવર્ધન પર્વતનો આકાર તૈયાર કર્યા બાદ તેમની વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ મૂકવામાં આવે છે. ગોવર્ધનજીની આકૃતિની મધ્યમાં એટલે કે, નાભિના સ્થાને એક વાટકી જેવો ભાગ ખાલી કરીને ત્યાં વાટકો કે માટીનો દીવો રાખવામાં આવે છે. ત્યારબાદ તેમાં દૂધ, દહીં, ગંગાજળ, મધ વગેરે ઉમેરીને તેની પૂજા કરવામાં આવે છે અને બાદમાં તેને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવે છે. સાંજે પરિવારના બધા સભ્યો ગોવર્ધન પ્રતીકના સાત પરિક્રમા કરે છે અને ગીતો ગાય છે.

56 ભોગનું મહત્વ: ભગવાન શ્રીકૃષ્ણએ વ્રજના લોકોને ઈન્દ્રના કોપથી બચાવ્યા હતા. તેથી બધા ખુશ થઈ ગયા અને શ્રીકૃષ્ણ માટે 56 પ્રકારના ભોગ તૈયાર કર્યા હતા. ત્યારથી ગોવર્ધન પૂજાના દિવસે ભગવાનને 56 ભોગ ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો આ દિવસે શ્રી કૃષ્ણને 56 ભોગ ચઢાવે છે, તેમના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી આવતી. એક લોકકથા એવી પણ છે કે, ભગવાન શ્રીકૃષ્ણ સતત સાત દિવસ સુધી ગોવર્ધન પર્વત ઊપાડીને ઊભા રહ્યા હતા. જે સાત દિવસ સુધી ભૂખ્યા રહ્યા હતા. પ્રભુ એક દિવસમાં આઠ વખત ભોજન કર છે. સાત દિવસ સુધી ભોજન ન કર્યું હોવાને કારણે આઠ ગણું ભોજન તૈયાર કરવામાં આવ્યું જેમાં કુલ 56 વ્યંજનો તૈયાર થયા. આ કારણે પ્રભુને 56 ભોગ ધરવામાં આવે છે.

Last Updated : Oct 26, 2022, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.