ETV Bharat / bharat

ધ્રુવ કુંડુઃ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો સૌથી નાનો ક્રાંતિવીર

author img

By

Published : Sep 26, 2021, 6:58 AM IST

ધ્રુવ કુંડુ ભારતની સ્વતંત્રતા ચળવળના ઇતિહાસમાં લખાયેલું એક એવું નામ છે જે કદાચ સૌથી નાની વયના ક્રાંતિકારી સ્વાતંત્ર્યવીર હતાં. ફક્ત 13 વર્ષની વયના આ ક્રાંતિવીરે પોતાની માતૃભૂમિની પ્રીતિ માટે જીવનું બલિદાન આપ્યું હતું. ભારતની સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં ગુમનામ રહી ગયેલું એક નામ એટલે ધ્રુવ કુંડુ.

ધ્રુવ કુંડુઃ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો સૌથી નાનો ક્રાંતિવીર
ધ્રુવ કુંડુઃ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો સૌથી નાનો ક્રાંતિવીર

  • બ્રિટિશરોના લાંબા શાસનકાળમાં અનેક ક્રાંતિવીરોએ લડત આપી હતી
  • દેશની સ્વતંત્રતા ખાતર જીવ આપનાર પૂર્ણિયાના બાળ ક્રાંતિવીર ધ્રુવ કુંડુ
  • ફક્ત 13 વર્ષની વયમાં બ્રિટિશરોને ભોં ભારે પાડનાર શહીદ ક્રાંતિવીર

કટિહાર (બિહાર): આપણી આઝાદીની લડાઈ ખૂબ કઠિન લડાઈ હતી. અંગ્રેજોએ આપણી ભૂમિ પર પર એકહથ્થુ લાંબા સમય સુધી શાસન કર્યું. જેની સામે લડત આપતાં નાયકો પણ ઊભાં થયાં. શું નથી થયાં? આ ઇતિહાસમાં અનેક નાયકો સુવર્ણાક્ષરે મંડિત થયેલાં છે. પરંતુ કેટલાક એવા વીર તારલીયા પણ છે જેમનું નામ આઝાદીની ચળવળના ઇતિહાસમાં ગુમનામ પણ રહ્યું છે. ઘણાં દેશનાયકોના પ્રદાનને દુનિયા જાણે છે તો કેટલાકનું એવું જ પ્રદાન હોવા છતાં તેમની પર પ્રકાશ પડ્યો નથી. આ વાત ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પણ સાચી છે. તે લોકો માટે જેમણે સમાન રીતે કઠિન લડત આપી, પરંતુ ક્યારેય પ્રસિદ્ધિનો શેરડો તેમના પર પડ્યો નહીં. કારણ કે તેઓએ એવી ખેવના પણ ન હતી. તેમનું એકમાત્ર ધ્યાન ભારતની ભૂમિને 'સ્વતંત્ર' જોવાનું હતું. એવા જ એક ક્રાંતિકારી છે બિહારના પૂર્ણિયા જિલ્લાના યુવાન ધ્રુવ કુંડુ. આ બાળ ક્રાંતિવીરે બ્રિટિશરોના નાક નીચે તાપણું કર્યું હતું.

ધ્રુવ કુંડુઃ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો સૌથી નાનો ક્રાંતિવીર

બાળકવયમાં પણ રાષ્ટ્ર પ્રત્યે જોમભર્યો પ્રેમ

ધ્રુવ કુંડુ સ્મારક નિર્માણ ચળવળના વડા ગૌતમ વર્માએ કહ્યું કે, “બહાદુરી અને ક્ષમતા સાથે, તેમણે શકિતશાળી અંગ્રેજો સામે નિર્ભયતાથી લડ્યાં હતાંધ્રુવ કુંડુ એક ક્રાંતિકારી હતાં જેમણે રાષ્ટ્ર પ્રત્યેના જુસ્સા અને પ્રેમના કારણે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે સાબિત કરી દીધું હતું કે પોતાની માતૃભૂમિને પ્રેમ કરવા માટે ઉંમર કોઈ અવરોધ નથી.“ અંગ્રેજો સામે નિર્ભય થઈને લડનાર ધ્રુવે સામર્થ્યશાળી બ્રિટિશરોના નાકે દમ લાવી દીધો હતો.

કટિહારના સબ-રજિસ્ટ્રારની ઓફિસ તબાહ કરી દીધી

ભારતની સ્વતંત્રતાના ઇતિહાસમાં ધ્રુવ કુંડુ ગુમનામ રહી ગયેલું પ્રકરણ છે.તેઓ 1942માં મહાત્મા ગાંધીની ભારત છોડો ચળવળમાં જોડાયાં હતાં. 11 ઓગસ્ટ 1942ના રોજ આ ક્રાંતિવીરે રજિસ્ટ્રાર ઓફિસમાં આગ લગાવી અને તમામ દસ્તાવેજો સળગાવી દીધાં હતાં. સ્વતંત્રતા સેનાનીઓની ટીમે 13 ઓગસ્ટ, 1942ના રોજ કટિહારના સબ-રજિસ્ટ્રારની ઓફિસ તબાહ કરી દીધી. તેઓએ મુનસિફ કોર્ટ પરના બ્રિટિશ સરકારના ધ્વજને કાઢી નાંખીને ભારતીય તિરંગો ફરકાવી દીધો હતો.

એસડીઓની ચેતવણી છતાં ધ્રુવ લડતના સ્થળ પર ગયો

ઇતિહાસકાર ભોલાનાથ આલોક કહે છે કે "13 વર્ષનો આ છોકરો પણ લડવૈયાઓની ટીમમાં જોડાવા માટે એમની જેવો જ દ્રઢનિશ્ચયી હતો. કટિહારના એસડીઓ મુખરજીએ ધ્રુવને સ્થળ પર ન જવા ચેતવણી આપી હોવા છતાં ધ્રુવ આંદોલનમાં જોડાયાં અને બ્રિટિશરોનો સામનો કર્યો હતો."

બ્રિટિશરોની ગોળીથી વીંધાઇ માતૃભૂમિ કાજે જીવન અર્પણ કર્યું

ધ્રુવની હિંમત જોઇ બ્રિટિશરો મોંમાં આંગળા નાંખી ગયાં હતાં અને ધ્રુવ પર ગોળી દાગી દીધી હતી. એક ગોળી ધ્રુવને જાંઘમાં વાગી હતી જેનાથી ધ્રુવ ગંભીરપણે ઘાયલ થયા હતાં.ધ્રુવને તરત પૂર્ણિયાની સદર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં પરંતુ 15 ઓગસ્ટ 1942ની સવારે ઘાયલ ધ્રુવે શ્વાસ માતૃભૂમિને અર્પણ કરી દીધાં હતાં. ધ્રુવ કુંડુ સૌથી નાની વયના સ્વાતંત્ર્ય સેનાની બની માતૃભૂમિ ખાતર જીવનું બલિદાન આપી ચૂક્યાં હતાં.

  • બ્રિટિશરોના લાંબા શાસનકાળમાં અનેક ક્રાંતિવીરોએ લડત આપી હતી
  • દેશની સ્વતંત્રતા ખાતર જીવ આપનાર પૂર્ણિયાના બાળ ક્રાંતિવીર ધ્રુવ કુંડુ
  • ફક્ત 13 વર્ષની વયમાં બ્રિટિશરોને ભોં ભારે પાડનાર શહીદ ક્રાંતિવીર

કટિહાર (બિહાર): આપણી આઝાદીની લડાઈ ખૂબ કઠિન લડાઈ હતી. અંગ્રેજોએ આપણી ભૂમિ પર પર એકહથ્થુ લાંબા સમય સુધી શાસન કર્યું. જેની સામે લડત આપતાં નાયકો પણ ઊભાં થયાં. શું નથી થયાં? આ ઇતિહાસમાં અનેક નાયકો સુવર્ણાક્ષરે મંડિત થયેલાં છે. પરંતુ કેટલાક એવા વીર તારલીયા પણ છે જેમનું નામ આઝાદીની ચળવળના ઇતિહાસમાં ગુમનામ પણ રહ્યું છે. ઘણાં દેશનાયકોના પ્રદાનને દુનિયા જાણે છે તો કેટલાકનું એવું જ પ્રદાન હોવા છતાં તેમની પર પ્રકાશ પડ્યો નથી. આ વાત ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પણ સાચી છે. તે લોકો માટે જેમણે સમાન રીતે કઠિન લડત આપી, પરંતુ ક્યારેય પ્રસિદ્ધિનો શેરડો તેમના પર પડ્યો નહીં. કારણ કે તેઓએ એવી ખેવના પણ ન હતી. તેમનું એકમાત્ર ધ્યાન ભારતની ભૂમિને 'સ્વતંત્ર' જોવાનું હતું. એવા જ એક ક્રાંતિકારી છે બિહારના પૂર્ણિયા જિલ્લાના યુવાન ધ્રુવ કુંડુ. આ બાળ ક્રાંતિવીરે બ્રિટિશરોના નાક નીચે તાપણું કર્યું હતું.

ધ્રુવ કુંડુઃ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો સૌથી નાનો ક્રાંતિવીર

બાળકવયમાં પણ રાષ્ટ્ર પ્રત્યે જોમભર્યો પ્રેમ

ધ્રુવ કુંડુ સ્મારક નિર્માણ ચળવળના વડા ગૌતમ વર્માએ કહ્યું કે, “બહાદુરી અને ક્ષમતા સાથે, તેમણે શકિતશાળી અંગ્રેજો સામે નિર્ભયતાથી લડ્યાં હતાંધ્રુવ કુંડુ એક ક્રાંતિકારી હતાં જેમણે રાષ્ટ્ર પ્રત્યેના જુસ્સા અને પ્રેમના કારણે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે સાબિત કરી દીધું હતું કે પોતાની માતૃભૂમિને પ્રેમ કરવા માટે ઉંમર કોઈ અવરોધ નથી.“ અંગ્રેજો સામે નિર્ભય થઈને લડનાર ધ્રુવે સામર્થ્યશાળી બ્રિટિશરોના નાકે દમ લાવી દીધો હતો.

કટિહારના સબ-રજિસ્ટ્રારની ઓફિસ તબાહ કરી દીધી

ભારતની સ્વતંત્રતાના ઇતિહાસમાં ધ્રુવ કુંડુ ગુમનામ રહી ગયેલું પ્રકરણ છે.તેઓ 1942માં મહાત્મા ગાંધીની ભારત છોડો ચળવળમાં જોડાયાં હતાં. 11 ઓગસ્ટ 1942ના રોજ આ ક્રાંતિવીરે રજિસ્ટ્રાર ઓફિસમાં આગ લગાવી અને તમામ દસ્તાવેજો સળગાવી દીધાં હતાં. સ્વતંત્રતા સેનાનીઓની ટીમે 13 ઓગસ્ટ, 1942ના રોજ કટિહારના સબ-રજિસ્ટ્રારની ઓફિસ તબાહ કરી દીધી. તેઓએ મુનસિફ કોર્ટ પરના બ્રિટિશ સરકારના ધ્વજને કાઢી નાંખીને ભારતીય તિરંગો ફરકાવી દીધો હતો.

એસડીઓની ચેતવણી છતાં ધ્રુવ લડતના સ્થળ પર ગયો

ઇતિહાસકાર ભોલાનાથ આલોક કહે છે કે "13 વર્ષનો આ છોકરો પણ લડવૈયાઓની ટીમમાં જોડાવા માટે એમની જેવો જ દ્રઢનિશ્ચયી હતો. કટિહારના એસડીઓ મુખરજીએ ધ્રુવને સ્થળ પર ન જવા ચેતવણી આપી હોવા છતાં ધ્રુવ આંદોલનમાં જોડાયાં અને બ્રિટિશરોનો સામનો કર્યો હતો."

બ્રિટિશરોની ગોળીથી વીંધાઇ માતૃભૂમિ કાજે જીવન અર્પણ કર્યું

ધ્રુવની હિંમત જોઇ બ્રિટિશરો મોંમાં આંગળા નાંખી ગયાં હતાં અને ધ્રુવ પર ગોળી દાગી દીધી હતી. એક ગોળી ધ્રુવને જાંઘમાં વાગી હતી જેનાથી ધ્રુવ ગંભીરપણે ઘાયલ થયા હતાં.ધ્રુવને તરત પૂર્ણિયાની સદર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં પરંતુ 15 ઓગસ્ટ 1942ની સવારે ઘાયલ ધ્રુવે શ્વાસ માતૃભૂમિને અર્પણ કરી દીધાં હતાં. ધ્રુવ કુંડુ સૌથી નાની વયના સ્વાતંત્ર્ય સેનાની બની માતૃભૂમિ ખાતર જીવનું બલિદાન આપી ચૂક્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.