- CBSEએ બે નવી ગાઈડવાઈન કરી જાહેર
- વિષયમાં ફેરફાર અને ગેરહાજર વિદ્યાર્થીઓ અંગે ગાઈડલાઈન જાહેર
- શાળાઓમાં મૂલ્યાંકન કાર્યમાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન જાહેર કરાઈ
નવી દિલ્હી: Central Board of Secondary Education (CBSE) એ કોરોના સંક્રમણ (Corona transition) ને કારણે ધોરણ -10 અને 12ની પરીક્ષાઓ રદ કરી દીધી હતી. હવે CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી મૂલ્યાંકન નીતિ હેઠળ શાળાઓમાં મૂલ્યાંકનનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન શાળાઓને પડતી સમસ્યાને ધ્યાનમાં રાખીને વધુ બે ગાઈડલાઈન (Guideline) બહાર પાડવામાં આવી છે. CBSEએ વિષયમાં ફેરફાર અને ગેરહાજર વિદ્યાર્થીઓ અંગે ગાઈડલાઈન (Guideline) જાહેર કરી છે.
ધોરણ -11માં શ્રેષ્ઠ ત્રણ વિષયોનું મૂલ્યાંકન કરવું પડશે
ધોરણ-12ની પરીક્ષાના પરિણામોની તૈયારીના સંદર્ભમાં CBSE દ્વારા જાહેર કરાયેલા વિષયમાં ફેરફાર (Subject change) અંગે જણાવવામાં આવ્યું છે કે, શાળાએ ખાતરી કરવી પડશે કે, CBSE પાસેથી મંજૂરી પહેલાથી જ લીધેલી છે અને હવે કોઈપણ પ્રકારનો ફેરફાર સ્વીકારવામાં આવશે નહીં. આ સિવાય શાળાઓએ ફક્ત ધોરણ- 11ના શ્રેષ્ઠ ત્રણ વિષયોનું જ મૂલ્યાંકન કરવું પડશે.
આ પણ વાંચો : સરકારના બોર્ડની માર્કશીટ અંગેના નિર્ણય પર આણંદની એક શાળાના વિદ્યાર્થીઓએ આપી પ્રતિક્રિયા
ગેરહાજર વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે નહીં
શાળાઓએ ધોરણ- 12ના મૂલ્યાંકન દરમિયાન ગેરહાજર (Absent) વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે પણ સૂચના આપી છે. CBSEએ જણાવ્યું છે કે, આવા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનાં ગુણ આપવાને બદલે તેમને Absent જાહેર કરવા જોઈએ. CBSE એ જણાવ્યું છે કે, જે વિદ્યાર્થીઓ ગેરહાજર છે તેનું પરિણામ (result) જાહેર કરવામાં આવશે નહીં. એમ પણ જણાવ્યું છે કે, આ વિદ્યાર્થીઓને શૂન્ય આપવાના બદલે માત્ર Absent જાહેર કરવા જોઈએ.
આ પણ વાંચો : રાજ્યમાં ધોરણ 10 અને 12ના રીપીટર્સની પરીક્ષા રદ કરવા હાઇકોર્ટમાં અરજી
31 જુલાઇએ પરીક્ષાનું પરિણામ કરાશે જાહેર
CBSE દ્વારા શુક્રવારે ધોરણ- 12ના મૂલ્યાંકનને લઈને વેબિનાર (Webinar) નું પણ આયોજન કરવામાં આવશે. આ અંગે શાળાઓને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ- 12ની પરીક્ષાનું પરિણામ (result of class 12) 31 જુલાઈએ જાહેર કરવામાં આવશે.