ETV Bharat / bharat

CBSE: ધોરણ-12નું મૂલ્યાંકન શરૂ, વધુ બે ગાઈડલાઈન કરાઈ જાહેર - સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન

CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી મૂલ્યાંકન નીતિ હેઠળ શાળાઓમાં મૂલ્યાંકન કાર્યમાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. CBSEએ વિષયમાં ફેરફાર (Subject change) અને ગેરહાજર (Absent) વિદ્યાર્થીઓ અંગે ગાઈડલાઈન જાહેર કરી છે.

cbse result evaluation
cbse result evaluation
author img

By

Published : Jul 2, 2021, 3:54 PM IST

  • CBSEએ બે નવી ગાઈડવાઈન કરી જાહેર
  • વિષયમાં ફેરફાર અને ગેરહાજર વિદ્યાર્થીઓ અંગે ગાઈડલાઈન જાહેર
  • શાળાઓમાં મૂલ્યાંકન કાર્યમાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન જાહેર કરાઈ

નવી દિલ્હી: Central Board of Secondary Education (CBSE) એ કોરોના સંક્રમણ (Corona transition) ને કારણે ધોરણ -10 અને 12ની પરીક્ષાઓ રદ કરી દીધી હતી. હવે CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી મૂલ્યાંકન નીતિ હેઠળ શાળાઓમાં મૂલ્યાંકનનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન શાળાઓને પડતી સમસ્યાને ધ્યાનમાં રાખીને વધુ બે ગાઈડલાઈન (Guideline) બહાર પાડવામાં આવી છે. CBSEએ વિષયમાં ફેરફાર અને ગેરહાજર વિદ્યાર્થીઓ અંગે ગાઈડલાઈન (Guideline) જાહેર કરી છે.

ધોરણ -11માં શ્રેષ્ઠ ત્રણ વિષયોનું મૂલ્યાંકન કરવું પડશે

ધોરણ-12ની પરીક્ષાના પરિણામોની તૈયારીના સંદર્ભમાં CBSE દ્વારા જાહેર કરાયેલા વિષયમાં ફેરફાર (Subject change) અંગે જણાવવામાં આવ્યું છે કે, શાળાએ ખાતરી કરવી પડશે કે, CBSE પાસેથી મંજૂરી પહેલાથી જ લીધેલી છે અને હવે કોઈપણ પ્રકારનો ફેરફાર સ્વીકારવામાં આવશે નહીં. આ સિવાય શાળાઓએ ફક્ત ધોરણ- 11ના શ્રેષ્ઠ ત્રણ વિષયોનું જ મૂલ્યાંકન કરવું પડશે.

આ પણ વાંચો : સરકારના બોર્ડની માર્કશીટ અંગેના નિર્ણય પર આણંદની એક શાળાના વિદ્યાર્થીઓએ આપી પ્રતિક્રિયા

ગેરહાજર વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે નહીં

શાળાઓએ ધોરણ- 12ના મૂલ્યાંકન દરમિયાન ગેરહાજર (Absent) વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે પણ સૂચના આપી છે. CBSEએ જણાવ્યું છે કે, આવા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનાં ગુણ આપવાને બદલે તેમને Absent જાહેર કરવા જોઈએ. CBSE એ જણાવ્યું છે કે, જે વિદ્યાર્થીઓ ગેરહાજર છે તેનું પરિણામ (result) જાહેર કરવામાં આવશે નહીં. એમ પણ જણાવ્યું છે કે, આ વિદ્યાર્થીઓને શૂન્ય આપવાના બદલે માત્ર Absent જાહેર કરવા જોઈએ.

આ પણ વાંચો : રાજ્યમાં ધોરણ 10 અને 12ના રીપીટર્સની પરીક્ષા રદ કરવા હાઇકોર્ટમાં અરજી

31 જુલાઇએ પરીક્ષાનું પરિણામ કરાશે જાહેર

CBSE દ્વારા શુક્રવારે ધોરણ- 12ના મૂલ્યાંકનને લઈને વેબિનાર (Webinar) નું પણ આયોજન કરવામાં આવશે. આ અંગે શાળાઓને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ- 12ની પરીક્ષાનું પરિણામ (result of class 12) 31 જુલાઈએ જાહેર કરવામાં આવશે.

  • CBSEએ બે નવી ગાઈડવાઈન કરી જાહેર
  • વિષયમાં ફેરફાર અને ગેરહાજર વિદ્યાર્થીઓ અંગે ગાઈડલાઈન જાહેર
  • શાળાઓમાં મૂલ્યાંકન કાર્યમાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન જાહેર કરાઈ

નવી દિલ્હી: Central Board of Secondary Education (CBSE) એ કોરોના સંક્રમણ (Corona transition) ને કારણે ધોરણ -10 અને 12ની પરીક્ષાઓ રદ કરી દીધી હતી. હવે CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી મૂલ્યાંકન નીતિ હેઠળ શાળાઓમાં મૂલ્યાંકનનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન શાળાઓને પડતી સમસ્યાને ધ્યાનમાં રાખીને વધુ બે ગાઈડલાઈન (Guideline) બહાર પાડવામાં આવી છે. CBSEએ વિષયમાં ફેરફાર અને ગેરહાજર વિદ્યાર્થીઓ અંગે ગાઈડલાઈન (Guideline) જાહેર કરી છે.

ધોરણ -11માં શ્રેષ્ઠ ત્રણ વિષયોનું મૂલ્યાંકન કરવું પડશે

ધોરણ-12ની પરીક્ષાના પરિણામોની તૈયારીના સંદર્ભમાં CBSE દ્વારા જાહેર કરાયેલા વિષયમાં ફેરફાર (Subject change) અંગે જણાવવામાં આવ્યું છે કે, શાળાએ ખાતરી કરવી પડશે કે, CBSE પાસેથી મંજૂરી પહેલાથી જ લીધેલી છે અને હવે કોઈપણ પ્રકારનો ફેરફાર સ્વીકારવામાં આવશે નહીં. આ સિવાય શાળાઓએ ફક્ત ધોરણ- 11ના શ્રેષ્ઠ ત્રણ વિષયોનું જ મૂલ્યાંકન કરવું પડશે.

આ પણ વાંચો : સરકારના બોર્ડની માર્કશીટ અંગેના નિર્ણય પર આણંદની એક શાળાના વિદ્યાર્થીઓએ આપી પ્રતિક્રિયા

ગેરહાજર વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે નહીં

શાળાઓએ ધોરણ- 12ના મૂલ્યાંકન દરમિયાન ગેરહાજર (Absent) વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે પણ સૂચના આપી છે. CBSEએ જણાવ્યું છે કે, આવા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનાં ગુણ આપવાને બદલે તેમને Absent જાહેર કરવા જોઈએ. CBSE એ જણાવ્યું છે કે, જે વિદ્યાર્થીઓ ગેરહાજર છે તેનું પરિણામ (result) જાહેર કરવામાં આવશે નહીં. એમ પણ જણાવ્યું છે કે, આ વિદ્યાર્થીઓને શૂન્ય આપવાના બદલે માત્ર Absent જાહેર કરવા જોઈએ.

આ પણ વાંચો : રાજ્યમાં ધોરણ 10 અને 12ના રીપીટર્સની પરીક્ષા રદ કરવા હાઇકોર્ટમાં અરજી

31 જુલાઇએ પરીક્ષાનું પરિણામ કરાશે જાહેર

CBSE દ્વારા શુક્રવારે ધોરણ- 12ના મૂલ્યાંકનને લઈને વેબિનાર (Webinar) નું પણ આયોજન કરવામાં આવશે. આ અંગે શાળાઓને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ- 12ની પરીક્ષાનું પરિણામ (result of class 12) 31 જુલાઈએ જાહેર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.