ETV Bharat / bharat

Jammu air force station Blast: જમ્મુ એરપોર્ટના તકનીકી વિસ્તારમાં થયા 2 વિસ્ફોટ, NIAની ટીમ પહોંચી

author img

By

Published : Jun 27, 2021, 9:50 AM IST

Updated : Jun 27, 2021, 1:44 PM IST

જમ્મુ અને કાશ્મીરના એયર ફોર્સ સ્ટેશન (Jammu air force station Blast) પર મોડી રાતે બ્લાસ્ટનો અવાજ સંભાળાતા અફરાતફરી મચી હતી. મળેલી માહિતી મુજબ બ્લાસ્ટનો અવાજ મોડી રાતે 1: 50 મિનિટે સંભળાયો હતો.

Jammu air force station Blast
જમ્મુ એરપોર્ટના તકનીકી વિસ્તારમાં થયા 2 વિસ્ફોટ

  • જમ્મુ અને કાશ્મીરના એયર ફોર્સ સ્ટેશન પર બ્લાસ્ટ
  • 5 મિનિટના અંતરે એયર ફોર્સ સ્ટેશન થયા 2 બ્લાસ્ટ
  • સદનસીબે બલાસ્ટમાં કોઈ જાનહાનીના સમાચાર નહિ

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના એયર ફોર્સ સ્ટેશન (Jammu air force station Blast) પર મોડી રાતે બ્લાસ્ટનો અવાજ સંભાળાતા અફરાતફરી મચી હતી. મળેલી માહિતી મુજબ બ્લાસ્ટનો અવાજ મોડી રાતે 1:50 મિનિટે સંભળાયો હતો. જો કે મોડી રાત્રે થયેલા આ વિસ્ફોટમાં કોઈ ઈજાગ્રસ્ત કે જાનહાનિના સમાચાર નથી. સાવચેતીના રૂપે પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં NIAની ટીમ પણ એરફોર્સ સ્ટેશન પહોંચી તપાસ શરુ કરી.

5 મિનિટના તફાવત સાથે થયા 2 વિસ્ફોટ

સમાચાર એજન્સી અનુસાર, જમ્મુ એરપોર્ટ પર સ્થિત એરફોર્સ સ્ટેશનમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ વિસ્તાર ઉચ્ચ સુરક્ષા હેઠળ આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 5 મિનિટના તફાવત સાથે ત્યાં બે વિસ્ફોટ થયા હતા. ત્યારે એરફોર્સનું કહેવું છે કે, પ્રથમ વિસ્ફોટ એક બિલ્ડિંગની છત પર થયો હતો અને બીજો બ્લાસ્ટ જમીન પર થયો હતો. બ્લાસ્ટમાં માત્ર છતને નુકસાન થયું છે. વધારે કોઈ નુકસાન થયું નથી.

બ્લાસ્ટમાં છતને પહોંચ્યુ નુકસાન
બ્લાસ્ટમાં છતને પહોંચ્યુ નુકસાન

બ્લાસ્ટ અંગે ભારતીય વાયુસેનાએ કર્યું ટ્વીટ

બ્લાસ્ટ અંગે ભારતીય વાયુસેના (indian Air force) એ પણ ટ્વીટ કર્યું હતું કે, તેમાં કોઈ જાનહાની થઈ નથી. વાયુસેનાએ ટ્વીટ કર્યું છે કે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે ઓછી-તીવ્રતાના વિસ્ફોટ થયા છે. વિસ્ફોટમાં બિલ્ડિંગની છતને નુકસાન થયું હતું. બીજો બ્લાસ્ટ જમીન પર થયો હતો, પરંતુ તેને કોઈ નુકસાન થયું નહીં.

Jammu air force station Blast
જમ્મુ એરપોર્ટના તકનીકી વિસ્તારમાં થયા 2 વિસ્ફોટ

વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારને સીલ કર્યો

વિસ્ફોટની જાણ થતાં તુરંત જ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. પોલીસ, ફોરેન્સિક ટીમ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. બોમ્બ ડિસ્પોઝેબલની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે. હાલ તપાસ ચાલુ છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એર માર્શલ અરોરા સાથે કરી વાત

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની કાર્યાલયે જણાવ્યું હતું કે, વિસ્ફોટો અંગે તેમણે એરફોર્સ એર ડેપ્યુટી ચીફ એર માર્શલ એચએસ અરોરા સાથે વાત કરી હતી. તપાસ અધિકારીઓ વિમાનમથક પર વિસ્ફોટકોને પકડવા ડ્રોનના સંભવિત ઉપયોગની પણ તપાસ કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ એરપોર્ટમાં એરફોર્સની વિવિધ સંપત્તિ છે. એર માર્શલ વિક્રમ સિંહ પરિસ્થિતિનો તાગ મેળવવા જમ્મુ પહોંચ્યા છે.

તપાસ માટે NIAની ટીમ જમ્મુ એરપોર્ટ પર પહોંચી

અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિસ્ફોટમાં આતંકવાદી નેટવર્કની સંડોવણી સહિતના વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, એર ચીફ માર્શલ RKS ભદૌરીયાને વિસ્ફોટ વિશે માહિતગાર કરવામાં આવ્યા છે. એરફોર્સ ચીફ શનિવારથી ત્રણ દિવસીય બાંગ્લાદેશ પ્રવાસે છે.

NIAની ટીમ જમ્મુ એરપોર્ટ પર પહોંચી
NIAની ટીમ જમ્મુ એરપોર્ટ પર પહોંચી

આ પણ વાંચોઃ Border Security Force: જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં BSFએ ચોરને ગોળી મારી, 27 કિલો હેરોઇન મળ્યું

એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ, વિસ્ફોટક સામગ્રી મળી

જમ્મુમાં એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી કેટલીક વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી હતી. તેણે જણાવ્યું કે શંકાસ્પદ બનીહલનો રહેવાસી છે. શનિવારે રાત્રે જમ્મુની હદમાં આવેલા ત્રિકૂટ નગર વિસ્તારથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, શંકાસ્પદની ધરપકડ અને વિસ્ફોટકોની શોધખોળ બાદ જમ્મુ વિભાગમાં સુરક્ષા બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.

  • જમ્મુ અને કાશ્મીરના એયર ફોર્સ સ્ટેશન પર બ્લાસ્ટ
  • 5 મિનિટના અંતરે એયર ફોર્સ સ્ટેશન થયા 2 બ્લાસ્ટ
  • સદનસીબે બલાસ્ટમાં કોઈ જાનહાનીના સમાચાર નહિ

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના એયર ફોર્સ સ્ટેશન (Jammu air force station Blast) પર મોડી રાતે બ્લાસ્ટનો અવાજ સંભાળાતા અફરાતફરી મચી હતી. મળેલી માહિતી મુજબ બ્લાસ્ટનો અવાજ મોડી રાતે 1:50 મિનિટે સંભળાયો હતો. જો કે મોડી રાત્રે થયેલા આ વિસ્ફોટમાં કોઈ ઈજાગ્રસ્ત કે જાનહાનિના સમાચાર નથી. સાવચેતીના રૂપે પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં NIAની ટીમ પણ એરફોર્સ સ્ટેશન પહોંચી તપાસ શરુ કરી.

5 મિનિટના તફાવત સાથે થયા 2 વિસ્ફોટ

સમાચાર એજન્સી અનુસાર, જમ્મુ એરપોર્ટ પર સ્થિત એરફોર્સ સ્ટેશનમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ વિસ્તાર ઉચ્ચ સુરક્ષા હેઠળ આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 5 મિનિટના તફાવત સાથે ત્યાં બે વિસ્ફોટ થયા હતા. ત્યારે એરફોર્સનું કહેવું છે કે, પ્રથમ વિસ્ફોટ એક બિલ્ડિંગની છત પર થયો હતો અને બીજો બ્લાસ્ટ જમીન પર થયો હતો. બ્લાસ્ટમાં માત્ર છતને નુકસાન થયું છે. વધારે કોઈ નુકસાન થયું નથી.

બ્લાસ્ટમાં છતને પહોંચ્યુ નુકસાન
બ્લાસ્ટમાં છતને પહોંચ્યુ નુકસાન

બ્લાસ્ટ અંગે ભારતીય વાયુસેનાએ કર્યું ટ્વીટ

બ્લાસ્ટ અંગે ભારતીય વાયુસેના (indian Air force) એ પણ ટ્વીટ કર્યું હતું કે, તેમાં કોઈ જાનહાની થઈ નથી. વાયુસેનાએ ટ્વીટ કર્યું છે કે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે ઓછી-તીવ્રતાના વિસ્ફોટ થયા છે. વિસ્ફોટમાં બિલ્ડિંગની છતને નુકસાન થયું હતું. બીજો બ્લાસ્ટ જમીન પર થયો હતો, પરંતુ તેને કોઈ નુકસાન થયું નહીં.

Jammu air force station Blast
જમ્મુ એરપોર્ટના તકનીકી વિસ્તારમાં થયા 2 વિસ્ફોટ

વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારને સીલ કર્યો

વિસ્ફોટની જાણ થતાં તુરંત જ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. પોલીસ, ફોરેન્સિક ટીમ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. બોમ્બ ડિસ્પોઝેબલની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે. હાલ તપાસ ચાલુ છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એર માર્શલ અરોરા સાથે કરી વાત

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની કાર્યાલયે જણાવ્યું હતું કે, વિસ્ફોટો અંગે તેમણે એરફોર્સ એર ડેપ્યુટી ચીફ એર માર્શલ એચએસ અરોરા સાથે વાત કરી હતી. તપાસ અધિકારીઓ વિમાનમથક પર વિસ્ફોટકોને પકડવા ડ્રોનના સંભવિત ઉપયોગની પણ તપાસ કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ એરપોર્ટમાં એરફોર્સની વિવિધ સંપત્તિ છે. એર માર્શલ વિક્રમ સિંહ પરિસ્થિતિનો તાગ મેળવવા જમ્મુ પહોંચ્યા છે.

તપાસ માટે NIAની ટીમ જમ્મુ એરપોર્ટ પર પહોંચી

અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિસ્ફોટમાં આતંકવાદી નેટવર્કની સંડોવણી સહિતના વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, એર ચીફ માર્શલ RKS ભદૌરીયાને વિસ્ફોટ વિશે માહિતગાર કરવામાં આવ્યા છે. એરફોર્સ ચીફ શનિવારથી ત્રણ દિવસીય બાંગ્લાદેશ પ્રવાસે છે.

NIAની ટીમ જમ્મુ એરપોર્ટ પર પહોંચી
NIAની ટીમ જમ્મુ એરપોર્ટ પર પહોંચી

આ પણ વાંચોઃ Border Security Force: જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં BSFએ ચોરને ગોળી મારી, 27 કિલો હેરોઇન મળ્યું

એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ, વિસ્ફોટક સામગ્રી મળી

જમ્મુમાં એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી કેટલીક વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી હતી. તેણે જણાવ્યું કે શંકાસ્પદ બનીહલનો રહેવાસી છે. શનિવારે રાત્રે જમ્મુની હદમાં આવેલા ત્રિકૂટ નગર વિસ્તારથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, શંકાસ્પદની ધરપકડ અને વિસ્ફોટકોની શોધખોળ બાદ જમ્મુ વિભાગમાં સુરક્ષા બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.

Last Updated : Jun 27, 2021, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.