પ્રથમ અધિકૃત પ્રતિક્રિયામાં Whatsapp ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપની તમામ ભારતીય નાગરિકોની ગોપનીયતાની સુરક્ષાની જરૂરિયાત અંગે ભારત સરકારના કડક નિવેદન સાથે સહમત છે.
પ્રવક્તાએ જણાવ્યું કે, તેથી જ અમે સાયબર હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. Whatsapp તમામ ગ્રાહકોના સંદેશાઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
ગૃહ મંત્રાલયે Whatsapp વિવાદ પર એક અલગ નિવેદન જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગોપનીયતાના અધિકાર સહિત નાગરિકોના મૂળ અધિકારોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને ગોપનીયતાના ભંગ માટે જવાબદાર કોઈપણ મધ્યસ્થ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.