ભોપાલઃ મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં રવિવારે સવારે 5 વાગ્યે મોટો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં બે માલગાડી ટ્રેન સામસામે અથડાઈ હતી, જેમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC)ના 2 ઑપરેટર અને 1 પોઇન્ટમેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ અકસ્માતમાં કરોડો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. અકસ્માત બાદ માલગાડીના કોચને નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટનાની જાણ થતાં રેલ્વે વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
NTPCને સમયસર કોલસો પૂરો પાડવા માટે ઝડપથી પાટા સાફ કરવા એ પણ વિભાગ માટે કોઈ પડકારથી ઓછું નથી.