ETV Bharat / bharat

WEFમાં એક ટ્રિલિયન વૃક્ષોની વાત કરતાં સદ્ગુરુ

દાવોસ ખાતે વિશ્વ આર્થિક મંચ (WEF) ખાતે સંયુક્ત રાષ્ટ્રો પર્યાવરણ કાર્યક્રમ (UNEP) અને સંયુક્ત રાષ્ટ્રો ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) દ્વારા એક મોટી નવી પહેલ કરવામાં આવી છે અને તે છે એક ટ્રિલિયન વૃક્ષ મંચ (1 Trillion Trees Platform). તેમાં વિજેતાઓના સત્તાવાર નિવેદનમાં આબોહવા પરિવર્તન સામે એકીકૃત કાર્ય માટે વૈશ્વિક સ્તરે અગ્રણી અવાજોએ મજબૂત રજૂઆત કરી હતી.

author img

By

Published : Jan 31, 2020, 10:56 PM IST

Sadhguru pitches in support of 'Champions for 1 Trillion Trees' at WEF
Sadhguru pitches in support of 'Champions for 1 Trillion Trees' at WEF

સદ્ગુરુ કે જે ઇશા ફાઉન્ડેશનના સ્થાપક છે તેઓ વેપાર રાજકારણ પર્યાવરણ અને સંસ્કૃતિક નેતાઓ સાથે એક જ મંચ પર બેઠા હતા જેમણે દસ વર્ષમાં સમગ્ર વિશ્વમાં એક ટ્રિલિયન વૃક્ષો વાવવાનો હેતુ ધરાવતી મહત્ત્વાકાંક્ષી ઝુંબેશ માટે એક સ્વરે વાત કરી હતી. તેમાં કોલંબિયાના પ્રમુખ ઇવાન દુક્યુ, સેલસ્ફોર્સ ડૉટ કોમના સ્થાપક માર્ક બેનીઓફ, ઍસોસિએશન ફૉર ઇન્ડિજિનિયસ વીમેન ઍન્ડ પીપલ્સ ઑફ ચાડ (AFPAT)ના પ્રમુખ હિંદોઉ ઑઉમારુ અને પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક તથા સંરક્ષણ સમર્થક ડૉ. જાને ગૂડઓલનો સમાવેશ થાય છે.

WEFમાં એક ટ્રિલિયન વૃક્ષોની વાત કરતાં સદ્ગુરુ
WEFમાં એક ટ્રિલિયન વૃક્ષોની વાત કરતાં સદ્ગુરુ

સદ્ગુરુએ ભારતમાં ચીલો ચાતરતી પર્યાવરણની પહેલો શરૂ કરી છે જેમાં પરિયોજના ગ્રીનહેન્ડસ (PGH) અને નદીઓ માટે જનસભા (RFR) નો સમાવેશ થાય છે. આ બંને યોજનાઓ વૃક્ષ વાવવાને ઉત્તેજન આપે છે. પીજીએચ એ ધરાતલ ચળવળ છે જેમાં ૩.૫૦ કરોડ વૃક્ષો વાવવા માટે ૩૦ લાખ લોકો નોંધાયા છે, જ્યારે આરએફઆર એવા આર્થિક નમૂનાને પ્રોત્સાહન આપે છે જેમાં ખેડૂતો તેમની ખેતરની જમીન પર વૃક્ષો વાવીને અને ઊંચી કિંમતનાં વૃક્ષોને ઉગાડીને કમાણી કરી શકે છે.

પ્રમુખ દુક્યુએ કહ્યું,"કોલંબિયા આને ખૂબ જ અગત્યનું સીમાચિહ્ન ગણે છે." અને તેમણે ૨૦૨૨ સુધીમાં ૧૮ કરોડ વૃક્ષ વાવવામાં દેશના પ્રદાનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી બેનીઓફે ૧ ટ્રિલિયન વૃક્ષો વાવવાથી કેટલો ચમત્કારિક રીતે કાર્બન દૂર થશે તેના વિશે વાત કરી હતી. “૨૦૦ ગીગાટન કરતાં વધુ કાર્બન દૂર થશે,” તેમ તેમણે કહ્યું હતું.

સદ્ગુરુએ કહ્યું હતું કે પૃથ્વી પરની જમીનના ૫૦થી ૬૦ ટકાને તડકાથી નહીં દૂર રખાય તો, જૈવિક સામગ્રીની રીતે સમૃદ્ધ અને ફળદ્રુપ જમીનને જાળવવાનો કોઈ રસ્તો નહીં રહે. જમીનની ગુણવત્તામાં ચિંતાજનક ઘટાડાના લીધે જમીન પર ઉગતા ખાદ્ય પદાર્થોના પોષણ મૂલ્યમાં ભારે ઘટાડો થયો છે. “આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું પોષણ મૂલ્ય ૪૦ ટકા જેટલું ઘટ્યું છે; જો આને બદલવું હશે તો વૃક્ષોએ પાછાં આવવું પડશે,” તેમ સદ્ગુરુએ કહ્યું હતું. તેઓ વૃક્ષ વાવવાને આર્થિક નમૂનો બનાવાય જેથી ખેડૂતો સમૃદ્ધ થઈ શકે તેના પર પણ બોલ્યા હતા. “આપણે ક્યારેય ગ્રહ બચાવવા ખેડૂત સાથે વાત કરતા નથી,” તેમ કહેતા સદ્ગુરુનો ઈશારો કાવેરી આહ્વાન નમૂના તરફ હતો જે દક્ષિણ ભારતમાં કાવેરી તટ પ્રદેશમાં ખેડૂતોમાં વૃક્ષ આધારિત ખેતીને આર્થિક નમૂના તરીકે પ્રોત્સાહિત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે જ્યાં સુધી ખેડૂતોને આ પ્રવૃત્તિમાંથી નોંધપાત્ર ફાયદો નહીં થાય ત્યાં સુધી નમૂનો કામ નહીં કરે.

સદ્ગુરુ વિશ્વમાં ઈમારતી લાકડાના ગેરકાયદે વેપાર અંગે પણ બોલ્યા હતા. “પૃથ્વી પર વેચાતું ઈમારતી લાકડું મોટા પાયે ગેરકાયદે હોય છે,” તેમ તેમણે કહ્યું હતું કારણકે ઈમારતી લાકડાને વન ઉત્પાદન તરીકે ગણવામાં આવે છે. “ઈમારતી લાકડું લોભામણી ચીજ છે – તેને આર્થિક પ્રક્રિયા બનાવવી પડશે,” તેમ કહેતા સદ્ગુરુએ ઉમેર્યું હતું કે ગેરકાયદે વેપારને અટકાવવાનો એક માત્ર માર્ગ ઈમારતી લાકડાને કૃષિ ઉત્પાદન બનાવવાનો અને ખેડૂતોને આર્થિક લાભ માટે તેને વિકસાવવાનો, કાપવાનો અને વેચવાની છૂટ આપવાનો છે.

સદ્ગુરુ સ્થળાંતર અંગે પણ થોડું બોલ્યા હતા અને કહ્યું હતું કે ખેતીની જમીન પર ઊંચી કિંમતના, ઊંચી નીપજના પાકને ઉગાડવો એ ખેડૂત પાસે તેની જમીન રહે તેનો એક રસ્તો છે. એવી આશા છે કે એક દાયકામાં ૨૨ કરોડ લોકો ભારતનાં શહેરોમાં રહેવા આવી જશે અને ૧.૬ અબજ લોકો વિશ્વભરમાં સ્થળાંતર કરશે. જમીન પર રહેવા માટે પ્રોત્સાહન આપીને ગ્રામીણ સમુદાયોને વિકસાવવા એ અનિયંત્રિત સ્થળાંતર જેના માટે કોઈ શહેર તૈયાર નથી, તેને અટકાવવાનો એક રસ્તો છે, તેમ સદ્ગુરુએ કહ્યું હતું.

અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને તરુણ પર્યાવરણવાદી ગ્રેટા થનબર્ગ પણ આ વર્ષે WEF શિખરમાં ભાગ લેનારા રાજકીય, પર્યાવરણવાદી, વેપાર અને સાંસ્કૃતિક નેતાઓમાં સમાવિષ્ટ હતા.

સદ્ગુરુ કે જે ઇશા ફાઉન્ડેશનના સ્થાપક છે તેઓ વેપાર રાજકારણ પર્યાવરણ અને સંસ્કૃતિક નેતાઓ સાથે એક જ મંચ પર બેઠા હતા જેમણે દસ વર્ષમાં સમગ્ર વિશ્વમાં એક ટ્રિલિયન વૃક્ષો વાવવાનો હેતુ ધરાવતી મહત્ત્વાકાંક્ષી ઝુંબેશ માટે એક સ્વરે વાત કરી હતી. તેમાં કોલંબિયાના પ્રમુખ ઇવાન દુક્યુ, સેલસ્ફોર્સ ડૉટ કોમના સ્થાપક માર્ક બેનીઓફ, ઍસોસિએશન ફૉર ઇન્ડિજિનિયસ વીમેન ઍન્ડ પીપલ્સ ઑફ ચાડ (AFPAT)ના પ્રમુખ હિંદોઉ ઑઉમારુ અને પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક તથા સંરક્ષણ સમર્થક ડૉ. જાને ગૂડઓલનો સમાવેશ થાય છે.

WEFમાં એક ટ્રિલિયન વૃક્ષોની વાત કરતાં સદ્ગુરુ
WEFમાં એક ટ્રિલિયન વૃક્ષોની વાત કરતાં સદ્ગુરુ

સદ્ગુરુએ ભારતમાં ચીલો ચાતરતી પર્યાવરણની પહેલો શરૂ કરી છે જેમાં પરિયોજના ગ્રીનહેન્ડસ (PGH) અને નદીઓ માટે જનસભા (RFR) નો સમાવેશ થાય છે. આ બંને યોજનાઓ વૃક્ષ વાવવાને ઉત્તેજન આપે છે. પીજીએચ એ ધરાતલ ચળવળ છે જેમાં ૩.૫૦ કરોડ વૃક્ષો વાવવા માટે ૩૦ લાખ લોકો નોંધાયા છે, જ્યારે આરએફઆર એવા આર્થિક નમૂનાને પ્રોત્સાહન આપે છે જેમાં ખેડૂતો તેમની ખેતરની જમીન પર વૃક્ષો વાવીને અને ઊંચી કિંમતનાં વૃક્ષોને ઉગાડીને કમાણી કરી શકે છે.

પ્રમુખ દુક્યુએ કહ્યું,"કોલંબિયા આને ખૂબ જ અગત્યનું સીમાચિહ્ન ગણે છે." અને તેમણે ૨૦૨૨ સુધીમાં ૧૮ કરોડ વૃક્ષ વાવવામાં દેશના પ્રદાનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી બેનીઓફે ૧ ટ્રિલિયન વૃક્ષો વાવવાથી કેટલો ચમત્કારિક રીતે કાર્બન દૂર થશે તેના વિશે વાત કરી હતી. “૨૦૦ ગીગાટન કરતાં વધુ કાર્બન દૂર થશે,” તેમ તેમણે કહ્યું હતું.

સદ્ગુરુએ કહ્યું હતું કે પૃથ્વી પરની જમીનના ૫૦થી ૬૦ ટકાને તડકાથી નહીં દૂર રખાય તો, જૈવિક સામગ્રીની રીતે સમૃદ્ધ અને ફળદ્રુપ જમીનને જાળવવાનો કોઈ રસ્તો નહીં રહે. જમીનની ગુણવત્તામાં ચિંતાજનક ઘટાડાના લીધે જમીન પર ઉગતા ખાદ્ય પદાર્થોના પોષણ મૂલ્યમાં ભારે ઘટાડો થયો છે. “આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું પોષણ મૂલ્ય ૪૦ ટકા જેટલું ઘટ્યું છે; જો આને બદલવું હશે તો વૃક્ષોએ પાછાં આવવું પડશે,” તેમ સદ્ગુરુએ કહ્યું હતું. તેઓ વૃક્ષ વાવવાને આર્થિક નમૂનો બનાવાય જેથી ખેડૂતો સમૃદ્ધ થઈ શકે તેના પર પણ બોલ્યા હતા. “આપણે ક્યારેય ગ્રહ બચાવવા ખેડૂત સાથે વાત કરતા નથી,” તેમ કહેતા સદ્ગુરુનો ઈશારો કાવેરી આહ્વાન નમૂના તરફ હતો જે દક્ષિણ ભારતમાં કાવેરી તટ પ્રદેશમાં ખેડૂતોમાં વૃક્ષ આધારિત ખેતીને આર્થિક નમૂના તરીકે પ્રોત્સાહિત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે જ્યાં સુધી ખેડૂતોને આ પ્રવૃત્તિમાંથી નોંધપાત્ર ફાયદો નહીં થાય ત્યાં સુધી નમૂનો કામ નહીં કરે.

સદ્ગુરુ વિશ્વમાં ઈમારતી લાકડાના ગેરકાયદે વેપાર અંગે પણ બોલ્યા હતા. “પૃથ્વી પર વેચાતું ઈમારતી લાકડું મોટા પાયે ગેરકાયદે હોય છે,” તેમ તેમણે કહ્યું હતું કારણકે ઈમારતી લાકડાને વન ઉત્પાદન તરીકે ગણવામાં આવે છે. “ઈમારતી લાકડું લોભામણી ચીજ છે – તેને આર્થિક પ્રક્રિયા બનાવવી પડશે,” તેમ કહેતા સદ્ગુરુએ ઉમેર્યું હતું કે ગેરકાયદે વેપારને અટકાવવાનો એક માત્ર માર્ગ ઈમારતી લાકડાને કૃષિ ઉત્પાદન બનાવવાનો અને ખેડૂતોને આર્થિક લાભ માટે તેને વિકસાવવાનો, કાપવાનો અને વેચવાની છૂટ આપવાનો છે.

સદ્ગુરુ સ્થળાંતર અંગે પણ થોડું બોલ્યા હતા અને કહ્યું હતું કે ખેતીની જમીન પર ઊંચી કિંમતના, ઊંચી નીપજના પાકને ઉગાડવો એ ખેડૂત પાસે તેની જમીન રહે તેનો એક રસ્તો છે. એવી આશા છે કે એક દાયકામાં ૨૨ કરોડ લોકો ભારતનાં શહેરોમાં રહેવા આવી જશે અને ૧.૬ અબજ લોકો વિશ્વભરમાં સ્થળાંતર કરશે. જમીન પર રહેવા માટે પ્રોત્સાહન આપીને ગ્રામીણ સમુદાયોને વિકસાવવા એ અનિયંત્રિત સ્થળાંતર જેના માટે કોઈ શહેર તૈયાર નથી, તેને અટકાવવાનો એક રસ્તો છે, તેમ સદ્ગુરુએ કહ્યું હતું.

અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને તરુણ પર્યાવરણવાદી ગ્રેટા થનબર્ગ પણ આ વર્ષે WEF શિખરમાં ભાગ લેનારા રાજકીય, પર્યાવરણવાદી, વેપાર અને સાંસ્કૃતિક નેતાઓમાં સમાવિષ્ટ હતા.

Intro:Body:

blank for meet


Conclusion:

For All Latest Updates

TAGGED:

SadhguruWEF
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.