પરંપરા અનુસાર, વર્તમાન મુખ્ય ન્યાયધીશ સરકારને પત્ર લખી તેમના ઉત્તરાધિકારીના નામની ભલામણ કરે છે. જેને લઇને રંજન ગોગોઇએ આગામી ચીફ જસ્ટીસ માટે એસ.એ.બોબડેના નામની ભલામણ કરી છે. રંજન ગોગોઈએ 3 ઓક્ટોબરે ભારતના 46માં મુખ્ય ન્યાયધીશ તરીકે શપથ લીઘા હતાં.
મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ 17 નવેમ્બરે સેવાનિવૃત થશે. તેમણે સેવાનિવૃત થયા પહેલા દક્ષિણ અમેરિકાના દેશો, મધ્ય પૂર્વ અને અન્ય દેશોની યાત્રા પર જવાનું હતું, જે તેઓએ અયોધ્યા ભૂમિ વિવાદના કેસ માટે રદ્દ કરી હતી.