નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પરપ્રાંતીય મજૂરો માટે બસ પૂરી પાડવાના મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'અમે ફક્ત મજૂરોને મદદ કરવા માંગીએ છીએ, આ રાજકારણનો સમય નથી.' ભાજપ આ બસો પર પોતાના પોસ્ટર-બેનર લગાવી શકે છે, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે, મજૂરો આદરપૂર્વક પોતાના ઘરે પહોંચે.
પ્રિયંકાએ કહ્યું કે, અમે માત્ર મજૂરોને મદદ કરવા માંગીએ છીએ. અમે સકારાત્મક કાર્ય કરી રહ્યાં છીએ. અમે યોગી સરકારને આ મુદ્દે સૂચન કર્યું છે કે, તમે જે કંઇ સારું કર્યું તેનું અમે સ્વાગત કર્યું.
તેમણે કહ્યું કે, જે લોકો પગપાળા ચાલે છે, એ લોકો સલામત ઘરો સુધી પહોંચે, એ માટે અમે આ લોકો માટે માંગણી કરી રહ્યાં છીએ. દુર્ભાગ્યવશ ઘણા અકસ્માત થયાં છે. જેથી આ મજૂરો માટે અમે એક હજાર બસોનું સંચાલન કર્યું છે.