લખનઉ: ઉતરપ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા વધીને 4287 થઇ ગઇ છે. જેમાંથી 104 લોકોના મોત થયાં છે. તેમજ 2441 લોકો સ્વસ્થ થતાં સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
કોરોના વાયરસના સંક્રમણથી 1251 વ્યક્તિ તબલીગી જમાતથી સંબંધિત વ્યક્તિ અથવા તેઓના સંપર્કમાં આવેલા લોકો પણ છે. કોવિડ -19 ના લક્ષણોવાળા 1881 લોકોને દેશની જુદી જુદી L 1 કોવિડ -19 હોસ્પિટલોમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય અત્યાર સુધીમાં 10201 લોકોએ સંસ્થાકીય કોરોન્ટાઇનની મુલાકાત લીધી છે.