ETV Bharat / bharat

ઉત્તરી મહારાષ્ટ્રમાં ટકરાશે નિસર્ગ વાવાઝોડુ, ગુજરાતમાં ખતરાથી બચ્યું

દેશમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વાવાઝોડાએ વિનાશ સર્જ્યા બાદ હવે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નિસર્ગ વાવઝોડાનો ખતરો હતો, પરંતુ હવે ગુજરાત પરથી આ જોખમ ટળ્યું છે. અરબ સાગરમાં ઉદ્ભવેલો દબાવ વાવાઝોડામાં પરીવર્તીત થયો છે અને તે આજે ઉત્તરી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવી શકે છે. બંને રાજ્યમાં ખતરાને ધ્યાને લેતા NDRFની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.

author img

By

Published : Jun 3, 2020, 4:40 AM IST

Updated : Jun 3, 2020, 10:15 AM IST

ઉત્તરી મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ટકરાશે નિસર્ગ વાવાઝોડુ
ઉત્તરી મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ટકરાશે નિસર્ગ વાવાઝોડુ

મુંબઇ : દેશ હજુ કોરોના વાઇરસમાંથી બહાર નથી આવ્યો ત્યાં વાવાઝોડાએ પણ દેશને ઘમરોળ્યુ છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વાવાઝોડાએ સર્જેલા વિનાશ બાદ આજે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડુ આવી શકે છે. જેને ધ્યાનમાં લેતા NDRFની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.

એયરલિફ્ટની ટીમ
એયરલિફ્ટની ટીમ
ગુજરાતના નવસારી ખાતે તૈનાત NDRFની ટીમ
ગુજરાતના નવસારી ખાતે તૈનાત NDRFની ટીમ

અરબ સાગરમાં ઉદ્ભવેલો દબાવ વાવાઝોડામાં પરીવર્તીત થયો છે અને તે આજે ઉત્તરી મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ ફંટાશે.

મુંબઇ પોલીસે ગંભીરતાને સમજતા શહેરમાં 144 કલમ લાગુ કરી દીધી છે. શહેરમાં નિસર્ગ વાવઝોડાના પગલે ફાયર વિભાગના 150 કર્મચારીઓને તૈનાત કર્યા છે. આ ઉપરાંત આજરોજ મુંબઇથી રવાના થનારી 5 ટ્રેનને પણ રદ કરાઇ છે. જ્યારે મુંબઇ આવનારી અન્ય ત્રણ ટ્રેનને ડાયવર્ટ કરાઇ છે.

ટ્રેન રદ
ટ્રેન રદ

આ ઉપરાંત ખતરાને ધ્યાને લેતા મુંબઇ એયરપોર્ટ 12 ફ્લાઇટનું જ સંચાલન કરશે. આ ફ્લાઇટનું સંચાલન 4 એયરલાઇનો દ્વારા કરવામાં આવશે. જેમાં એયર ઇન્ડિયા, ગો એયર, સ્પાઇસ જેટ અને એયર એશિયા ઇન્ડિયા સામેલ છે.

NDRFના વડા એસ.એન.પ્રધાને મંગળવારે કહ્યુ કે 34 ટીમમાંથી 16 ગુજરાતમાં, 15 મહારાષ્ટ્રમાં, 2 દમણમાં અને એક દાદરા નગર હવેલી પર તૈનાત કરાઇ છે.

હાલમાં નિસર્ગ મુંબઇથી 490 કિલોમીટ, ગોવાની રાજધાની પળજીથી 280 કિલોમીટર અને ગુજરાતના સુરતથી 710 કિલોમીટર દુર છે.

મુંબઇ : દેશ હજુ કોરોના વાઇરસમાંથી બહાર નથી આવ્યો ત્યાં વાવાઝોડાએ પણ દેશને ઘમરોળ્યુ છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વાવાઝોડાએ સર્જેલા વિનાશ બાદ આજે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડુ આવી શકે છે. જેને ધ્યાનમાં લેતા NDRFની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.

એયરલિફ્ટની ટીમ
એયરલિફ્ટની ટીમ
ગુજરાતના નવસારી ખાતે તૈનાત NDRFની ટીમ
ગુજરાતના નવસારી ખાતે તૈનાત NDRFની ટીમ

અરબ સાગરમાં ઉદ્ભવેલો દબાવ વાવાઝોડામાં પરીવર્તીત થયો છે અને તે આજે ઉત્તરી મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ ફંટાશે.

મુંબઇ પોલીસે ગંભીરતાને સમજતા શહેરમાં 144 કલમ લાગુ કરી દીધી છે. શહેરમાં નિસર્ગ વાવઝોડાના પગલે ફાયર વિભાગના 150 કર્મચારીઓને તૈનાત કર્યા છે. આ ઉપરાંત આજરોજ મુંબઇથી રવાના થનારી 5 ટ્રેનને પણ રદ કરાઇ છે. જ્યારે મુંબઇ આવનારી અન્ય ત્રણ ટ્રેનને ડાયવર્ટ કરાઇ છે.

ટ્રેન રદ
ટ્રેન રદ

આ ઉપરાંત ખતરાને ધ્યાને લેતા મુંબઇ એયરપોર્ટ 12 ફ્લાઇટનું જ સંચાલન કરશે. આ ફ્લાઇટનું સંચાલન 4 એયરલાઇનો દ્વારા કરવામાં આવશે. જેમાં એયર ઇન્ડિયા, ગો એયર, સ્પાઇસ જેટ અને એયર એશિયા ઇન્ડિયા સામેલ છે.

NDRFના વડા એસ.એન.પ્રધાને મંગળવારે કહ્યુ કે 34 ટીમમાંથી 16 ગુજરાતમાં, 15 મહારાષ્ટ્રમાં, 2 દમણમાં અને એક દાદરા નગર હવેલી પર તૈનાત કરાઇ છે.

હાલમાં નિસર્ગ મુંબઇથી 490 કિલોમીટ, ગોવાની રાજધાની પળજીથી 280 કિલોમીટર અને ગુજરાતના સુરતથી 710 કિલોમીટર દુર છે.

Last Updated : Jun 3, 2020, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.