ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં બેરોજગારીના દરમાં 40 ટકાનો ઘટાડો: મમતા બેનર્જી

author img

By

Published : Aug 13, 2020, 3:57 AM IST

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આંતરરાષ્ટ્રીય યુવા દિવસે કહ્યું કે, રાજ્યમાં એક લાખ બેરોજગાર યુવાનોને 'કર્મ સાથી પ્રોજેક્ટ' અંતર્ગત આત્મનિર્ભર બનાવવા માટે સબસિડી અને બજારમાંથી ઓછા દરે લોન આપવામાં આવશે.

ETV BHARAT
મમતા બેનર્જી

કલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને બુધવારે દાવો કર્યો કે, જ્યારે સમગ્ર દેશમાં બેરોજગારીનો દર 24 ટકા છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં બેરોજગારીના દરમાં 40 ટકાનો ઘટાડો થયો છે.

બેનર્જીએ આંતરરાષ્ટ્રીય યુવા દિવસે કહ્યું કે,રાજ્યમાં એક લાખ બેરોજગાર યુવાનોને 'કર્મ સાથી પ્રોજેક્ટ' અંતર્ગત આત્મનિર્ભર બનાવવા માટે સબસિડી અને બજારમાંથી ઓછા દરે લોન આપવામાં આવશે.

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આજે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે. પશ્ચિમ બંગાળ સરકાર યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. બંગાળ સરકારે 'કર્મ સાથી પ્રોજેક્ટ' નામની નવી યોજના શરૂ કરી છે. એક લાખ યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે બજારમાંથી ઓછા દરે લોન અને સબસિડી આપવામાં આવશે.

તેમણે કહ્યું કે, જ્યારે ભારતમાં બેરોજગારીનો દર અત્યાર સુધીનો સૌથી વધુ 24 ટકા છે, ત્યારે પશ્ચિમ બંગાળની બેરોજગારી દરમાં 40 ટકાનો ઘટાડો થયો છે.

બેનર્જીને આશા વ્યક્ત કરી કે, ભૂતકાળની જેમ પશ્ચિમ બંગાળના મહેનતુ અને પ્રતિભાશાળી યુવાઓ દેશનું નેતૃત્વ કરશે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવશે.

તેમણે કહ્યું કે, અમને અમારા યુવાનો પર ગર્વ છે. તે ભવિષ્ય છે. નવી પેઢી આપણા દેશને આગળ લઇને જશે. યુવાનો પ્રતિભાશાળી, કુશળ અને મહેનતુ છે. તેમના સપના કાલે પૂર્ણ થશે.mamata on

કલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને બુધવારે દાવો કર્યો કે, જ્યારે સમગ્ર દેશમાં બેરોજગારીનો દર 24 ટકા છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં બેરોજગારીના દરમાં 40 ટકાનો ઘટાડો થયો છે.

બેનર્જીએ આંતરરાષ્ટ્રીય યુવા દિવસે કહ્યું કે,રાજ્યમાં એક લાખ બેરોજગાર યુવાનોને 'કર્મ સાથી પ્રોજેક્ટ' અંતર્ગત આત્મનિર્ભર બનાવવા માટે સબસિડી અને બજારમાંથી ઓછા દરે લોન આપવામાં આવશે.

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આજે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે. પશ્ચિમ બંગાળ સરકાર યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. બંગાળ સરકારે 'કર્મ સાથી પ્રોજેક્ટ' નામની નવી યોજના શરૂ કરી છે. એક લાખ યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે બજારમાંથી ઓછા દરે લોન અને સબસિડી આપવામાં આવશે.

તેમણે કહ્યું કે, જ્યારે ભારતમાં બેરોજગારીનો દર અત્યાર સુધીનો સૌથી વધુ 24 ટકા છે, ત્યારે પશ્ચિમ બંગાળની બેરોજગારી દરમાં 40 ટકાનો ઘટાડો થયો છે.

બેનર્જીને આશા વ્યક્ત કરી કે, ભૂતકાળની જેમ પશ્ચિમ બંગાળના મહેનતુ અને પ્રતિભાશાળી યુવાઓ દેશનું નેતૃત્વ કરશે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવશે.

તેમણે કહ્યું કે, અમને અમારા યુવાનો પર ગર્વ છે. તે ભવિષ્ય છે. નવી પેઢી આપણા દેશને આગળ લઇને જશે. યુવાનો પ્રતિભાશાળી, કુશળ અને મહેનતુ છે. તેમના સપના કાલે પૂર્ણ થશે.mamata on

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.