ETV Bharat / bharat

નારી અધિકાર વિશે ગાંધીજીના વિચારો કેવા હતા? જુઓ આ અહેવાલ

author img

By

Published : Aug 28, 2019, 8:00 AM IST

ન્યૂઝ ડેસ્કઃ સમગ્ર દેશ જ્યારે આ વર્ષે દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ગાંધીના વિચારો હંમેશા દરેક વ્યક્તિના જીવનમાં એક પાયાનો ભાગ બની રહેલા છે. ઇટીવી ભારત આ પ્રસંગે તમને ગાંધીજીના જીવનની કેટલીક રોચક વાતો વિશે ચર્ચા કરી રહ્યા છે, ત્યારે આજે આપણે ગાંધીજીએ સ્ત્રીઓ માટે કરેલા યોગદાન વિશે વાત કરવાના છીએ.

નારી અધિકાર વિશે ગાંધીજીના વિચારો

કહેવાય છે કે, મહિલાઓના ઉત્થાન અને મુક્તિ માટે ગાંધીજીનું સૌથી મોટું યોગદાન તેઓને સામાજિક અને રાજકીય આંદોલનમાં સમાવિષ્ટ કરતું હતું. ગાંધીજી મહિલાઓને, જે અત્યાર સુધી રસોડામાં મર્યાદિત હતી, તેમને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં લાવ્યા હતા. તેઓએ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં અને બાદમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં મોટી સંખ્યામાં મહિલાઓને અહિંસક કાર્યકરો તરીકે નોંધાવ્યા હતા. ગાંધીજીએ મોટી સંખ્યામાં મહિલાઓને ચળવળમાં ભાગ લેવા પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું.

આ સાથે જ બાપુએ મહિલાઓને દક્ષિણ આફ્રિકાના આશ્રમો અને અન્ય આંદોલનોમાં ભાગ લેવા પ્રેરણા આપી હતી. ગાંધીજીનું ભારતમાં પ્રથમ સંઘર્ષ ચંપારણમાં હતું, જ્યાં 25 સ્વયં સેવકોમાંથી 12 મહિલા સેવકો સાથી હતા. કસ્તુરબા ગાંધી, સાબરમતી આશ્રમથી 37 મહિલા સ્વયંસેવકો સાથે નીકળ્યા હતા અને કાયદાનું ઉલ્લંઘન કરીને મીઠું તૈયાર કર્યું હતું. જેમાં સરોજિની નાયડુ, કમલા દેવી ચટ્ટોપાધ્યાય અને અન્ય લોકોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. બંધારણ વિધાનસભામાં પણ મહિલા સભ્યો હતા, જેમાં રાજ કુમારી અમૃત કૌર, દુર્ગાબાઈ દેશમુખ સમાવિષ્ટ હતા.

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના સામાજિક અને રાજકીય આંદોલનોમાં મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. ગાંધીજીએ મહિલા નેતા સરોજિની નાયડુને કોંગ્રેસ પક્ષના અધ્યક્ષા પણ બનાવ્યા હતા. તે વખતે પશ્ચિમમાં પણ બહુ ઓછા દેશોમાં મહિલા નેતાઓ હતી. ગાંધીજીએ મહિલાઓને કહ્યું હતું કે, દારૂની દુકાન સામે વિરોધ પ્રદર્શન કરવા જોઈએ. બ્રિટિશ સામ્રાજ્ય સામે મીઠાનો સત્યાગ્રહ કર્યો ત્યારે પણ ઘણી નારીઓ જોડાઈ હતી. કહેવાય છે કે, ગાંધીજીએ ક્યારેય આધુનિક નારીવાદની ભાષાનો ઉપયોગ નહોતો કર્યો. ગાંધીજીએ મહિલા શિક્ષણ તથા કારખાના અને કચેરીઓમાં કામ કરવા સમર્થન આપેલું.

મહાત્મા ગાંધીની તસવીરોને ધ્યાનપૂર્વક નિહાળીએ તો મોટાભાગના ફોટોગ્રાફ્સમાં ગાંધીજીની ચોતરફ લોકોની ભીડ જોવા મળે છે. આ ભીડમાં કેટલાક લોકો એવા છે. જેને લગભગ દરેક ભારતીય નાગરિક જાણે છે. જોકે, કેટલીક વ્યક્તિઓ એવી છે. જેના વિશે લોકો બહુ ઓછું જાણે છે. મોહનદાસ કરમચંદ ગાંધીના વિચારોને કારણે અત્યંત નજીક રહેલી કેટલીક મહિલાઓ વિશે જાણવું રસપ્રદ છે. મહિલાઓની જિંદગીમાં ગાંધીજીનો ગાઢ પ્રભાવ રહ્યો હતો. મહાત્માજીએ જે રસ્તા પર ચાલવાનું પસંદ કર્યું હતું એ રસ્તે ચાલીને વિવિધ મહિલાઓ આગળ વધી હતી.

આમ, આજે આપણે ગાંધીજીની 150મી જયંતી ઉજવી રહ્યાં છીએ, ત્યારે મહાન માનવી એવા ગાંધીજીએ મહિ‌લાઓના ઉત્થાન માટે અને મહિ‌લાઓ સમાજમાં માનભેર જીવી શકે અને જ્યાં મહિ‌લાને ગર્વભેર રહી શકાય એવો એક સમાજ બની શકે એ વિશે ખૂબ કહ્યું છે. ગાંધીજીએ પોતાના જીવન દરમિયાન પુસ્તકોમાં મહિ‌લા અને સામાજિક પરિવર્તન વિશે ઘણી બાબતો જણાવી છે. ગાંધી દૃઢપણે માનતાં કે, જો મહિ‌લાએ સમાનતાનો સ્વમાનવાળો અને સ્વાવલંબી દરજ્જો સમાજમાં મેળવવો હોય તો સૌથી અગત્યની અને પ્રાધાન્યવાળી બાબત છે ભણતર. ગાંધીજીએ લખ્યું છે કે, આઝાદી અને સમાનતા સ્ત્રીનો જન્મસિદ્ધ અધિકાર છે અને પ્રતીતિ સ્ત્રી અને સમાજ બંનેને હોવી જોઇએ.

ગાંધીજીના વિચારો પ્રમાણે, પુરુષ અને સ્ત્રી બંને મૂળભૂત રીતે સરખાં છે. માણસ તરીકે બંને સરખી જિંદગી જીવે છે અને એકબીજાનાં પૂરક થઇને રહે છે, પરંતુ આપણે સદીઓથી જોતાં આવ્યા છીએ કે સમાજ પુરુષપ્રધાન થઇ ગયો છે અને મહિ‌લા ઉપર પુરુષ તેની સત્તા જમાવે છે. આમ, પુરુષપ્રધાન સમાજમાં પુરુષે મહિ‌લાને બીજી કક્ષાનો દરજ્જો આપી દીધો છે. આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજીએ જ્યારે દેશભરમાં પ્રવાસ કર્યો, ત્યારે જોયું કે સાચું ભારત તો ગામડાંઓમાં જીવે છે. ગાંધીજીએ વારંવાર એવું કહેલું કે, ભારત દેશે પોતાની ગરીબ, છૂત-અછૂતમાં ફસાઇ ગયેલી પ્રજા અને નિ:સહાય મહિ‌લા માટે અથાગ પ્રયત્ન કરવા પડશે.

દેશની સાચી પ્રગતિ ત્યારે જ થઇ ગણાય જ્યારે દરેક મહિ‌લા પગભર હોય, સ્વમાનભેર જીવતી હોય. સમાજમાં આગવું સ્થાન ધરાવતી હોય. ગાંધીજીએ એવું પણ લખેલું છે કે, મહિ‌લાને જે અસંખ્ય અન્યાય થાય છે, જેના માટે સામાજિક પરિવર્તન લાવવું બહુ જરૂરી છે. સમાજ મહિ‌લાને જોવા માટેનો દૃષ્ટિકોણ બદલે, પુરુષ અને સ્ત્રીને સમાન ગણે. 1936માં ગાંધીજીએ ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સમાં કહેલું કે, 'ભારત દેશની અબળા ત્યારે જ સબળા બની શકશે, જ્યારે તે ભણશે અને પોતાના પગ પર ઊભી રહેશે અને અન્યાય સામે લડવા માટે સક્ષમ બનશે.’

(આ લેખકના અંગત વિચારો છે. ઈ ટીવી ભારત આ વિચારો સાથે સહમત હોય એવું જરૂરી નથી.)

કહેવાય છે કે, મહિલાઓના ઉત્થાન અને મુક્તિ માટે ગાંધીજીનું સૌથી મોટું યોગદાન તેઓને સામાજિક અને રાજકીય આંદોલનમાં સમાવિષ્ટ કરતું હતું. ગાંધીજી મહિલાઓને, જે અત્યાર સુધી રસોડામાં મર્યાદિત હતી, તેમને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં લાવ્યા હતા. તેઓએ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં અને બાદમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં મોટી સંખ્યામાં મહિલાઓને અહિંસક કાર્યકરો તરીકે નોંધાવ્યા હતા. ગાંધીજીએ મોટી સંખ્યામાં મહિલાઓને ચળવળમાં ભાગ લેવા પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું.

આ સાથે જ બાપુએ મહિલાઓને દક્ષિણ આફ્રિકાના આશ્રમો અને અન્ય આંદોલનોમાં ભાગ લેવા પ્રેરણા આપી હતી. ગાંધીજીનું ભારતમાં પ્રથમ સંઘર્ષ ચંપારણમાં હતું, જ્યાં 25 સ્વયં સેવકોમાંથી 12 મહિલા સેવકો સાથી હતા. કસ્તુરબા ગાંધી, સાબરમતી આશ્રમથી 37 મહિલા સ્વયંસેવકો સાથે નીકળ્યા હતા અને કાયદાનું ઉલ્લંઘન કરીને મીઠું તૈયાર કર્યું હતું. જેમાં સરોજિની નાયડુ, કમલા દેવી ચટ્ટોપાધ્યાય અને અન્ય લોકોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. બંધારણ વિધાનસભામાં પણ મહિલા સભ્યો હતા, જેમાં રાજ કુમારી અમૃત કૌર, દુર્ગાબાઈ દેશમુખ સમાવિષ્ટ હતા.

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના સામાજિક અને રાજકીય આંદોલનોમાં મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. ગાંધીજીએ મહિલા નેતા સરોજિની નાયડુને કોંગ્રેસ પક્ષના અધ્યક્ષા પણ બનાવ્યા હતા. તે વખતે પશ્ચિમમાં પણ બહુ ઓછા દેશોમાં મહિલા નેતાઓ હતી. ગાંધીજીએ મહિલાઓને કહ્યું હતું કે, દારૂની દુકાન સામે વિરોધ પ્રદર્શન કરવા જોઈએ. બ્રિટિશ સામ્રાજ્ય સામે મીઠાનો સત્યાગ્રહ કર્યો ત્યારે પણ ઘણી નારીઓ જોડાઈ હતી. કહેવાય છે કે, ગાંધીજીએ ક્યારેય આધુનિક નારીવાદની ભાષાનો ઉપયોગ નહોતો કર્યો. ગાંધીજીએ મહિલા શિક્ષણ તથા કારખાના અને કચેરીઓમાં કામ કરવા સમર્થન આપેલું.

મહાત્મા ગાંધીની તસવીરોને ધ્યાનપૂર્વક નિહાળીએ તો મોટાભાગના ફોટોગ્રાફ્સમાં ગાંધીજીની ચોતરફ લોકોની ભીડ જોવા મળે છે. આ ભીડમાં કેટલાક લોકો એવા છે. જેને લગભગ દરેક ભારતીય નાગરિક જાણે છે. જોકે, કેટલીક વ્યક્તિઓ એવી છે. જેના વિશે લોકો બહુ ઓછું જાણે છે. મોહનદાસ કરમચંદ ગાંધીના વિચારોને કારણે અત્યંત નજીક રહેલી કેટલીક મહિલાઓ વિશે જાણવું રસપ્રદ છે. મહિલાઓની જિંદગીમાં ગાંધીજીનો ગાઢ પ્રભાવ રહ્યો હતો. મહાત્માજીએ જે રસ્તા પર ચાલવાનું પસંદ કર્યું હતું એ રસ્તે ચાલીને વિવિધ મહિલાઓ આગળ વધી હતી.

આમ, આજે આપણે ગાંધીજીની 150મી જયંતી ઉજવી રહ્યાં છીએ, ત્યારે મહાન માનવી એવા ગાંધીજીએ મહિ‌લાઓના ઉત્થાન માટે અને મહિ‌લાઓ સમાજમાં માનભેર જીવી શકે અને જ્યાં મહિ‌લાને ગર્વભેર રહી શકાય એવો એક સમાજ બની શકે એ વિશે ખૂબ કહ્યું છે. ગાંધીજીએ પોતાના જીવન દરમિયાન પુસ્તકોમાં મહિ‌લા અને સામાજિક પરિવર્તન વિશે ઘણી બાબતો જણાવી છે. ગાંધી દૃઢપણે માનતાં કે, જો મહિ‌લાએ સમાનતાનો સ્વમાનવાળો અને સ્વાવલંબી દરજ્જો સમાજમાં મેળવવો હોય તો સૌથી અગત્યની અને પ્રાધાન્યવાળી બાબત છે ભણતર. ગાંધીજીએ લખ્યું છે કે, આઝાદી અને સમાનતા સ્ત્રીનો જન્મસિદ્ધ અધિકાર છે અને પ્રતીતિ સ્ત્રી અને સમાજ બંનેને હોવી જોઇએ.

ગાંધીજીના વિચારો પ્રમાણે, પુરુષ અને સ્ત્રી બંને મૂળભૂત રીતે સરખાં છે. માણસ તરીકે બંને સરખી જિંદગી જીવે છે અને એકબીજાનાં પૂરક થઇને રહે છે, પરંતુ આપણે સદીઓથી જોતાં આવ્યા છીએ કે સમાજ પુરુષપ્રધાન થઇ ગયો છે અને મહિ‌લા ઉપર પુરુષ તેની સત્તા જમાવે છે. આમ, પુરુષપ્રધાન સમાજમાં પુરુષે મહિ‌લાને બીજી કક્ષાનો દરજ્જો આપી દીધો છે. આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજીએ જ્યારે દેશભરમાં પ્રવાસ કર્યો, ત્યારે જોયું કે સાચું ભારત તો ગામડાંઓમાં જીવે છે. ગાંધીજીએ વારંવાર એવું કહેલું કે, ભારત દેશે પોતાની ગરીબ, છૂત-અછૂતમાં ફસાઇ ગયેલી પ્રજા અને નિ:સહાય મહિ‌લા માટે અથાગ પ્રયત્ન કરવા પડશે.

દેશની સાચી પ્રગતિ ત્યારે જ થઇ ગણાય જ્યારે દરેક મહિ‌લા પગભર હોય, સ્વમાનભેર જીવતી હોય. સમાજમાં આગવું સ્થાન ધરાવતી હોય. ગાંધીજીએ એવું પણ લખેલું છે કે, મહિ‌લાને જે અસંખ્ય અન્યાય થાય છે, જેના માટે સામાજિક પરિવર્તન લાવવું બહુ જરૂરી છે. સમાજ મહિ‌લાને જોવા માટેનો દૃષ્ટિકોણ બદલે, પુરુષ અને સ્ત્રીને સમાન ગણે. 1936માં ગાંધીજીએ ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સમાં કહેલું કે, 'ભારત દેશની અબળા ત્યારે જ સબળા બની શકશે, જ્યારે તે ભણશે અને પોતાના પગ પર ઊભી રહેશે અને અન્યાય સામે લડવા માટે સક્ષમ બનશે.’

(આ લેખકના અંગત વિચારો છે. ઈ ટીવી ભારત આ વિચારો સાથે સહમત હોય એવું જરૂરી નથી.)

Intro:Body:

નારી અધિકાર વિશે ગાંધીજીના વિચારો કેવા હતા?, જુઓ આ અહેવાલ





ન્યૂઝ ડેસ્કઃ સમગ્ર દેશ જ્યારે આ વર્ષે દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ગાંધીના વિચારો હંમેશા દરેક વ્યક્તિના જીવનમાં એક પાયાનો ભાગ બની રહેલા છે. ઇટીવી ભારત આ પ્રસંગે તમને ગાંધીજીના જીવનની કેટલીક રોચક વાતો વિશે ચર્ચા કરી રહ્યા છે, ત્યારે આજે આપણે ગાંધીજીએ સ્ત્રીઓ માટે કરેલા યોગદાન વિશે વાત કરવાના છીએ. 

 

કહેવાય છે કે, મહિલાઓના ઉત્થાન અને મુક્તિ માટે ગાંધીજીનું સૌથી મોટું યોગદાન તેઓને સામાજિક અને રાજકીય આંદોલનમાં સમાવિષ્ટ કરતું હતું. ગાંધીજી મહિલાઓને, જે અત્યાર સુધી રસોડામાં મર્યાદિત હતી, તેમને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં લાવ્યા હતા. તેઓએ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં અને બાદમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં મોટી સંખ્યામાં મહિલાઓને અહિંસક કાર્યકરો તરીકે નોંધાવ્યા હતા. ગાંધીજીએ મોટી સંખ્યામાં મહિલાઓને ચળવળમાં ભાગ લેવા પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું. 



આ સાથે જ બાપુએ મહિલાઓને દક્ષિણ આફ્રિકાના આશ્રમો અને અન્ય આંદોલનોમાં ભાગ લેવા પ્રેરણા આપી હતી. ગાંધીજીનું ભારતમાં પ્રથમ સંઘર્ષ ચંપારણમાં હતું, જ્યાં 25 સ્વયં સેવકોમાંથી 12 મહિલા સેવકો સાથી હતા. કસ્તુરબા ગાંધી, સાબરમતી આશ્રમથી 37 મહિલા સ્વયંસેવકો સાથે નીકળ્યા હતા અને કાયદાનું ઉલ્લંઘન કરીને મીઠું તૈયાર કર્યું હતું. જેમાં સરોજિની નાયડુ, કમલા દેવી ચટ્ટોપાધ્યાય અને અન્ય લોકોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. બંધારણ વિધાનસભામાં પણ મહિલા સભ્યો હતા, જેમાં રાજ કુમારી અમૃત કૌર, દુર્ગાબાઈ દેશમુખ સમાવિષ્ટ હતા. 



દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના સામાજિક અને રાજકીય આંદોલનોમાં મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. ગાંધીજીએ મહિલા નેતા સરોજિની નાયડુને કોંગ્રેસ પક્ષના અધ્યક્ષા પણ બનાવ્યા હતા. તે વખતે પશ્ચિમમાં પણ બહુ ઓછા દેશોમાં મહિલા નેતાઓ હતી. ગાંધીજીએ મહિલાઓને કહ્યું હતું કે, દારૂની દુકાન સામે વિરોધ પ્રદર્શન કરવા જોઈએ. બ્રિટિશ સામ્રાજ્ય સામે મીઠાનો સત્યાગ્રહ કર્યો ત્યારે પણ ઘણી નારીઓ જોડાઈ હતી. કહેવાય છે કે, ગાંધીજીએ ક્યારેય આધુનિક નારીવાદની ભાષાનો ઉપયોગ નહોતો કર્યો. ગાંધીજીએ મહિલા શિક્ષણ તથા કારખાના અને કચેરીઓમાં કામ કરવા સમર્થન આપેલું. 



મહાત્મા ગાંધીની તસવીરોને ધ્યાનપૂર્વક નિહાળીએ તો મોટાભાગના ફોટોગ્રાફ્સમાં ગાંધીજીની ચોતરફ લોકોની ભીડ જોવા મળે છે. આ ભીડમાં કેટલાક લોકો એવા છે. જેને લગભગ દરેક ભારતીય નાગરિક જાણે છે. જોકે, કેટલીક વ્યક્તિઓ એવી છે. જેના વિશે લોકો બહુ ઓછું જાણે છે. મોહનદાસ કરમચંદ ગાંધીના વિચારોને કારણે અત્યંત નજીક રહેલી કેટલીક મહિલાઓ વિશે જાણવું રસપ્રદ છે. મહિલાઓની જિંદગીમાં ગાંધીજીનો ગાઢ પ્રભાવ રહ્યો હતો. મહાત્માજીએ જે રસ્તા પર ચાલવાનું પસંદ કર્યું હતું એ રસ્તે ચાલીને વિવિધ મહિલાઓ આગળ વધી હતી.



આમ, આજે આપણે ગાંધીજીની 150મી જયંતી ઉજવી રહ્યાં છીએ, ત્યારે મહાન માનવી એવા ગાંધીજીએ મહિ‌લાઓના ઉત્થાન માટે અને મહિ‌લાઓ સમાજમાં માનભેર જીવી શકે અને જ્યાં મહિ‌લાને ગર્વભેર રહી શકાય એવો એક સમાજ બની શકે એ વિશે ખૂબ કહ્યું છે. ગાંધીજીએ પોતાના જીવન દરમિયાન પુસ્તકોમાં મહિ‌લા અને સામાજિક પરિવર્તન વિશે ઘણી બાબતો જણાવી છે. ગાંધી દૃઢપણે માનતાં કે, જો મહિ‌લાએ સમાનતાનો સ્વમાનવાળો અને સ્વાવલંબી દરજ્જો સમાજમાં મેળવવો હોય તો સૌથી અગત્યની અને પ્રાધાન્યવાળી બાબત છે ભણતર. ગાંધીજીએ લખ્યું છે કે, આઝાદી અને સમાનતા સ્ત્રીનો જન્મસિદ્ધ અધિકાર છે અને પ્રતીતિ સ્ત્રી અને સમાજ બંનેને હોવી જોઇએ. 



ગાંધીજીના વિચારો પ્રમાણે, પુરુષ અને સ્ત્રી બંને મૂળભૂત રીતે સરખાં છે. માણસ તરીકે બંને સરખી જિંદગી જીવે છે અને એકબીજાનાં પૂરક થઇને રહે છે, પરંતુ આપણે સદીઓથી જોતાં આવ્યા છીએ કે સમાજ પુરુષપ્રધાન થઇ ગયો છે અને મહિ‌લા ઉપર પુરુષ તેની સત્તા જમાવે છે. આમ, પુરુષપ્રધાન સમાજમાં પુરુષે મહિ‌લાને બીજી કક્ષાનો દરજ્જો આપી દીધો છે. આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજીએ જ્યારે દેશભરમાં પ્રવાસ કર્યો, ત્યારે જોયું કે સાચું ભારત તો ગામડાંઓમાં જીવે છે. ગાંધીજીએ વારંવાર એવું કહેલું કે, ભારત દેશે પોતાની ગરીબ, છૂત-અછૂતમાં ફસાઇ ગયેલી પ્રજા અને નિ:સહાય મહિ‌લા માટે અથાગ પ્રયત્ન કરવા પડશે. 



દેશની સાચી પ્રગતિ ત્યારે જ થઇ ગણાય જ્યારે દરેક મહિ‌લા પગભર હોય, સ્વમાનભેર જીવતી હોય. સમાજમાં આગવું સ્થાન ધરાવતી હોય. ગાંધીજીએ એવું પણ લખેલું છે કે, મહિ‌લાને જે અસંખ્ય અન્યાય થાય છે, જેના માટે સામાજિક પરિવર્તન લાવવું બહુ જરૂરી છે. સમાજ મહિ‌લાને જોવા માટેનો દૃષ્ટિકોણ બદલે, પુરુષ અને સ્ત્રીને સમાન ગણે. 1936માં ગાંધીજીએ ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સમાં કહેલું કે, 'ભારત દેશની અબળા ત્યારે જ સબળા બની શકશે, જ્યારે તે ભણશે અને પોતાના પગ પર ઊભી રહેશે અને અન્યાય સામે લડવા માટે સક્ષમ બનશે.’



(આ લેખકના અંગત વિચારો છે. ઈ ટીવી ભારત આ વિચારો સાથે સહમત હોય એવું જરૂરી નથી.)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.