ETV Bharat / bharat

કેરળઃ પ્રવાસીઓની વાપસી મુદ્દે ભાજપે કર્યા મુખ્ય પ્રધાન પર પ્રહાર

author img

By

Published : Jun 26, 2020, 11:43 AM IST

પ્રવાસીઓની વાપસીના મુદ્દે કેરળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે.સુરેન્દ્રને રાજ્યના મુખ્ય પ્રધાન પી. વિજયન પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, કોરોનાના સંકટમાં મુખ્ય પ્રધાન વિજયન કેરળના પ્રવાસીઓને પરત લાવવા માટે કેન્દ્રની સાથે તાલમેલ બનાવી રાખવામાં નિષ્ફળ રહ્યા છે.

Kerala BJP attacks Vijayan on diaspora return issue
Kerala BJP attacks Vijayan on diaspora return issue

તિરૂવનંતપુરમઃ ભારતીય જનતા પાર્ટી કેરળ પ્રદેશે રાજ્યના પ્રવાસીઓને પરત લાવવાના મુદ્દે મુખ્ય પ્રધાન પિનરઇ વિજયન પર પ્રહાર કર્યા છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કે.સુરેન્દ્રેને કહ્યું કે, પ્રવાસીઓને પરત લાવવા મુદ્દે સીએમ વિજયન કેન્દ્રની સાથે સંપર્ક બનાવી રાખવામાં નિષ્ફળ રહ્યા છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, કેરળના પ્રવાસીઓને પરત લાવવાના મુદ્દે સીએમ વિજયને અમુક સમય માટે પોતાનું વલણ બદલવું પડ્યું. તેમણે આગળ કહ્યું કે, યાત્રી મુદ્દે વિજયન એક વાત કહે છે કે, ફરીથી તેને બદલે છે, ફરીથી કોઇ અન્ય પ્રસ્તાવની સાથે આવે છે. અમુક વસ્તુઓ છે, જે માત્ર કેન્દ્ર જ કરી શકે છે.

તેમણે કહ્યું કે, સીએમ વિજયને પહેલા તે બધાનું સ્વાગત કર્યું જે પરત આવવા ઇચ્છતા હતા, પછી એમ કહીને પોતાનું વલણ બદલ્યું કે, માત્ર કોરોના નેગેટિવ પ્રમાણપત્રની સાથેના લોકોને જ ઉડાન ભરવાની અનુમતિ આપવામાં આવશે.

બુધવારે વિજયને કહ્યું હતું કે, કેરળ પરત આવતા યાત્રીઓને વિમાનમાં પીપીઇ કિટ, માસ્ક અથવા ફેસ શીલ્ડ પહેરવું પડશે અને એરપોર્ટ પર આગમન પર એક પરીક્ષણમાંથી પસાર થવું પડશે.

તિરૂવનંતપુરમઃ ભારતીય જનતા પાર્ટી કેરળ પ્રદેશે રાજ્યના પ્રવાસીઓને પરત લાવવાના મુદ્દે મુખ્ય પ્રધાન પિનરઇ વિજયન પર પ્રહાર કર્યા છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કે.સુરેન્દ્રેને કહ્યું કે, પ્રવાસીઓને પરત લાવવા મુદ્દે સીએમ વિજયન કેન્દ્રની સાથે સંપર્ક બનાવી રાખવામાં નિષ્ફળ રહ્યા છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, કેરળના પ્રવાસીઓને પરત લાવવાના મુદ્દે સીએમ વિજયને અમુક સમય માટે પોતાનું વલણ બદલવું પડ્યું. તેમણે આગળ કહ્યું કે, યાત્રી મુદ્દે વિજયન એક વાત કહે છે કે, ફરીથી તેને બદલે છે, ફરીથી કોઇ અન્ય પ્રસ્તાવની સાથે આવે છે. અમુક વસ્તુઓ છે, જે માત્ર કેન્દ્ર જ કરી શકે છે.

તેમણે કહ્યું કે, સીએમ વિજયને પહેલા તે બધાનું સ્વાગત કર્યું જે પરત આવવા ઇચ્છતા હતા, પછી એમ કહીને પોતાનું વલણ બદલ્યું કે, માત્ર કોરોના નેગેટિવ પ્રમાણપત્રની સાથેના લોકોને જ ઉડાન ભરવાની અનુમતિ આપવામાં આવશે.

બુધવારે વિજયને કહ્યું હતું કે, કેરળ પરત આવતા યાત્રીઓને વિમાનમાં પીપીઇ કિટ, માસ્ક અથવા ફેસ શીલ્ડ પહેરવું પડશે અને એરપોર્ટ પર આગમન પર એક પરીક્ષણમાંથી પસાર થવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.