નેતાજી સુભાષચંદ્ર બોઝ એવા લોકોમાંથી હતાં, જેમના નામ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાયેલા છે. આ મહાન નાયકનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ થયો હતો. દેશની આઝાદીના લડાઇમાં સુભાષબાબુ અમર થઈ ગયા હતા.
'નેતાજી' દેશના કટ્ટરવાદી વૈચારિક યુવાનોનો ચહેરો માનવામાં આવતા હતા, તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પણ હતા. દેશની આઝાદીના ઇતિહાસના મહાનનાયક, બોઝનું જીવન અને મૃત્યુ રહસ્યમય માનવામાં આવે છે, પરંતુ તેમની દેશભક્તિ હંમેશા અનુકરણીય રહી છે.